By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    2 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    3 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    4 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    4 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    1 day ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    2 days ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    2 days ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    2 days ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    2 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    2 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    2 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    2 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 day ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    7 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં જનતાએ હાજરી આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં જનતાએ હાજરી આપી
રાજકોટ

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે બહોળી સંખ્યામાં જનતાએ હાજરી આપી

Khaskhabar Editor
Last updated: 2024/01/19 at 4:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

 આજે રાત્રે સૌરાષ્ટ્રના ઓસમાણ મીર પોતાનો સૂર લહેરાવી રાજકોટની જનતાને ડોલાવશે

 વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે: પૂ. ભાઈજી રમેશભાઈ ઓઝા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ-અયોધ્યાનગરી ખાતે સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાનપદે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા- ભાગવત કે રામના ગઈકાલે દ્વિતીય દિને રાજકોટ અને આસપાસના ગામડાઓની ધર્મનુરાગી જનતાએ વિશાળ સંખ્યામાં હાજરી આપી. વ્યાસપીઠેથી પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝાએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું દિવ્ય મહાત્મ્ય સરળ ભાષામાં લોકો સમક્ષ રજૂ કરતા કહ્યું કે વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે, જ્યારે તુલસીના રામ સરાસર બ્રહ્મ છે. શ્રીરામ પ્રકાશિત છે, જગત પ્રકાશીય છે અને આત્મા પ્રકાશક છે. આ રામાયણમાં તુલસીદાસે ચાર ભાગમાં કથા પ્રસ્તુત કરી છે. જ્ઞાન, કર્મ, ભક્તિમાર્ગ અને શરણાગતિ ભાગમાં તુલસી પોતાના મનને કથા સંભળાવે છે.- શુકદેવજી એટલે ભાગવત, ભાગવતના પ્રથમ સ્કંધમાં વેદો – ઉપનિષદોનો મહિમા છે. શ્રીમદ ભાગવત સંસારીઓ પરીક્ષિત માટે ઔષધ છે, નિરોગી લોકો સનકાદી મુનિઓ માટે રસાયણ છે, પ્રેમી ભક્તો-ગોપીઓ માટે અમૃત છે જ્યારે પરમહંસો શુકદેવજી, શિવ, સનતકુમારો માટે નસો ચડે એવું આસવ છે.- માનવ અને ઈશ્ર્વર વચ્ચે પ્રેમનો સંવાદ કરવા વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા, પ્ર-દર્શનો, જૈન ધર્મના આગમો, સ્વામિનારાયણની શિક્ષાપત્રી, શીખ ધર્મનો ગ્રંથ સાહેબ, પારસીના જીદ અવસ્તા, કુરાન, બાયબલ વગેરે ધર્મગ્રંથો યુગોથી ઉપદેશો આપે છે, માનવ સમાજમાં સંવાદિતતાને કાયમ કરવાનો ધર્મગ્રંથોનો આશય છે.
ભાગવતની આગળની યાત્રા વર્ણવતા રમેશભાઈ ઓઝા કહે છે કે, બ્રહ્મસૂત્રના ચાર સૂત્રો પૈકી બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે. ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે, ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહીથી થાય છે, કથા વિવિધ સંદર્ભમાં પૂજ્ય ભાઈશ્રીએ સત્સંગના મહત્વ બાબતે કેટલાક પ્રશ્નો કર્યા, જેમાં શાસ્ત્રો, ઇતિહાસ, પુરાણ, વેદ ધર્મ શાસ્ત્રો બધાનો સાર શું છે? શ્રેય-કલ્યાણ કોણ છે? કલ્યાણ માટેનું સાધન, ભગવાનના અવતારનું પ્રયોજન અને સનાતન ધર્મ તથા મૌંનના મહત્વની હૃદયસ્પર્શી વાતો કરી, છેલ્લા છઠ્ઠા પ્રશ્ર્નમાં ભગવાન શ્રીરામ પધાર્યા પછી ધર્મ ક્યાં ગયો? – પોથીના પાનામાં ધર્મ નથી, હવે ગુરુકુળ, આશ્રમો, મંદિર-મઠો, જલારામ બાપાની ઝૂંપડીમાં ધર્મ છે.
ધર્મ બે પ્રકારના છે, દેહધર્મ અને આત્મધર્મ. ભરતજી નો દેહધર્મ એમ કહેતો હતો કે, માતા કૌશલ્યા જીની આજ્ઞાનું પાલન કરીને ગાદી ઉપર બેસવું પણ આત્માનો ધર્મ છે કે, પરમાત્મા ના ચરણમાં જવું. ભરતજી નો આત્મધર્મ કહેતો હતો કે, વનમાં જઈને શ્રી રઘુનાથજીનું શરણ લેવું. હનુમાનજી પાસે રામનામનું બળ હતું અને બ્રહ્મચર્યનું પણ બળ હતું, આ બે બળ હોય તો સંસાર સમુદ્રને ઓળંગીને શ્રી સીતા માતાના દર્શન કરી શકાય.કથા વિરામ પૂર્વે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ લંકામાં શ્રીરામ-રાવણનો ભયંકર સંગ્રામ વર્ણવ્યો. રામજી રાવણના મસ્તક કાપે છે, રાવણને નવા નવા મસ્તક આવે છે. રાવણે શિવજીની પૂજા કરી હતી, પોતાના મસ્તકને જ કમળ બનાવી રાવણે શિવજી મહારાજને અર્પણ કર્યું હતું, તેથી તેને નવા નવા મસ્તક આવતા હતા.. આથી યુદ્ધમાં રામજીને પરિશ્રમ થયો તે સમયે અગત્સ્ય મુની રણભૂમિમાં પધાર્યા, તેમણે રામજીને કહ્યું, હે રામ, હે મહાબાહુ! હું તમને એક સનાતન રહસ્ય કહું તે સાંભળો, જેથી તમે સર્વ શત્રુઓને રણમેદાનમાં જીતી શકશો. આ આદિત્ય હૃદય સ્તોત્ર સર્વ શત્રુઓનો નાશ કરનારૂ, વિજય અપાવનારું અને એને નિરંતર જપ કરવાથી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાવનારું છે. જો આ સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરશો તો જઈ મેળવશો અને રાવણનો વધ કરી શકશો. અગત્સ્ય મુનિના ઉપદેશ અનુસાર રામજીએ સૂર્ય નારાયણનું સ્તવન પૂજન કર્યું. યુદ્ધમાં રામજીએ 31 બાણ છોડ્યા, 20 બાણ થી 20 હાથ, 10 બાણ થી દસ મસ્તક અને છેલ્લા એક બાણથી રાવણનું હૃદય વિંધાયું, રાવણનો વધ થયો અને લંકા યુદ્ધમાં રામનો વિજય થયો હતો.

