By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એટલે રાજકોટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > રાજકોટ એટલે રાજકોટ
AuthorJagdish Acharya

રાજકોટ એટલે રાજકોટ

Khaskhabar Editor
Last updated: 2022/02/05 at 12:54 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

નાળા માટે વખણાતું હોય તેવું એકમાત્ર નગર રાજકોટ છે અને આ એક જ નગર એવું છે જેની પાસે વજુભાઇ વાળા છે.

– જગદીશ આચાર્ય

લગભગ ત્રણ સદી પહેલાં રાજુભાઇ સંધી નામના એક સજ્જને આ નગરને વસાવ્યું હતું એવી માન્યતા છે.રાજુભાઈની સ્મૃતિ સાથે જ અમે વંદીએ અમારા પૂર્વજોના ડહાપણ,કોઠાસૂઝ અને દીર્ઘદ્રષ્ટિને કે તેઓ રાજુભાઇ સંધિના રાજકોટમાં વસ્યા અને એકંદરે અમે અહીં પ્રગટ્યા.અમે પહેલવહેલું રડ્યા ત્યારે અડધા નગરને સંભળાય એવું નાનું રાજકોટ હતું.પણ જેમ જેમ અમે મોટા થતાં ગયા તેમ તેમ અમારામાંથી પ્રેરણા લઈ રાજકોટનો પણ વિકાસ થતો ગયો.હવે તો રાજકોટ એવડું મોટું થઈ ગયું છે કે વાદળા પણ એકસાથે આખા રાજકોટને આવરી નથી શકતા.વરસાદ પણ કટકે કટકે પડે છે.કલાવડ રોડ ઉપર સાંબેલ ધારે વરસતો હોય ત્યારે જ્યુબિલી ચોક તડકે તપતો હોય એવા દ્રશ્યો ચોમાસામાં વારંવાર સર્જાય છે.

Contents
નાળા માટે વખણાતું હોય તેવું એકમાત્ર નગર રાજકોટ છે અને આ એક જ નગર એવું છે જેની પાસે વજુભાઇ વાળા છે.– જગદીશ આચાર્ય

મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતને આગવું ગુજરાત બનાવી દેવાનું અભિયાન હાથ ધર્યું હતું.પણ રાજકોટ તો સ્વયંભૂ પહેલેથી જ આગવું હતું.દુનિયાભરના નગરો નદી કિનારે વસ્યા છે પણ કોઈના આંધળા અનુકરણમાં ન માનતું રાજકોટ નાળા એટલે કે વોંકળાને કિનારે વસ્યું છે.અમદાવાદ જેમ એની પોળો માટે પ્રખ્યાત છે એમ રાજકોટ એના નાળા અને વજુભાઇ વાળા માટે પ્રખ્યાત છે.નાળા માટે વખણાતું હોય એવું વિશ્વનું એક માત્ર નગર રાજકોટ છે એવું વટ સાથે અમે કહી શકીએ એમ છીએ.અને સાથે જ રાજકોટ એક જ એવું નગર છે જેની પાસે વજુભાઇ વાળા છે .અત્યારે ભલે વિજયભાઈ રૂપાણી પોતાની રીતે રાજકોટને પ્રખ્યાત બનાવી રહ્યા હોય પણ એ ભવ્ય પરંપરાનો પાયો વજુભાઇ વાળાએ નાખ્યો હતો એ સત્ય રાજકોટની કદરદાન જનતા ભૂલી નથી.

- Advertisement -

નાળા અને વાળાની મૂળ વાત ઉપર આવીએ.આમ તો એ બંન્ને વચ્ચે કોઈ પારસ્પરિક સાંઠગાંઠ નથી પણ વાયકા એવી હતી કે રાજકોટમાં નાળા બુરાતા ગયા અને વજુભાઇ નાણાંથી ઉભરાતા ગયા.જો કે આવી ક્ષુલ્લક ચર્ચાઓને વજુભાઇએ કદી જવાબ આપવા યોગ્ય નહોતી ગણી. પોતાના લેવલની વાત હોય તો જ વજુભાઇ પ્રતિભાવ આપતાં એ એમની મોટપ હતી.વચ્ચે કોઈ એવી માહિતી લઇ આવ્યું હતું કે વજુભાઇએ વ્હાઇટ હાઉસ માટે સૂથી આપી છે.ત્યારે પણ લાંબી પિંજણ કરવાને બદલે વજુભાઈએ માત્ર એટલું જ કહ્યું હતું કે એમના મોં માં ઘી સાકર.વજુભાઇ હાલ માં કર્ણાટકમાં ઇ…કરીને યેદુરપ્પાને કાઠિયાવાડી દુહા,છંદ અને જોક શીખડાવવાનું કામ કરે છે.

