સરકાર માર્ચમાં જ ઉઅમાં વધારો કરે તેવી સંભાવના !
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આ વર્ષની હોળી આર્થિક લાભ લઈને આવી શકે છે. એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે સરકાર હોળી પૂર્વે જ મોંઘવારી ભથ્થા (ઉઅ)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જો આ નિર્ણય લેવાશે, તો લાખો લોકોના પગાર અને પેન્શનની રકમમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના ઉઅની જાહેરાત કરતી હોય છે, જેના કારણે હાલ સૌની નજર કેન્દ્રના આ આગામી પગલા પર છે.
સરકારી નિયમો મુજબ, મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવે છે. પ્રથમ વધારો જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળા માટે હોય છે, જેની જાહેરાત માર્ચમાં કરવામાં આવે છે. જ્યારે બીજો વધારો જુલાઈથી ડિસેમ્બર માટે હોય છે, જેની જાહેરાત દશેરા કે દિવાળીની આસપાસ થાય છે. ગયા વર્ષે સરકારે ઉઅમાં 3%નો વધારો કર્યો હતો, જેનાથી કુલ મોંઘવારી ભથ્થું 58% પર પહોંચ્યું હતું. આ વખતે પણ કર્મચારીઓને 2%થી 3%ના વધારાની આશા છે, જે ઉઅને 60%ના આંકડા સુધી પહોંચાડી શકે છે.
બીજી તરફ, 8મા પગાર પંચની રચના માટે સરકારે મંજૂરી આપી દીધી છે અને તેની સત્તાવાર વેબસાઇટ પણ લાઇવ થઈ ગઈ છે. પંચે કર્મચારીઓ અને યુનિયનો પાસેથી સૂચનો માંગ્યા છે, જેના માટે 16 માર્ચ, 2026 સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, આ નવા પગાર પંચની ભલામણો સંપૂર્ણપણે લાગુ થવામાં હજુ સમય લાગી શકે છે, પરંતુ તેના અમલીકરણની પ્રક્રિયા 1 જાન્યુઆરી, 2026થી જ ગણવામાં આવશે તેવી ચર્ચા છે. ત્યાં સુધી કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ જ લાભ મળતા રહેશે.



