ઈસુદાને મન કી બાતના 100 એપિસોડમાં 830 કરોડ ખર્ચાયાની પોસ્ટ કરી
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું ટ્વિટ આમ આદમી પાર્ટી (અઅઙ)ના ગુજરાતપ્રમુખ ઈસુદાને કર્યું હતું. આ માહિતી પાયા વિહોણી હોવાની અને તેના કોઈ પુરાવા ન હોવાથી હવે ઈસુદાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં ઇસુદાન સામે સાયબર એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ અંગે તપાસ કરી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમના એસીપી જીતેન્દ્ર યાદવે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, ઈસુદાન કરેલા ટ્વિટમાં પ્રધાનમંત્રીના મન કી બાત અંગેની વાત કહેવામાં આવી હતી. જેમાં માહિતી પાયાવિહોણી અને પુરાવા વગરની હતી. જેથી અમદાવાદ સાયબર ક્રાઇમને ઈસુદાન સામે ગુનો નોંધ્યો છે. હાલ ઈસુદાનના આ ટ્વિટ સંદર્ભની સાયબર ક્રાઇમ દ્વારા તપાસ ચાલી રહી છે અને આ કેસમાં હજી વધુ તપાસ કરવાની બાકી હોવાથી કાયદેસરની કાર્યવાહી પણ ચાલી રહી છે. આમાંથી પાટીના ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જીતેલા કોર્પોરેટરો પાર્ટી છોડીને પક્ષ પલટો કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઈમે ઈસુદાન ગઢવી સામે એક ફરિયાદ નોંધણી છે. આ ફરિયાદમાં ઈસુદાને પ્રધાનમંત્રીની મન કી બાતના કાર્યક્રમમાં 830 કરોડ રૂપિયા વપરાયા હોવાની વાત કરી હતી. આ સમગ્ર મામલે આ ટ્વિટના મુદ્દે કોઈ વાત પુરાવા સાથે ન હોવાથી પ્રધાનમંત્રીને બદનામ કરવા માટે કરાયેલું ટ્વિટ હોવાનું જાણવા મળ્યું છે, જે સંદર્ભે અમદાવાદ સાયબર ક્રાઇમે ઈસુદાન સામે ગુનો નોંધ્યો છે.