By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    8 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    9 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    10 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    9 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    10 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ
Authorપોરબંદર

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

Khaskhabar Editor
Last updated: 2025/08/09 at 5:11 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ઓમ જોષી-પોરબંદર

‘સુદામાપુરી પોરબંદર – દરિયાકાંઠે વસેલું 10મી સદીનું પ્રાચીન નગર’

- Advertisement -

શ્રાવણી પૂનમે વિક્રમ સંવત 1045માં સ્થાપના – ઘુમલીના તામ્રપત્રમાં ઇતિહાસનો ઉલ્લેખ

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

સુદામાપુરી પોરબંદરે આજે શનિવારે પોતાની 1036 વર્ષની સફર પૂર્ણ કરી 1037માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. 1036 વર્ષ પહેલા, અરબી સમુદ્ર કિનારે આવેલ અશમાવતી ઘાટ પર તોરણ બાંધી પોરબંદરનું બારૂ ખુલ્લું મુકાયું અને વેપારનો આરંભ થયો હતો. પોરબંદરની સ્થાપનાનો પુરાવો જામનગરના મ્યુઝિયમમાં રહેલા ઘુમલીના તામ્રપત્રમાં મળે છે, જેમાં ઉલ્લેખ છે કે જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045ની શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસે સવારે 9.30 વાગ્યે પોરબંદરની સ્થાપના કરી હતી.
દશમી સદીમાં વસેલું આ નગર દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલું જ પ્રાચીન ગણાય છે. પુરાણો અનુસાર પોરબંદર ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાની ભૂમિ છે. દરિયા કાંઠે આવેલ પોરાઈ માતાના મંદિર પરથી જ પોરબંદર નામ પડ્યું હોવાનું માનાય છે.

- Advertisement -

જેઠવા વંશનું શાસન અને વિકાસ: ઈ.સ. 1120માં રાણા સંઘજી ઘુમલીની ગાદીએ આવ્યા અને બાદમાં રાણપુરને રાજધાની બનાવવામાં આવી. પરંતુ પોરબંદરના આધુનિક વિકાસનું શ્રેય લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીને જાય છે. તેઓ પોરબંદરને ‘પેરિસ’ જેવી નગરયોજનાથી વિકસાવવા માગતા હતા, જેના કારણે પોરબંદરના રસ્તા, ઇમારતો, રાજમહેલો અને ચોપાટી આજેય તેમની દ્રષ્ટિનો સાક્ષી છે. તે સમયના રાજવી દર વર્ષની શ્રાવણી પૂનમે નગરજનોને એકત્ર કરતા, હનુમાનજી અને સુદામાની પૂજા

પછી દરિયા દેવને નારીયળ અને ચૂંદડી ચઢાવી માછીમારો દરિયાનું ખેડાણ શરૂ કરતા. આ પરંપરા આજે પણ ખારવા સમાજ દ્વારા જાળવવામાં આવે છે.
વિશ્વને આપેલો વારસો: પોરબંદરે વિશ્વને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવી અવિસ્મરણીય ભેટ આપી છે. સંત કવિયત્રી લીરબાઈ, કવિ ગુલાબદાસ બ્રોકર, રતિભાઈ છાયા, વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈન્દ્રજી, નૃત્યાંગના હિર સવિતાદીદી મહેતા, તેમજ ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન નટવરસિંહજી – આ બધા પોરબંદરની ધરતીની દેણ છે. અહીં સ્વામી વિવેકાનંદનો આશ્રમ, ગાંધીજીનું જન્મસ્થળ કિર્તીમંદિર, એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે.
રાજકીય સફર: ઈ.સ. 990ની શ્રાવણી પૂનમે જેઠવા વંશના સ્ટેટ પોર્ટ તરીકે ‘પૌરવેલા કુળ’ નામે પોરબંદરની સ્થાપના થઈ. સ્થાપનાના 795 વર્ષ પછી, ઈ.સ. 1785ની શ્રાવણી પૂનમે પોરબંદરને રાજધાની જાહેર કરવામાં આવ્યું. 1785 થી 1948 સુધીના 163 વર્ષ પોરબંદર જેઠવા વંશની રાજધાની રહ્યું. નગરપાલિકાનો આરંભ 1887માં થયો, પરંતુ શરૂઆતમાં પ્રમુખની નિમણૂંક રાજ્ય દ્વારા થતી. પ્રથમ નિમણુંક પામેલા પ્રમુખ વાડિયા હતા. 30 સપ્ટેમ્બર 1949થી પોરબંદર નગરપાલિકા કાર્યરત થઈ અને પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ વકીલ પી.ડી. કક્કડ સાહેબ બન્યા.

