માત્ર એક સપ્તાહ ચાલુ રહેલી કેથલેબ ખામી સર્જાતા બંધ કરવી પડી!
મશીનરીના ટ્રાયલ અને રેડિએશન સહિતની કામગીરી માટે મુંબઈથી બાયોમેડિકલ એન્જિનિયરને બોલાવાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 4 સપ્ટેમ્બરે નવી કેથલેબ શરૂૂ કરાઈ હતી. જેમાં ખામી સર્જાતા દર્દીઓ રઝળી પડ્યા છે. દર્દીઓની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી થઈ શકતી નથી. મશીનરીમાં ખામી સર્જાઈ છે અને તે માટે ટેક્નિશિયન એક સપ્તાહથી કામ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેથલેબમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ છે જેથી સેવા બંધ કરી છે. ટેક્નિશિયન કામ કરી રહ્યા છે. મશીનરીના ટ્રાયલ અને રેડિએશન સહિતની કામગીરી માટે મુંબઈથી બાયોમેડિકલ એન્જિનિયરને બોલાવાયા છે.