રાજકોટ આગવું છે રાજકોટવાસીઓને કારણે.રાજકોટવાસીઓ આરામપ્રિય અને રજવાડી પ્રકૃતિના છે.દુનિયા આખી ખીચડીના કાઢવા બપોરે ધંધા રોજગાર માટે પરસેવા પાડતી હોય ત્યારે રાજકોટવાસીઓ બપોરે બે કલાકની ગાઢ નીંદર ખેંચી કાઢે છે.પણ,ખબરદાર!અમને ઊંઘણશી કહ્યા તો.બપોરે પોઢી જનારા રાજકોટિયાઓ રાત્રે જાગે છે.મોડી રાત સુધી નર નારીઓ રેસકોર્સ પર આંટા મારે છે.આઈસ્ક્રીમો ઝાપટે છે.રાજકોટ સિવાયના લોકો અમોને આળસુ,પ્રમાદી વગેરે વગેરે જેવા કહીને અમને બદનામ કરે છે.બપોરે જાગવા માટે ઉશ્કેરે છે પણ અમારે ગર્વભેર કહેવું છે કે દુશમનોના એ તમામ પ્રયાસો નિષફળ ગયા છે.અમારી સંસ્કૃતિનું અમે બપોરની પૂરતી ઊંઘ કરીને જતન કર્યું છે.

રાજકોટની સંસ્કૃતિનું બીજું ઝગમગતું પાસું અમારી ચા પાનની કેબીનો છે.રાજકોટનું યુવાધન પપ્પાએ ભેગાં કરેલા લાખો રૂપિયા ચા પાનની કેબીનોમાં વાપરી પોતાની તંદુરસ્તી વધારે છે.પાન અને ફાકીના શોખીનો ગલોફામાં બે બે પાન ઠાંસી ને તે પછી ખિસ્સા ફાટી જાય એટલી હદે સ્ટોક કરી રાખે છે.પાનની પિચકારીઓને કારણે સરકારી ઓફિસો,જાહેર શૌચાલયો, કોમર્શિયલ કોમ્પલેક્ષના દાદરાઓ તથા શહેરની ફુતપાથો લાલ રંગથી રંગાઈ જાય છે અને પરિણામે રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે.

- Advertisement -

રેસકોર્સનું સ્થાન રાજકોટના હૃદય જેવું છે.ચરબી હટાવ ઝુંબેશ અન્વયે લોકો અહીં સવાર સાંજ દોડાદોડી કરે છે.મહિલાઓ પોતાના પતિઓ તથા કૂતરાઓને અહીં ફેરવવા નીકળે છે. દ્વિચક્રી …વધુ વાંચવા ક્લિક કરો

વાહનોની ગતિ માપવા માટેનું એ આદર્શ સ્થળ છે.આ પાવનકારી ભુમી ઉપર જ લાગણીશીલ યુવાનો ગાંઠના ખર્ચે પેટ્રોલ પુરાવી યુવતીઓને સ્ફુટર શીખડાવવાની પુણ્ય સેવા બજાવે છે.રેસકોર્સની પાળી ઉપર મોડી રાત્રી સુધી પડાવ નાખીને રાજકોટવાસીઓ હવા અને બગાસાં ખાય છે.

રેસકોર્સની તદ્દન નજીક જ એ.જી.ઓફીસ,બહુમાળી ભવન અને અન્ય સરકારી કચેરીઓ આવેલી છે. કર્મચારીઓ ઓફિસના બંધિયાર વાતાવરણમાં ગૂંગળામણ અનુભવતા હોવાને કારણે કચેરીઓના પટાંગણોમાં બેસીને વહીવટ ચલાવે છે.પટાંગણમાં બારેમાસ લોકમેળા જેવો ઉમંગ રચાયેલો રહે છે.કર્મચારીઓ મુખ્યત્વે અહીંથી જમીનોની લે વેંચ કર્યે રાખે છે.અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે રાજકોટનો મૂળ વ્યયસાય જ જમીન લે વેંચનો છે.દર વીસ માણસે એક માણસ આ ઉદ્યોગમાં પરોવાયેલો છે.આ ઉદ્યોગમાં રાજકોટવાસીઓનો જોટો જડે તેમ નથી.લોકો એટલા નિખાલસ અને ઉદાર મનનાં છે કે પોતાની માલિકીની ન હોય એ જમીનને પણ પોતાની જ માનીને વેંચી નાખે છે.પૃથ્વીના પટ પર હોય જ નહીં એવી જમીનોના પણ અહીં સોદા થાય છે.અરે!ઘણી વખત તો જમીનના માલિક પાસે તેની પોતાનીજ જમીન વેંચાવા આવે છે.રાજકોટના દલાલો પાસે ચંદ્ર અને મંગળની જમીનોના પણ સર્વેયરો અને નકશા છે કોઈને ત્યાં પ્લોટ ખરીદવા હોય તો જણાવજો!

રાજકોટવાસીઓ આમ પણ સાહસિક છે એક ઉદ્યોગકારે હમણાં લોન મેળવવા અરજી કરી તેમાં પોતે કોકકોલા અને થમ્સ અપ બનાવતા હોવાનું જણાવ્યું હતું.હાલમાં કેટલાક સાહસિકોએ સ્ટાર્ટ અપ ના ભાગરૂપે ગૌમૂત્ર તથા છાણમાંથી કોરોનાની દવા બનાવવાની હંગામી ફેકટરીઓ ચાલુ કરી છે.

