By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    24 minutes ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    39 minutes ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    12 minutes ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    28 minutes ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    51 minutes ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    57 minutes ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને મુખ્યમંત્રી પહોંચ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને મુખ્યમંત્રી પહોંચ્યા
જુનાગઢ

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શને મુખ્યમંત્રી પહોંચ્યા

Khaskhabar Editor
Last updated: 2025/08/19 at 4:25 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

સોમનાથ સર્કીટ હાઉસ ખાતે કોરિડોર મામલે આગેવાનો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ આશ્વાસન પાઠવ્યું

72 ધ્વજાપૂજા નોંધાઈ, 64 હજાર ભક્તોએ દર્શન કર્યા

- Advertisement -

સોમનાથ સર્કીટ હાઉસ ખાતે કોરિડોર મામલે આગેવાનો સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ આશ્ર્વાસન પાઠવ્યું

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે શ્રાવણ માસના અંતિમ સવારે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો.મંદિર પરિસરમાં પાલખીયાત્રા અને પાઘયાત્રા પણ નીકળી હતી.સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ કાર્યકમો પણ યોજાવામાં આવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ સાનિધ્યે ભક્તિમય વાતાવરણમાં ભક્તો દ્વારા 72 ધ્વજાપૂજન, 61 સોમેશ્વર મહાપૂજન,599 રૂદ્રાભિષેક પાઠ કરવામા આવેલ. સાંજે સુધીમાં 64 હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને કોરિડોર મામલે સ્થાનિકો સાથે બેઠક યોજી હતી.

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ સાનિધ્યે ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું.મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા પણ નીકળી હતી અને જાણે સ્વયં મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝા ભાઈશ્રીએ આ પાલખીયાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું હતું.સાથો સાથ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા જેને પગલે સૌ પ્રથમ તેમનું સોમનાથ હેલિપેડ ખાતે આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેઓ મહાદેવના દર્શને પહોચ્યા હતા અને પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી સોમનાથ સર્કીટ હાઉસ ખાતે પહોચ્યા હતા જ્યાં તેમણે સોમનાથ કોરિડોર મામલે જે પ્રભાસ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે તેના આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર સહિતનાઓની ઉપસ્થિતિમાં વાતચીત કરી સંતોષ થશે તેવી કામગીરી થશે તેવી ખાતરી આગેવાનોને આપી હતી.જો કે આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ વતી કોઈ ઉપસ્થિત રહ્યું ન હતું તેવું સમિતિના સભ્યો દ્વારા જણાવાયું હતું.

- Advertisement -

આગેવાનોએ કહ્યું દુકાનધારકોને ટ્રસ્ટ વૈકલ્પિક જગ્યા આપે છે તો અમને કેમ નહીં?

મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સ્થાનિક આગેવાનોને સમય આપી વાતચીત કરી પ્રભાસ ક્ષેત્રનું ઐતિહાસિક મૂલ્યાંકન પણ કરાવ્યું.ઘણા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે.ભગવાનને પ્રાર્થના કરીએ કે આગળના સમયમાં સુચારૂ રૂપે આગળ વધી શકાય.વર્તમાન પરિસ્થિતિમાં સુચારૂ રૂપે સંપર્ક સાધી ન શકવાને લીધે ક્યાંક ને ક્યાંક બાધાઓ ઉત્પન્ન થઈ છે.જે વેદનાઓ મુખ્યમંત્રી સમક્ષ અમોએ ઠાલવી.તેમણે પણ સાંત્વના પાઠવી છે. પ્રશાસનનો વ્યવહાર જે હતો તે ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો.જેના લીધે ગામના લોકોએ કોરિડોર ન જોઈએ તેવા નિર્ણય પર આવ્યા હતા.આવનારા સમયમાં સુચારૂ રૂપે સંપન્ન થાય તેવા પ્રયત્નો કરીશું. – જયવર્ધન જાની ( ઉપપ્રમુખ – તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ )
મુખ્યમંત્રીને અમો અગાઉ ગાંધીનગર ખાતે મળ્યા હતા ત્યારે તેઓ સોમનાથ આવવાના હતા જેને લઈને અમારી લાગણી હતી કે એક વખત મળીએ ત્યારે આજરોજ તેમની સાથે બેઠક થઈ અને અમારી માંગણી અને લાગણીની રજૂઆતો તેમને કરી છે.કોરીડોરનો વિરોધ તો છે જ પરંતુ જ્યારે સોમનાથ ટ્રસ્ટ અન્ય લોકોને વૈકલ્પિક જગ્યા આપે છે.દુકાનોની ફાળવણી કરે છે.તો અમારી તો બાપ દાદાની જગ્યાઓ છે એમને વૈકલ્પિક જગ્યા કેમ નથી આપતાં ? આ સિવાય કેશુબાપા, લહેરી સાહેબ જેવા કેટલા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી રહી ચૂક્યા છે જેમણે ગામની સાથે સુમેળ રાખ્યો છે.જે પ્રશ્નો થતા અમે તેમને મળીને નિકાલ કરતા હતા.જ્યારથી યોગેન્દ્ર દેસાઈ આવ્યા છે ત્યારથી ગામ અને મંદિર અલગ થઈ ચૂક્યા છે.આજે ત્રણ વર્ષમાં એક વખત પણ તેમણે બેઠક યોજી ગામના 5 આગેવાનોને પણ બોલાવ્યા નથી.આજે તેમણે સરકાર વચ્ચે ઘર્ષણ ઊભું કરી દીધું.તેની પણ મુખ્યમંત્રીને અમોએ રજૂઆત કરી વિકલ્પ વિચારવા જણાવ્યું છે.મુખ્યમંત્રી દ્વારા પણ સંતોષ થશે તેવું કામ કરશું તેવી ખાતરી આપવામાં આવી છે – બાલાભાઈ શામળા ( ઉપપ્રમુખ – પ્રભાસ હિત રક્ષક સમિતિ )

સોમનાથ ટ્રસ્ટ ગીર સોમનાથમાં 1 કરોડના ખર્ચે વર્ષમાં 7 લાખ લાડુનું વિતરણ કરશે,પેકિંગ પણ ઈકો ફ્રેન્ડલી કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનો આરંભ કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7 લાખ લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે.અંદાજિત રૂ. 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.આ લાડુ પ્રસાદના પેકિંગ માટે ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું પેકેજિંગ મશીન વિકસાવ્યું છે.જે એર-ટાઇટ રીતે અને પૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરે છે. સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ રૂપે પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ કરવામાંઆવ્યોછે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ, અને દેહોત્સર્ગ તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી
Next Article AAPના પાંચ સમર્થકોની ધરપકડ, કોર્ટે જામીન અરજી ફગાવી જેલ હવાલે કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?