ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા: મનપાની 38,893 ઘરોમાં પોરાનાશક કામગીરી, ફિલ્ડવર્કરો દ્વારા 287 ઘરમાં ફોગીંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ચોમાસુ બેસે તે પહેલા જ રોગચાળાએ માથુ ઉચક્યું છે. આજે રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આંકડાઓએ લોકોની ચિંતા વધારી છે. છેલ્લાં એક અઠવાડિયામાં જ ડેન્ગ્યુના 2 કેસ નોંધાયા છે. આ સાથે જ ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસ 17 તો મેલેરિયાના કુલ કેસનો આંકડો 6એ પહોચી ગયો છે. આ સિવાય અઠવાડિયામાં શરદી-ઊધરસના 758 તો સામાન્ય તાવના 893 કેસો નોંધાયા છે. જ્યારે ટાઇફોઇડના 2 તો કમળાના 4 કેસ નોંધાયો છે. જેથી મનપાએ 38,893 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 9-6 થી 15-6 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 38893 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 287 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 799 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂરલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 80 અને કોર્મશીયલ 334 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.