અધિકારીઓ, ગ્રામજનોની ઉપસ્થિતિમાં મોકડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ભવન દ્વારા પૂર વિષય પર મામલતદાર કચેરી, કેશોદ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠક બાદ કેશોદ તાલુકાના ઈસરા ગામે આવેલ તળાવ ખાતે એનડીઆરએફ ટીમ તથા મામલતદાર કચેરી, કેશોદના સંકલનથી કેશોદ તાલુકાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે પૂર અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
આ મોકડ્રીલમાં એનડીઆરએફના આસીસ્ટન્ટ કમાંડન્ટશ્રી અને ટીમ કમાંડરશ્રી તથા મામલતદાર કેશોદ, તાલુકા વિકાસ અધિકારી કેશોદ, પોલીસ ઈન્સ્પેક્ટર કેશોદ, પી.જી.વી.સી.એલ. વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, નગરપાલિકાનો ફાયર વિભાગ, 108 ટીમ, હોમગાર્ડ વિગેરે તમામ તાલુકા કક્ષાના લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ તથા કલેક્ટર કચેરી, જૂનાગઢના નાયબ મામલતદાર (ડીઝાસ્ટર) ઉપસ્થિત રહ્યા હતા અને ગામલોકોની હાજરીમાં ઉક્ત મોકડ્રીલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.