પોરબંદરનો ઐતિહાસિક વારસો

1. પોરબંદર પોર્ટનો ઇતિહાસ: પોરબંદરનો બંદર એક સમય ભારતના પશ્ચિમ કાંઠાનો મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર હતું, જ્યાંથી અરબી દેશો, આફ્રિકા અને યુરોપ સુધી મસાલા, કપાસ અને હસ્તકલા નિકાસ થતી. અહીંથી ખાસ કરીને આફ્રિકાના ઝાંઝીબાર સુધીનો વ્યાપાર પ્રખ્યાત હતો.
2. સાંસ્કૃતિક પરંપરાઓ: દર વર્ષની શ્રાવણી પૂનમે દરિયા દેવની પૂજા કરવાનું ખારવા સમાજનું રિવાજ, જે આજે પણ અખંડિત છે. નવરાત્રિમાં પોરબંદરનો મહેર સમાજનો મણિયારો રાસ પરંપરા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ.
3. પ્રસિદ્ધ સ્થળો:
1.સુદામા મંદિર – મિત્રતાનું પ્રતિક:
સુદામા મંદિર પોરબંદરનું એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે, જે ભગવાન શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામાને સમર્પિત છે. આ મંદિર પોરબંદરના મધ્યભાગમાં સ્થિત છે અને તેનું નિર્માણ ઈ.સ. 1902થી 1907ની વચ્ચે થયું હતું. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું આ મંદિર અનેક ભક્તોને આકર્ષે છે, ખાસ કરીને નવા લગ્ન કરેલ દંપતિઓને. પોરબંદરની મુલાકાત દરમિયાન સુદામા મંદિર દર્શનનો એક મુખ્ય ભાગ ગણાય છે.
2.પોરાઈ માતાનું મંદિર – શહેરના નામ સાથે સીધો સંબંધ:
સાંદિપની આશ્રમ – રાષ્ટ્રીય સંત ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમ જ્યાં સનાતન ધર્મનો વારસો જાણવી રાખવા માટે ઋષિકુમારોને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે.
3.જાંબુવનની ગુફા:
આ ગુફા પોરબંદર જિલ્લાના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે. અહીં જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત પથ્થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડો જોવા મળે છે. જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. જાંબુવન ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્થાપના કરી હતી, તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે. પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને 108 શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.
4. ગાંધીજી સાથેનો સંબંધ:
પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે, જ્યાં 2 ઑક્ટોબર 1869એ તેમનો જન્મ થયો.કિર્તીમંદિર ગાંધીજીના જીવન અને વિચારોનું સ્મારક છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે.
5. શૈક્ષણિક અને રમતગમતની ઓળખ:
એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ – દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ.ભારતનું બીજું પ્લેનેટોરીયમ – પોરબંદરની ગૌરવગાથામાં ઉમેરો.
6. કલાકારો અને સાહિત્યકારો:
સંત કવિયત્રી લીરબાઈ માતા, કવિ ગુલાબદાસ બ્રોકર, રતિભાઈ છાયા, જયકૃષ્ણ ઈન્દ્રજી, અને નૃત્યાંગના હિર સવિતાદીદી મહેતા.
7. પ્રાચીન કિલ્લો અને તટબંધ:
પોરબંદરના જૂના કિલ્લાની દીવાલો, દરવાજા અને વોચટાવર્સ શહેરના રક્ષણ માટે રાજવી કાળમાં બનાવાયા હતા.
8. પોરબંદરની આધુનિક ઓળખ:
ગુજરાતના શ્રેષ્ઠ દરિયાકાંઠા અને ચોપાટીઓમાંથી એક, સાફસૂથરી અને સુંદર સમુદ્રકિનારાની ઓળખ ધરાવતું નગર. માછીમારી અને મરીન પ્રોડક્ટ્સના હબ તરીકે આજે પણ મહત્વપૂર્ણ.

 

You Might Also Like

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય સેના અને વાયુસેનાને 200 નવા હેલિકોપ્ટર મળશે
Next Article રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓને રાખડી બાંધવા પહોંચી બહેનો, ભાવુક દૃશ્યો સર્જાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?