રાજકોટના લોકોનો સૂર, તાલ અને નૃત્ય પોથીયાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે
શ્રદ્ધાળુઓ રથ સાથે ભજન-કીર્તનની જમાવટ કરશે: રાજકોટ ‘જય જયશ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠશે
- Advertisement -
વૈશ્ર્વિક રામકથાની તડામાર તૈયારીઓ…
પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનરોએ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત લઇ વધુ વિગતો આપી હતી.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા થઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલું છે. રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
આ વૈશ્ર્વિક રામકથાથી શરૂઆત પૂર્વે તા. 23 નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે 8-30 વાગ્યે વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચશે.
આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભક્ત બહેનો રામચરિતમાનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે. સાથે ડી.જે. બેન્ડની સૂરાવલિઓ, નાસીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વૈશ્ર્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો, અલગ-અલગ બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપશે, સાથોસાથ હાથી, ખુલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પોથીયાત્રામાં પ્રદર્શન ફ્લોટસ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, રામસ્વરૂપ, દેવી-દેવતાઓ સ્વરૂપ, મીક્કી માઉસ ક્લોન સાથે વિશાળ ભક્તવૃંદ આ પોથીયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફૂલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રદ્ધાળુઓ રથ સાથે ભજન-કીર્તનની જમાવટ કરશે અને સર્વત્ર ‘જય જયશ્રી રામ’નો નાદ ગૂંજી ઉઠશે અને સ્કાઉટ ગાઈડના 25 બહેનો મશાલ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે, સાથે એન.સી.સી.ની 25 બહેનો ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે જેની ક્ધવીનર ભરતભાઈ પરમાર રહેશે. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કૂલના બાળકો જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજૂ કરશે. રાજકોટના આંગણે બાર વર્ષ પછી રામકથારૂપી રૂડો અવસર આવી રહ્યો છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતામાં આ ધાર્મિકોત્સવ થકી ભક્તિરસ માણવા થનગનાટ વ્યાપી ગયો છે ત્યારે આવતીકાલે તા. 23થી સદ્ભાવના વૃદ્ધા પરિવાર દ્વારા નવનિર્મિત ભવનના લાભાર્થે મોરારિબાપુના શ્રીમુખે રામકથાના પ્રારંભ ભવ્યાતિભવ્ય પોથીયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પોથીયાત્રાને સફળ બનાવવા સમગ્ર ટીમ છેલ્લા એક મહિનાથી જહેમત ઉઠાવી રહી છે અને શહેરીજનો પણ વિશાળ સંખ્યામાં આ પોથીયાત્રામાં જોડાઈ આ ધર્મોત્સવને માણવા આતુર છે ત્યારે આવતીકાલે પોથીયાત્રામાં ભાવિકોના જય જયશ્રી રામના નાદથી રાજકોટનું ગગન ગુંજી ઉઠશે. આ પોથીયાત્રાના આયોજન માટે પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજ્જર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાણીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા, સોનલબેન ચૌધરી સહિતના ‘ખાસ-ખબર’ પ્રેસની મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટના લોકો તેમજ જુદા જુદા સ્થળેથી વૈશ્ર્વિક રામકથાનું રસપાન કરવા આવેલા શ્રાવકોને ભવ્યાતિભવ્ય પોથીયાત્રામાં જોડાવવા જાહેર આમંત્રણ પાઠવેલ હતું.