દિવસે વીજળી મળવાથી રાત ઉજાગરા દૂર થયા અને જાનવરોનો પણ ભય દૂર થયો: ખેડૂત સંજયભાઇ સાંખટ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
- Advertisement -
કિસાન સૂર્યોદય યોજના (ઊંજઢ), જેના થકી ગીર સોમનાથ જિલ્લામાં 235 ફિડર થકી 82,034 ખેડૂતોને દિવસે વીજળીનો લાભ મળી રહ્યો છે. આ અંગે ઉના તાલુકાના સીમર ગામના ખેડૂત સંજયભાઇ સાંખટે જણાવ્યું હતું કે, પહેલા ખેડૂતોને રાત્રે વીજળી મળતી હતી, જેના કારણે રાત્રે પાણી વાળવા જવામાં તકલીફ પડતી હતી. પાણીનો વ્યય પણ ઘણો થતો હતો, ને રાત્રે જાનવરોનો ડર પણ રહેતો હતો. હવે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત છેલ્લા વર્ષોથી અમને દિવસે વીજળી મળે છે, જેના થકી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. હવે ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં ખેતરમાં પાણી મળી રહે છે અને સમયનો પણ બચાવ થાય છે. આ માટે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માનું છું.
કિસાન સૂર્યોદય યોજનાના અમલીકરણ થકી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી હોવાથી, તેઓ દિવસ દરમિયાન યોગ્ય સમયે ખેતરમાં સારી રીતે સિંચાઈ કરી શકે છે અને વધુ પાક ઉત્પાદન મેળવી શકે છે, જે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં પરિણમે છે. ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સતત મજબૂતીકરણ સાથે, રાજ્ય સરકાર કિસાન સૂર્યોદય યોજનાનું તબક્કાવાર અમલીકરણ ચાલુ રાખશે, જે ખેડૂતોને દિવસના સમયે વિશ્વસનીય અને ટકાઉ વીજ પુરવઠો સુનિશ્ચિત કર્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.



