By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર
ખાસ-ખબરગુજરાત

AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે, ઉમેદવારો વચ્ચે થશે ટક્કર

Khaskhabar Editor
Last updated: 2022/11/11 at 11:06 AM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM કેન્ડીડેટ ઇસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

- Advertisement -

AAPના સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો

તમને જણાવી દઇએ કે, AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જોકે, દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.

AAPએ જાહેર કરેલા વોટ્સએપ પોલમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા હતા

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવા માટે વોટ્સએપ પોલ કરાવ્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળતાં ઈસુદાન ગઢવીને AAPએ CM પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરતની કતારગામ બેઠક પરથી જ્યારે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઇસુદાન ગઢવીની પત્રકારત્વથી લઇને રાજકારણ સુધીની સફર

ઇશુદાન ગઢવી કે જેઓ જામખંભાળિયા તાલુકાના પિપળીયા ગામના વતની છે. તેમના પિતા ખેરાજભાઇ ગઢવી એક સામાન્ય ખેડૂત હતા. ઇસુદાન ગઢવીએ 2005માં જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ તેઓ દૂરદર્શનનાં ‘યોજના’ નામના કાર્યક્રમમાં જોડાયા હતા. 2005માં હૈદરાબાદ ખાતે તેઓ ETV ગુજરાતીમાં જોડાયા હતા. 2007થી 2011 દરમિયાન તેઓએ પોરબંદરમાં ETV ગુજરાતીના પત્રકાર તરીકે કામ કર્યું હતું. 2011થી 2015 દરમ્યાન ઇસુદાન ગઢવીએ ન્યુઝ ચેનલમાં પોલિટિકલ અને ગવર્નન્સ રીલેટેડ સ્ટેટ બ્યુરો ચીફ તરીકે ગાંધીનગરમાં જોડાયા હતા. બાદમાં 2015માં VTVમાં તેઓ ગુજરાતી મીડિયાનાં સૌથી યુવા ચેનલ હેડ તરીકે જોડાયા હતા.

14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા

ઇસુદાન ગઢવી કે જેઓ નેતા બનતા પહેલા એક પત્રકાર હતા. તેઓ 16 વર્ષ સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતના લોકપ્રિય એન્કર તેમજ ખેડૂત વર્ગમાં પત્રકાર તરીકે ભારે ચાહના ધરાવતા હતા. એમાંય તેમનો રાત્રિના 8થી 9 વાગ્યાનો ‘મહામંથન’ શો લોકોમાં ભારે લોકપ્રિય હતો. ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ ‘મહામંથન’થી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા. ઇશુદાન ગઢવીએ પોતાની સ્પષ્ટ છબીના કારણે ગુજરાતનાં દરેકે દરેક ગામડા સુધી પોતાની આગવી ઓળખ બનાવી હતી. જોકે બાદમાં તેઓએ VTVના એડિટર પદેથી રાજીનામું આપી AAPનું ઝાડુ પકડ્યું હતું. 1 જુલાઈ 2021ના ​​રોજ તેઓએ ન્યુઝ ચેનલના એડિટર પદેથી રાજીનામું આપ્યા બાદ 14 જુલાઈ 2021ના રોજ તેઓ AAPમાં જોડાયા હતા. ત્યારે ખુદ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા તેઓને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે કેજરીવાલે કહ્યું હતું કે, ‘ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.’

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

TAGGED: aap, candidate, DWARKA, IsudanGadhvi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રશિયાના મહા વાણિજય દૂતાવાસે આપ્યું આમંત્રણ: યુક્રેન છોડીને પરત આવેલા છાત્રો પોતાનો અધુરો કોર્સ કરી શકશે પુરો
Next Article મિશન સાઉથ પર નીકળ્યા વડાપ્રધાન મોદી: આ ચાર રાજ્યોને 25 હજાર કરોડની આપશે ભેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?