-ચીને મહામારી પર નિયંત્રણ કરવાને બદલે તેનો ખુલાસો કરનાર ડોકટરોને ચૂપ કરી દીધા
આજે દુનિયામાં કોરોનાનો ખોફ દુર થઈ ગયો છે. એક ખરાબ સ્વપ્ન બન્યુ છે. ચીનના વુહાનમાંથી પ્રસરેલી આ મહામારી પર ઢાંકપીછોડો કરવાને બદલે ચીને તરત જ કોઈ નિર્ણય લીધો હોત તો દુનિયામાં 60 લાખ લોકોના કોરોનાથી થયેલા મોત અટકાવી શકાયા હોય.
- Advertisement -
ઓસ્ટ્રેલીયાની સીડની યુનિ.નાં વાયરોલોજીસ્ટ પ્રોફેસર એડવર્ડ હોમ્સે માર્ચ 2020 માં મેસેજીંગ સોફટવેર સ્લકની એક ખાનગી ચેનલ પર અનેક ખુલાસા પોતાના કલીગ્સ સામે કર્યા હતા.તેમણે દાવો કર્યો હતો કે ચીનને અગાઉથી જ વાયરસનાં જીનોમ સીકવેન્સીંગનાં બારામાં ખબર પડી ચુકી હતી. ચેનલની શરૂઆત ફેબ્રુઆરીમાં નેચર મેડીસીન પેપરનાં આર્ટીકલ પર ચર્ચા કરવાને કરાઈ હતી. 17 માર્ચ 2020 માં તે આર્ટીકલને પબ્લીક કરાયો હતો.
રીસર્ચમાં સાર્સ-કોવ-રના જીનોમનું વિશ્વેષણ કરવામાં આવ્યુ છે તેમાંથી નિષ્કર્ષ નીકળ્યુ હતું કે કોરોના પ્રયોગ શાળામાં નહોતો બન્યો કે ના કોઈ તેમાં હેરફેર કરાઈ હતી.પરંતુ ચીને ડેટા શેર કરતા અધિકારીઓ પર નિયંત્રણ કરવા અને બીમારી (કોરોના)ના બારામાં બતાવનારા ડોકટરોને ચુપ કરાવવામાં લાગ્યુ હતું ચીને 2020 ના મધ્યમાં ડબલ્યુએચઓ સામે એ વાતનો પણ ઈન્કાર કર્યો હતો કે કોરોના માણસથી માણસમાં ફેલાય છે. જો ચીને વહેલા એકશન લઈ લીધા હોત તો વૈશ્વીક સ્તરે કોરોનાથી 60 લાખ લોકોના મોતને 95 ટકા સુધી નિવારી શકાયા હોત.