By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    43 minutes ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 hour ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શંખનું ફક્ત ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શંખનું ફક્ત ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે!
AuthorParakh Bhattધર્મ

શંખનું ફક્ત ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે!

Khaskhabar Editor
Last updated: 2021/08/07 at 4:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.

– પરખ ભટ્ટ

હિંદુ ધર્મમાં શંખને અત્યંત પવિત્ર અને શુભદાયી માનવામાં આવ્યો છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં તત્વોથી બનેલા શંખ કઠણ, મજબૂત અને ચમકીલા હોય છે. જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. આદિકાળથી દરેક શુભ પ્રસંગોની શરૂઆતમાં ફૂંકાતા શંખનું ધાર્મિક અને આધ્યાત્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ વિશે અહીં થોડી ચર્ચા કરીશું.

Contents
જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.– પરખ ભટ્ટ

શંખનાં એક બાજુનાં સંકુચિત છિદ્રમાંથી ફૂંકવામા આવતી હવા જ્યારે ભમરિયા આકારે તેમાંથી બહાર નીકળે છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ પેદા થાય છે, જે ઓમકાર નાદ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. ધ્વનિ તરંગોની અસરને લીધે આપણા શરીરનાં કરોડો-અબજો ઇલેક્ટ્રોન-અણુ ઉત્તેજિત થઈને હોર્મોનલ ગ્રંથિ તેમજ ચક્રને પ્રભાવિત કરે છે. વ્યક્તિની ભીત્તર રહેલા તમોગુણને શંખનાદ વડે કાબુમાં લાવી શકાય છે. શંખમાં અગર પૂરી તાકત વડે હવા ફૂંકવામાં આવે તો તેનો ધ્વનિ ઘણા કિલોમીટર સુધી સાંભળી શકાય છે. એવું માનવામાં આવે છે કે મહાભારતનાં યુધ્ધ પહેલા જ્યારે શ્રીકૃષ્ણ દ્વારા શંખ ફૂંકાયો ત્યારે તેનો ધ્વનિ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો હતો! પક્ષીઓ આમ-તેમ ઉડવા લાગ્યા, પ્રાણીઓ અંધાધૂંધ દિશામાં ભાગવા લાગ્યા, અરે પળવાર માટે તો કૌરવ સેના પણ ભયભીત થઈ ગઈ! લગભગ આખું વિશ્વ શંખનાદને લીધે ખળભળી ગયું હતું.

- Advertisement -

નિયમિતપણે કરાતાં શંખનાદને લીધે સાધકનાં અવાજની ગુણવત્તા સુધરે છે. સંગીતનાં અન્ય વાજિંત્રોની માફક અહીં અલગ-અલગ સૂરમાં ધ્વનિ પેદા કરવો શક્ય નથી. પરંતુ વ્યક્તિનાં અવાજની તીવ્રતા વડે આ બિલકુલ સંભવ છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે, ભારતનાં પ્રાચીન નૃત્યમાં શંખને સંગીતવાદ્ય તરીકે ઉપયોગમાં લેવાતો! ઔદ્યોગિક ક્ષેત્રે પણ શંખને ઉપયોગી માનવામાં આવે છે. હજારો શંખને એકીસાથે અમુક ખાસ ફ્રિકવન્સી પર ફૂંકવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત થતો ધ્વનિ ઓઝોન સ્તરનાં બંધારણમાં કારગત નીવડી શકે તેમ છે. વાતાવરણમાં જોવા મળતાં પ્રદૂષકોની અસરકારકતાને મંદ પાડવા માટે શંખનો વપરાશ થાય છે.

આજની તારીખે પણ શંખનાદનાં કંપન વડે અનેક રોગોનું નિવારણ શક્ય છે. પરફેક્ટ કદ અને આકાર ધરાવતાં શંખને કર્ણેન્દ્રિય પાસે રાખવાથી તેમાં સમુદ્રની લહેરોનો ધ્વનિ સંભળાય છે! શંખને બાળી નાંખવાથી પ્રાપ્ત થતી રાખને ‘શંખભસ્મ’ કહે છે, જે આયુર્વેદિક ઉપચારમાં ખૂબ ઉપયોગી છે. શંખની રાખમાં વિશાળ માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન રહેલું હોય છે. આયુર્વેદ વડે રોગનો ઉપચાર કરનારા વૈદ્યો તેને પાચન-સંબંધી સમસ્યાઓ તેમજ અન્ય પેટજન્ય રોગની સારવાર માટે રામબાણ ઇલાજ માને છે. શંખભસ્મને યોગ્ય પ્રમાણમાં એમોનિયમ ક્લોરાઇડ, એકોનાઇટ, મરક્યુરી વગેરે જેવા રાસાયણિક તત્વો સાથે મિશ્રિત કરી નિયમિત રીતે સેવન કરવામાં આવે તો મંદાગ્નિ તથા અપાચનની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે.

- Advertisement -

ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે શંખ વગાડવાથી ઘરમા કલેશ-કંકાસ થાય છે. પરંતુ ખરેખર આજ સુધી તેનાં વૈજ્ઞાનિક મહત્વને આપણે સમજી જ નથી શક્યા. સનાતન ધર્મમાં દરેક ચિહ્નો, પ્રતીકો અને ચીજને વિશેષ જગ્યા આપવામા આવી છે. તેનો આદર કરીને તેને ફક્ત ધાર્મિક દ્રષ્ટિએથી ન જોતાં, અન્ય દ્રષ્ટિકોણથી નિહાળવામાં આવે એ પણ જરૂરી છે.

શરીર-સ્વાસ્થ્ય તેમજ વાતાવરણ માટે ઉપયોગી શંખને બીજી કઈ રીતે વપરાશમાં લઈ શકાય?

(1) કોલેરા અને પ્લેગનાં દર્દીઓનો રોગ દૂર કરવા.

(2) શંખની અંદરનાં પોલાણવાળા ભાગમાં સંગ્રહ કરવામાં આવતું જળ સલ્ફર અને કેલ્શિયમયુક્ત હોય છે. જે વ્યક્તિને બોલવામાં પરેશાની (સ્પીચ-ડિસઓર્ડર) હોય, તોતડાપણું હોય તેમણે દરરોજ શંખ-જળનું પાન કરવું જોઈએ.

(3) ચામડીનાં અનેક રોગમાં શંખ-જળ ઉપયોગી છે. તેને સ્નાન કરતી વખતે ઉપયોગમાં લેવાથી અમુક સમય બાદ શારીરિક રોગ પર નિયંત્રણ લાવી શકાય છે.

(4) શંખમાં પાણીની સાથોસાથ આઠ કલાક સુધી ભેળવી રાખેલું ગુલાબજળ માથાનાં વાળને ચમક પ્રદાન કરે છે.

(5) બાર કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરેલું શંખ-જળ પેટની વ્યાધિ માટે ઘણું અસરકારક છે. (શરત માત્ર એટલી કે તેનું સેવન ખાલી પેટે થવું જોઈએ.)

(6) શંખની ઉપરી સપાટીને ચહેરા સાથે ઘસવાથી કરચલીઓ, કાળા ડાઘ તેમજ આંખ નીચેનાં કુંડાળા દૂર થાય છે તેમજ ચહેરો વધુ ચમકદાર બને છે.

(7) શંખનાં પોલાણ ધરાવતાં હિસ્સામાં સંઘરી રાખેલું ગાયનું દૂધ ઘરની પવિત્રતામાં વધારો કરે છે.

(8) નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનાં એક પ્રયોગમાં સાબિત થયું છે કે શંખનાદનાં કંપન વડે વાતાવરણમાં પ્રવર્તતા હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસથી છુટકારો મળે છે.

(9) દિવસમાં દરરોજ એકવાર શંખ ફૂંકવાથી શ્વાચ્છોશ્વાસને લગતી સમસ્યા દૂર થાય છે.

(10) ટીબી, અસ્થમા, ઇન્ફ્લ્યુએન્ઝા તથા યકૃત સંબંધી રોગને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે શંખનાદને ઉપયોગી સારવાર માનવામાં આવે છે. બ્લડ-પ્રેશર અને હાર્ટ-અટેક જેવી જીવલેણ બિમારીઓને દૂર રાખવા માટે પણ શંખ અસરકારક છે! વૈજ્ઞાનિકોનાં મત મુજબ, દિવસમાં એકવાર યોગ કરો અથવા શંખ વગાડો! કારણકે બંનેની અસરકારકતા એકસમાન સાબિત થઈ છે.

(11) શંખ વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે બહેરાશ મટાડી શકવા સક્ષમ છે. કાનની અંદરનો પોલાણવાળો ભાગ શંખનાં બંધારણ તેમજ પોલાણ સાથે અદ્દલોદલ મેળ ખાય છે. શંખનાદ વડે ઉત્પન્ન થતું ધ્વનિ-તરંગ નળાકાર સ્વરૂપે કાનનાં પોલાણ સુધી પહોંચી બહેરાપણું અટકાવી શકે છે.

(12) શંખનું કદ અને આકાર સ્પાઇરલ છે. આપણે જાણીએ છીએ કે શરીરનાં બંધારણીય ઘટકતત્વ એવા ડીએનએનો આકાર પણ સ્પાઇરલ છે. જેથી ઘણા પ્રયોગોમાં રંગસૂત્રને લગતી ખામીઓ દૂર કરવામાં શંખ ઉપયોગી બન્યા છે.

(13) શંખનાદ આજુબાજુનાં વાતાવરણમાંથી નકારાત્મક શક્તિઓને દૂર ધકેલીને ઘરમાં હકારાત્મક ઉર્જા (પોઝિટીવ વાઇબ્સ)નો સંચાર કરે છે.

(14) દક્ષિણાવર્તી શંખમાં આખી રાત મૂકી રાખેલું ગંગાજળ હ્રદયરોગ અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે ઘણું ફાયદારૂપ હોય છે.

(15) વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂજા રૂમમાં મૂકી રાખેલો શંખ સમગ્ર ઘરમાંથી વાસ્તુદોષનું નિવારણ કરી આપે છે.

You Might Also Like

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

એક ભડવીરની ઘરવાપસીની કહાણી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણમાં મેમન જમાતનાં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ફલેટ અપાશેઃ કાલે હોેદેદારોના હસ્તે ખાતમુહૂર્ત
Next Article CM રૂપાણીનાં 5 વર્ષ અભિનંદન અને શુભેચ્છા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?