ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા પરથી કુલ સાત ચરસના પેકેટ મળી આવ્યા છે, જેનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઓડદરના દરિયાકિનારે પાંચ પેકેટ અને માધવપુરના દરિયાકિનારે બે પેકેટ મળી આવ્યા હોવાનું કહેવાય છે.દ્વારકાના દરિયાકિનારે કરોડો રૂપિયાના ચરસના પેકેટ મળ્યા બાદ પોરબંદરના દરિયાકિનારે પણ ગઇકાલે સોમવારે ચરસના પેકેટ મળતાં તાત્કાલિક પોલીસે ડોગ સ્ક્વાડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરના દરિયાકિનારે કુલ સાત ચરસના પેકેટ મળ્યા છે. હજી સુધી પોલીસ વિભાગ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.પોલીસ દ્વારા હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારમા ગહન શોધખોળ કરવામાં આવી રહી છે અને વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
- Advertisement -