તંત્રની બેદરકારીના કારણે કારનો અકસ્માત સર્જાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ થી મેંદરડા બાયપાસ રોડ છેલ્લા દોઢ મહિનાથી રોડની કામગીરી ચાલી રહી હતી ત્યારે હજુ રોડનું અધૂરું કામ હતું તે દરમિયાન ગઈકાલથી રોડ શરુ કરી દેવામાં આવ્યો હતો.અને યુવનગર પાસે ખોદેલા ખાડામાં કાર ખાબકી હતી ત્યારે તંત્રની બેદકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢના ગાંધીગ્રામથી યુવનગર નગર સુધી સીસી રોડ બનાવની કામગીરી સબબ છેલ્લા ઘણા સમયથી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો પણ હજુ યુવનગરથી આગળ હજુ રોડ બનવાની કામગીરી શરુ હતી અને રસ્તા પર પાણીના નિકાલ માટે ખાડો ખોદયો હતો ત્યારે ત્યાં ડાઈવર્ઝન બનાવામાં આવ્યું છે પણ કોઈ ડાઈવર્ઝનનું બોર્ડ નહિ મુક્ત કાર સીધી ખાડામાં ખાબકી હતી અને કાર ચાલકને સામાન્ય ઇજા થઇ હતી જયારે મોટો અકસ્માત થતા સહેજ બચી ગયો હતો તંત્ર દ્વારા સુવ્યવસ્થિત સાયન બોર્ડ લગાવામાં આવ્યા હોત તો આ અકસ્માત ન સર્જાત.સદનશીબે જાનહાની ટાળ હતી.