દેશમાં કુલ 3976 એક્ટિવ કેસ, કેરળમાં સૌથી વધુ 1435 કેસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
- Advertisement -
દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 1976 પર પહોંચી ગઈ. આરોગ્ય વિભાગની વેબસાઇટ અનુસાર, 10 દિવસમાં કેસ 15 ગણા વધ્યા છે. કેરળમાં સૌથી વધુ 1435 કેસ છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બીજા સ્થાને છે. અહીં 506 દર્દીઓ છે. કોરોનાથી મૃત્યુઆંક 34 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 6ના મોત થયા છે. રવિવારે દિલ્હીમાં એક 22 વર્ષની યુવતી અને તમિલનાડુમાં એક 25 વર્ષના યુવકનું કોરોનાથી મૃત્યુ થયું. સોમવારે અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત નોંધાયા છે.
સતત વધી રહેલા કેસ વચ્ચે, કર્ણાટક સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી. તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફના કિસ્સામાં, લોકોને તાત્કાલિક ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યમાં 238 એક્ટવ કેસ છે.અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતી બે દિવસ પહેલાં શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે વહેલી સવારે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
દાણીલીમડાના શાહઆલમ વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલાનું પણ કોરોનાથી મોત થયું છે. મૃતક મહિલા 23 મેએ સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. મૃતક મહિલાને હાઇપરટેન્શન અને બીપી જેવી બીમારી હતી. શુક્રવારે મિઝોરમમાં બે લોકોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવો છેલ્લો કેસ નોંધાયાના 7 મહિના પછી કોવિડના કેસ મળી આવ્યા હતા. મિઝોરમમાં કોવિડ-19નો છેલ્લો કેસ ઓક્ટોબર 2024માં નોંધાયો હતો, જે દરમિયાન રાજ્યમાં 73 લોકો વાયરસથી સંક્રમિત થયા હતા.તેમણે જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર આઈઝોલ નજીક ફાળકોનમાં ઝોરામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (ણખઈઇં) કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગના ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (ઈંઉજઙ) એ લોકોને ગભરાવાની જરૂર નથી તેવું કહ્યું છે. ઈંઉજઙ એ લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની, નિયમિતપણે હાથ ધોવાની, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અને ભીડવાળા વિસ્તારોમાં જવાથી બચવાની સલાહ આપી છે.
- Advertisement -
કોરોનાથી થયેલાં મોત અને આંકડા AMC છુપાવે છે
દાણીલીમડાની મહિલાનું 4 દિવસ પહેલાં મોત થયાનો ઘટસ્ફોટ, રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા
ફરી એકવાર તંત્રની કોરોનાને લઈને પોલંપોલ સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવતો હોવાનું જાણવા મળ્યું છે. દાણીલીમડાનાં 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28મી મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે.અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી તો તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના કુલ કેટલા કેસ છે અને મૃત્યુ થાય છે એની માહિતી હું આપને મેળવીને કહું છું… રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આજે વધુ 2 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ ગઈ છે. આજના 2 સહિત કુલ 6 દર્દી હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થઈ ગયા છે.
એક દર્દી ઘરથી દૂર રહેવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે, પણ તેની તબિયત સ્થિર છે, બાકીના 37 દર્દી હજુ પણ હોમ આઇસોલેટેડ છે. તમામની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.ગઇકાલે 1 જૂને રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસોમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે.