By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    3 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    3 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    6 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડથી સન્માનિત ખ્યાતનામ તબીબો સહિત અનેક જાણીતા તજજ્ઞો આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડથી સન્માનિત ખ્યાતનામ તબીબો સહિત અનેક જાણીતા તજજ્ઞો આવશે
રાજકોટ

રાજકોટમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડથી સન્માનિત ખ્યાતનામ તબીબો સહિત અનેક જાણીતા તજજ્ઞો આવશે

Khaskhabar Editor
Last updated: 2024/10/04 at 4:38 PM
Khaskhabar Editor 2 years ago
Share
10 Min Read
SHARE

દેશભરની ચાલીસથી વધુ મેડિકલ સંસ્થાના વડા કોન્ફરન્સમાં પધારશે

75 જેટલાં તજજ્ઞોનાં વિવિધ વિષયો પર લેકચર યોજાશે: ડૉ. અતુલ પંડયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટનું તબીબી જગત વધુ એક યાદગાર પળોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, આગામી દિવસોમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત શાખાની 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 રાજકોટના આંગણે યોજાઈ રહી છે. રાજકોટના તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડ વિજેતા ખ્યાતનામ તબીબો સહિત દેશભરની ચાલીસ જેટલી મેડિકલ સંસ્થાઓના વડાઓ આ કોન્ફરન્સમાં અદ્યતન તબીબી વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપશે. આઠ વર્ષ બાદ રાજકોટમાં યોજાનાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તબીબો ખાસ ઉપસ્થિત રહેશે અને તબીબી ક્ષેત્રે થયેલ શોધ, નિદાન-સારવારની પધ્ધતિ વિશે જ્ઞાનની આપલે કરશે એક જીમાકોન-24ના ચેરમેન ડો. અતુલ પંડયાની એક યાદીમાં જણાવાયું છે. મહિલાઓ તથા બાળકોને લગતાં વિવિધ રોગ સહિત શરીરના તમામ પ્રકારના રોગના ખ્યાતનામ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આઈ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને જીમાકોન-2024ના ચેરમેન ડો. અતુલ પંડયાએ જણાવ્યુ છે કે, એલોપથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાતની કોન્ફરન્સ આઠ વર્ષ બાદ રાજકોટમાં મળી રહી છે. કોન્ફરન્સ દ્વારા તબીબો વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે થતી વિવિધ શોધ, અદ્યતન સારવાર વિશે ચર્ચા કરતા હોય છે. તબીબો પોતાના અનુભવો, વિવિધ રોગમાં જોવા મળતાં દર્દીઓ, તેની સારવારના અલગ અલગ પધ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરી એક બીજાના જ્ઞાનમાં વધારો કરતાં હોય છે જેનો ફાયદો અંતે તો સમાજને જ થાય છે.

- Advertisement -

જીમાકોનના સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, સોવેનિયરના એડીટર ડો. જય પિરવાણી અને ટ્રેઝરર ડો. તેજસ કરમટાએ ફોન્ફરન્સ વિશે માહિતી આપતાં જણાવ્યુ છે કે, તબીબી સંગઠન તરીકે સમાજ પ્રત્યેની અમારી ફરજ સમજી આ વખતે તંદુરસ્ત સમાજની રચનાના હેતુ સાથે કોન્ફરન્સમાં વિવિધ મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વિવિધ રોગના નિષ્ણાત તબીબો રોગ, નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન આપશે સાથે સાથે વિવિધ રોગમાં લોકો સપડાય નહીં એ માટે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે. જીમાકોનના કો.ઓર્ડિનેટર ડો. યજ્ઞેશ પોપટ, કો. ચેરમેન ડો. હિરેન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા અને ડો. દિપેશ ભાલાણીએ માહિતી આપતા કહ્યું કે, ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર 2024 (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 300થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે. જીમાકોનના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. સંજય ભટ્ટના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતર રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો પધારવાના છે. હદયરોગ નિષ્ણાત પદ્મશ્રી-પવભૂષણ ડો. તેજસ પટેલ, કોરોના કાળમાં સતત દેશભરના તબીબોને માર્ગદર્શન આપનાર એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડિરેક્ટર પવશ્રી ડો. રણજીત ગુલેરીયા, એન્ડોક્રોનોલોજીસ્ટ – ડાયાબીટોલોજીસ્ટ પદ્મશ્રી ડો. શશાંક જોશી, ડો. અનિલ જૈન, કાર્ડિયાક સર્જન ડો. અભિજાત શેઠ, ન્યુરોસર્જરી ક્ષેત્રે નિષ્ણાત ડો. અનિલ પી. કારાપુરકર, પદ્મશ્રી કાર્ડિયોલોજીસ્ટ ડો. કમલ કે. રોઠી, ડો. સંદિપ રાય, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હીના ઈલેક્ટેડ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયક, ગુજરાત મેડિકલ કાઉન્સીલના ચેરમેન ડો. નિતીન વોરા સહિત દેશભરના અનેક જાણીતા તબીબો કોન્ફરન્સમાં વિશ્વકક્ષાએ વિવિધ રોગના નિદાન – સારવાર ક્ષેત્રે થયેલ શોધ વિશે માર્ગદર્શન આપશે.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ પદ્મશ્રી અને પવભૂષણ એવોર્ડની સન્માનિત થયેલ છે. ડો. તેજસ પટેલ ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે એન્જીયોગ્રાફમાં નવી શોધના જનક છે. છેલ્લાં 18 વરસથી તેઓ કાર્ડિયોલોજી માટેનો ટ્રાઈકો કોર્પ ચલાવે છે જેમાં દેશ વિદેશના 8 હજાસ્થી વધુ તબીબોને કાર્ડિયોલોજીની તાલીમ આપી છે. તેમના દ્વારા લખવામાં આવેલ ત્રણ બુક હાલ કાર્ડિયોલોજીના અભ્યાસમાં સામેલ છે. તેમને ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. કે. એમ. શરન કાર્ડિયોલોજી એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. કોરોના કાળમાં દેશભરના તબીબો માટે સતત માર્ગદર્શક બની લોકોના જીવ બચાવવા પ્રયાસ કરનાર પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર છે. કોરોના કાળમાં તેઓ સતત વિવિધ માધ્યમો દ્વારા દર્દીની યોગ્ય સારવાર માટે તબીબોને માર્ગદર્શન આપતા હતાં. ફેફસાના રોગના નિષ્ણાત ડો. ગુલેરીયાને રેસ્પીરેટરી મેડિસીનના હરતા ફરતા એન્સાયક્લોપિડિયા માનવામાં આવે છે. હાલ તેઓ ઈન્સીટપુષ ઓફ ઈન્ટરનલ મેડિસીન એન્ડ રેસ્પીરેટરી એન્ડ સ્લીમ મેડિસીન-મેદાંતા હોસ્પિટલના ચેરમેન તરીકે કાર્યસ્ત છે. પદ્મશ્રી ડો. કમલ શેઠી કોરોનરી એન્જીયોગ્રાફી એન્ડ કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝીયોલોજી ઈન ઈન્ડીયાના પાયોનિયર પૈકીના એક ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. ડી. પી. બાસુ યંગ ઈન્વેસ્ટીગેટર એવોર્ડ ઓફ કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઈન્ડીયા, સ્કાર્સ એવોર્ડ અવધકશ્રી એવોર્ડ, સ્વામી વિવેકાનંદ એવોર્ડ, ઈન્સ્પાયરીંગ કાર્ડિયોલોજીસ્ટ ઓફ ઈન્ડીયા એવોર્ડ, ટાઈમ્સ હેલ્થ કેર એચીવર્સ એવોર્ડ (લીજન્ડ), ચિકિત્સા રત્ન એવોર્ડ, સી.એસ.આઈ. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

દેશના ખ્યાતનામ એન્ડોક્રાઈનોલોજીસ્ટ એન્ડ ડાયાબીટેલોજીસ્ટ છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં તેમણે કોરોના ટાસ્ક ફોર્સમાં રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી નિભાવી લોકોની સેવા કરી હતી. તેઓ હાલ લીલાવતી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર-મુંબઈમાં ક્ધસલટન્ટ એન્ડોક્રાઈન એન્ડ મેટાબોલીક ફિઝીશીયન તરીકે સેવા આપે છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન -નવી દિલ્હી હેડ ક્વાર્ટરના માનદ્ મંત્રી તરીકે સેવા આપતા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. અનિલ નાયક ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – ના આગામી વર્ષના પ્રેસીડન્ટ તરીકે પસંદગી પામ્યા છે.

તેઓ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટીના મેડિકલ ફેકલ્ટીના ડિન, ડેન્ટલ કાઉન્સીલના મેમ્બર, ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલના એક્ઝીક્યુટીવ મેમ્બર, નેશનલ મેડિકલ કમિશનના મેમ્બર, ગુજરાત મેડિકલ કાઉન્સીલના એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે સેવા આપે છે. ડૉ. અનિલ જૈન જાણીતા કાર્ડિયોલાસ્ક્યુલર – થોરાસીક સર્જન છે. તેમણે ત્રણ દાયકાના તેમના અનુભવ દરમિયાન કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે ‘બીમા’ સર્જરી સહિત અનેક નવી શોધ કરી છે, 45 હજારથી વધુ કાર્ડિયાક સર્જરી કરી છે.

એરોટીક વાલ્વ રીપેર-સર્જરીના પાયોનીયર માનવામાં આવે છે. તેઓ તબીબ તરીકે હદયરોગના દર્દીઓની સારવાર કરવા સાથે લોકો હદય રોગમાં સપડાય નહી એ માટે લોક જાગૃતી માટે પ્રયાસ કરતા રહે છે, તેમના દ્વારા 250 થી વધુ લોક જાગૃતીના સેમીનાર અને 500 થી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. એપીક મલ્ટીસુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ-અમદાવાદના સ્થાપક ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. ડૉ. અભિજાત શેઠ અમદાવાદની એપોલો હોસ્પિટલના જાણીતા કાર્ડિયાક સર્જન છે. તેઓ પી.જી. કોર્ષ અને ડી.એન.બી. પી.જી. કોર્ષની એક્ઝામ જેના દ્વારા લેવામાં આવે છે એ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશન ઈન મેડિકલ સાયન્સ (એન.બી.ઈ.એમ.એસ.)ના ચેરમેન તરીકે સેવા આપે છે. નાભ ગવર્નિંગ બોર્ડના મેમ્બર છે. દસ વરસ સુધી તેમણે યુ.કે.માં કાર્ડિયાક સર્જરીની પ્રેક્ટીસ ર્ક્યા બાદ વરસોથી તેઓ અમદાવાદ ખાતે કાર્યરત છે.

અમદાવાદના ડૉ. નિતીન વોરા ગુજરાત મેડિકલ કાઉન્સીલના પ્રેસીડન્ટ અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ડિન, ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર, એમ.સી.આઈ.ની ફાઈનાન્સ કમીટીના ચેરમેન, પોસ્ટ ગ્રેજ્યુએટ કમીટીના મેમ્બર તરીકે સેવા આપે છે. તબીબ તરીકે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પેપર, પોસ્ટર પબ્લીશ ર્ક્યા છે.

ડૉ. સંદિપ રાય મુંબઈની એપોલો હોસ્પિટલના જાણીતા ફિઝીશીયન છે. તેઓ ડાયાબીટીસ સ્પેશ્યાલીટી સેન્ટર-એડવાન્સ સેન્ટર ઓફ ડાયાબીટીસ કેર એન્ડ રીસર્ચ-એમ.જે.એમ. ઈન્સ્ટીટ્યુટ હેલ્થ સર્વિસના વડા તરીકે સેવા આપે છે. તેમને રીસર્ચ, પબ્લીકેશન અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ લાઈમ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. અનિલ કારાપુરકર મુંબઈના જાણીતા સિનિયર ન્યુરોસર્જન છે. ન્યુરોસર્જરી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ડૉ. કારાપુરકર દ્વારા ન્યુરોસર્જરીની અનેક બુકમાં ખાસ ચેપ્ટર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમણે ન્યુરોસર્જરી અને જનરલ વિષય પર દેશ-વિદેશમાં અનેક લેક્ચર આપી તબીબો અને લોકોનું માર્ગદર્શન ર્ક્યું છે. તેઓ એ.એ.એફ.આઈ.ટી.એન.ના પૂર્વ પ્રમુખ છે, સોસાયટી ફોર ન્યુરો વાસ્ક્યુલર ઈન્ટરવેશન્સના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે. ગુજરાત આઈ. એમ. એ. ના સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ.હિરેન કોઠારી, ડૉ. દિપેશ ભાલાણી,સાયન્ટીફીક કમીટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશિલ કારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

TAGGED: Padma awards, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં 18 માસમાં સિંહ દર્શન પ્રોજેકટ પૂર્ણ થશે, 20 કરોડના ખર્ચે દીવાલ બનશે
Next Article જૈનમ કામદાર નવરાત્રી-2024નો નવદુર્ગાની આરાધના, સંગીતની સાધના સાથે ધમાકેદાર શુભારંભ કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?