મોરબી નગરપાલિકા અને સ્ટેટ હાઈવે વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશનની નજીક સેન્ટમેરી ફાટક તરીકે ઓળખાતા નવલખી તરફ જતા રસ્તામાં શહેરના રસ્તા ઉપર સતત ટ્રાફિક રહેતો હતો અને વારંવાર આ સેન્ટમેરી ફાટક રેલ્વે ટ્રાફિકને કારણે બંધ કરવી પડતી હતી. આ સમસ્યા અંગે નગરપાલિકાના હોદ્દેદારોએ અને શહેર સંગઠને મોરબીના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરી હતી.
આથી મંત્રીએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં નગરપાલિકા દ્વારા જરૂરી દરખાસ્ત કરાવી હતી અને વડોદરાની એજન્સી દ્વારા તેનો ફિઝીબીલીટી રિપોર્ટ સત્વરે બને એવું ફોલોઅપ કરાવ્યું હતું. પરિણામે સેન્ટમેરી સ્કુલ પાસેના નવલખી તરફ જતા રસ્તામાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફાટક કઈ34ઇ ઉપર રૂપિયા 63 કરોડ 85 લાખના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ ટુ લેન્ડને શહેરી વિકાસ ખાતું સંભાળતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી છે તે બદલ મંત્રી મેરજાએ મોરબીવાસીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, હોદેદારો અને સંગઠનવતી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.