રાજકોટની ભૂગોળ ઉપર પાછા ફરીએ તો રેસકોર્સથી આગળ જતાં પ્રખ્યાત મહિલા કોલેજના દર્શનનો લાભ મળે છે.યુવતીઓ અહીં ભણવા અને યુવાનો આંખો ટાઢી કરવા ઉમટે છે.મહિલા કોલેજથી જગવિખ્યાત કાલાવડ રોડની શરૂઆત થાય છે.કાલાવડ તરફથી રાજકોટને કોઈ ખેંચતુ હોય તેમ રાજકોટ એ દિશામાં સહુથી વધારે વિકસ્યું છે.પરિણામે રાજકોટનો નકશો સેવ તળવાના ઝારા જેવો થઈ ગયો છે.એ ઝારાનો દાંડો મહિલા કોલેજથી શરૂ કરીને કાલાવડ તરફ લંબાતો જ જાય છે.કાલાવડ રોડને છેડે જમણી બાજુ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચારે દિશામાં પોતાના વાવટા ફરકાવતી અડીખમ ઉભી છે.

રાજકોટમાં બે ચાર બગીચાઓ પણ છે.બાવાઓ અને વ્યંઢળો માટે ખાસ બનાવાયેલા જ્યુબિલી બાગમાં ખૂણે ગાંધીબાપુનું બાવલું છે.ગાંધીજી જ્યાં ભણ્યા ઓછું અને બગડ્યા વધારે એ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હવે મ્યુઝિયમ બનાવાયું છે અને દેશભક્ત લોકો એ જોવા પણ જાય છે.ઘણા પવિત્ર લોકો જેમને ગાંધીજીની બા માને છે એ કસ્તુરબાની સ્મૃતિ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય શાળા પણ રાજકોટમાં છે.આ સ્થળનો ઉપયોગ શોકસભા અને પ્રાર્થનાસભા માટે કરવામાં આવે છે.

આખા રાજકોટની જ્યાં ચિંતા કરવામાં આવે છે એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતને આંબેડકર ભવન નામ અપાયું છે.અધિકારીઓ અહીં બેઠા બેઠા રસ્તાઓ ખોદવાના અને ફરી બનાવવાના આયોજનો ઘડયે રાખે છે.એ સિવાય કોર્પોરેશનના કામઢા અધિકારીઓ સતત મચ્છર મારવાની પ્રવૃત્તિ કરતા રહે છે.તેમના આ ભગીરથ પ્રયાસ છતાં મચ્છરોની સંખ્યા વધતી જ રહે છે પરિણામે લાડ પ્યારમાં રાજકોટને મચ્છરનગર પણ કહેવામાં આવે છે.

રાજકોટમાં લાલપરી નામે એક તળાવ પણ છે.આ તળાવનો ઉપયોગ ખટારા ધોવા માટે થાય છે.શનિ રવીમાં આજી ડેમ અને ન્યારી ડેમે લોકો હરવા ફરવા માટે જય છે.જીવદયા પ્રેમીઓ અહીં માછલી માછલાંઅને પક્ષીઓને વેફર,ચાઈનીઝ ભેળ અને ગાંઠિયા ખવડાવે છે. આડા દિવસોમાં અહીં ઝાડવાની ઓથે બેસી પ્રેમી પંખીડાઓ સમયનો સદુપયોગ કરી લેવા અને મહોબ્બતના મારેલા હૈયાફુટાઓ અપઘાતો કરવા આ સ્થળોની મુલાકાત લેતા રહે છે.
રાજકોટના પેંડા અને ચેવડો અને ચટણી વખણાય છે.લોકો બહારગામ કે વિદેશ જાય ત્યારે ચટણીના ડબ્બા ભેગા લઇ જાય છે.એ ઉપરાંત એક પવિત્ર ફરજ રૂપે સવારે ગાંઠિયા ખાવાનો પણ રિવાજ પ્રચલિત છે.

રાજકોટ તેના અખબારો માટે પણ પ્રખ્યાત છે.સવાર,બપોર,સાંજ રાજકોટમાં અખબારો પ્રસિદ્ધ થતાં જ રહે છે.જાહેર માર્ગ ઉપર બકરીનું બચ્ચું જન્મે તો એ સમાચાર પણ મીસ ન થાય તેવું રાજકોટનું જાગૃત પત્રકારત્વ છે.
રાજકોટ તો રાજકોટ છે.રાજકોટ જેવું બીજું કોઈ થાય નહીં. આજે તો અહીં માત્ર ઝલક આપી છે.પણ હવે આ સ્થળે મળતાં રહેશું અને રાજકોટની જૂની અને નવી અને અલબેલી વાતો કરતાં રહેશું..

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જુગાર ઉપર દરોડા
Next Article ‘ગીતા’ : ધર્મ નહીં, પણ ‘કર્મગ્રંથ’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?