આજે રાતે લોકગાયક ઓસમાણ મીર પોતાના સૂર લહેરાવશે

રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવસે પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને હરિનામ સ્મરણ અને શ્રવણ થાય છે તો રાત્રે આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે એવા સંગીત અને સાહિત્યના કાર્યક્રમો પણ કથાના સ્થળે જ યોજવામાં આવ્યા છે. ભાગવત કથાની સાથે સૌરાષ્ટ્રના લોકોને સાત્વિક મનોરંજન મળી રહે એ માટે કથા આયોજન સમિતિએ આ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. સપ્તાહ દરમિયાન લગભગ દરરોજ રાત્રે કાર્યક્રમમાં હાસ્ય, સંગીત, લોકસંગીત જેવી તમામ બધી કલાઓ આવરી લેવાઈ છે અને ભક્તોને ધાર્મિક માહત્મ્ય ની સાથો સાથ કોઈ પણ પ્રકારની ખામી વિના દરેક રીતે મનોરંજન પૂરું પાડવાના તમામ પ્રયત્નો કથા સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ભાગવત સપ્તાહ દરમિયાન તા. 19 શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યે જાણીતા ગુજરાતી લોકગાયક અને ખ્યાતનામ ગુજરાત ને આગવી ઓળખ આપનાર એવા સૌરાષ્ટ્રના ઓસમાણ મીરને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓ રાજકોટની જનતાને આનંદ કરાવશે. આજે રાત્રે તેઓ રેસકોર્સ મેદાન, રાજકોટ અયોધ્યા નગરી ના મહેમાન બનશે અને પોતાના સુરીલા અવાજ દ્વારા ભજન ના તાલે રાજકોટની જનતાને ડોલાવશે અને માહોલને રંગીન બનાવશે. ગઈ કાલે રાત્રે સપ્તાહ દરમિયાન યોજાયેલ હસાયરામાં મોકરિયા પરિવાર દ્વારા જાણીતા હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીને રૂા. 1,51,000 આપી સાલ અને પુષ્પગુચ્છ સાથે તેમનું બહુમાન કરવામાં આવ્યું. તો આ દાનપ્રેમી કલાકારએ પણ સામે એ રકમમાં રૂા. 50,000 ઉમેરી રૂા. 1,00,000ની રકમ શ્રી પંચનાથ હોસ્પિટલને અને રૂા. 1,00,000 જ્યુએનાલ ડાયાબીટીશ ફાઉન્ડેશનને દાન પેઠે અર્પણ કર્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આ ધર્મોત્સવની સાથે મનોરંજન અને સાંસ્કૃતિક વિરાસત માણી શકે એ માટે આ આયોજન કરાયું છે. આ કાર્યક્રમો પણ જાહેર જનતા માટે ખુલ્લા છે.

- Advertisement -

ગઈકાલે રાત્રે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડોદરા દુર્ઘટનામાં જીવ ગુમાવેલા બાળકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

You Might Also Like

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

છખઈના શાસક પક્ષના નેતા પર સરકારી કારના દુરુપયોગની ફરિયાદ: પોલીસ દ્વારા ‘ક્લીનચીટ’ અપાતા વિવાદ

ટેન્કરની ટક્કરે પોલીસ હેડ કોન્સ્ટેબલ દંપતીના મોતના કેસમાં વળતર: વારસદારોને વ્યાજ સાથે કુલ રૂ.73 લાખ ચૂકવવા હુકમ!

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે શનિવારના પવિત્ર દિવસે દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય અલૌકિક શણગાર

રૂ.40 લાખના ચેક રિટર્ન કેસમાં જલારામ જિનિંગના 5 ભાગીદારોને સજા

TAGGED: people, RACECOURSEGROUND, Rajkot, SrimadBhagwatKatha
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પૌરાણિક મંદિરોએ રાજપૂત ક્ષત્રિય (ગિરાસદાર) દ્વારા શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી
Next Article પ્રાણપ્રતિષ્ઠાના દિવસે યોગીને કોઈ બચાવી શકશે નહીં, CM યોગીને આતંકી પન્નુની ધમકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

છખઈના શાસક પક્ષના નેતા પર સરકારી કારના દુરુપયોગની ફરિયાદ: પોલીસ દ્વારા ‘ક્લીનચીટ’ અપાતા વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ટેન્કરની ટક્કરે પોલીસ હેડ કોન્સ્ટેબલ દંપતીના મોતના કેસમાં વળતર: વારસદારોને વ્યાજ સાથે કુલ રૂ.73 લાખ ચૂકવવા હુકમ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?