ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.25
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકી હુમલામાં ગોળી મારી લોકોની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી હુમલા ને લઈને દેશભરમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. અને આતંકવાદી ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજુલામાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હવેલી ચોક થી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાઇ હતી. અને મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે રાજુલા શહેરમાં શહીદ ચોક ખાતે આવેલ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવી શોક વ્યક્ત કર્યો હતો. આ કેન્ડલ માર્ચમાં રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ, બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ ટીમ તેમજ સમસ્ત હિન્દુ સમાજના લોકો સહિત વેપારીઓ હાજર રહ્યા હતાં. પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાની ઘટનાને લઇને રાજુલામાં હિન્દુ સમાજમાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ તકે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, ગૌરાગભાઇ મહેતા, બકુલભાઇ વોરા, મહેન્દ્રભાઇ ધાખડા, રવુભાઇ ખુમાણ, અજયભાઇ વાળા, અક્ષયભાઇ ધાખડા, ભરતભાઈ જાની, રાજેશભાઇ ઝાંખરા, મનોજભાઇ વ્યાસ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતાં.
રાજુલામાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી શ્રઘ્ધાંજલિ અર્પણ કરી
