ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે ભાદરવી અમાસે મોટી સંખ્યામાં ભાવિક ઉમટી પડ્યા હતા. દામોદરકુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. પિતૃકાર્ય માટે ભાદરવી અમાસનું વિશેષ મહત્વ હોય આજે વહેલી સવારથી દામોદરકુંડ તરફ લોકોનો પ્રવાહ જોવા મળ્યો હતો.
એટલું જ નહીં મોડી રાત્રીના પણ લોકો દામોદરકુંડ ખાતે પહોંચી ગયા હતા. લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ભવનાથ જવાના માર્ગો પર ટ્રાફિક જોવા મળ્યો હતો. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ દામોદરકુંડ ખાતે ખડેપગે રહી હતી.