લોકસભા અને દેશની બીજી વિધાનસભાની જેમ જ જમ્મૂ-કાશ્મીર અને પુડુચેરી વિધાનસભામાં પણ એક તૃતંયાંશ સીટ મહિલાઓ માટે સુરક્ષિત રાખવામાં આવશે. બંન્ને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નારી શક્તિ વંદન બિલ લાગુ કરવા માટે મંગળવારના લોકસભામાં જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બીજા સંશોધન બિલ અને સંઘ રાજ્ય ક્ષેત્ર શાસન સંસોધન બિલ લાગુ કરવામાં આવ્યા.
આ બિલો કાયદા રૂપે પસાર થયા પછી જમ્મૂ-કાશ્મીરની 144 સીટોમાંથી 38 તો પુડુંચેરીની 30માંથી 10 સીટો મહિલાઓ માટે સુરક્ષિત કરવામાં આવશે. સાંસદના આ સત્રમાં જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાંથી બે સીટો કાશ્મીરી વિસ્થાપિતો અને 1 સીટ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(પીઓકે) માટે સુરક્ષિત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સત્રમાં આના માટે જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 2019માં સંશોધન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
તૃણમૂલના સૌગત રાયે કર્યો વિરોધ
લોકસભામાં જયારે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે બિલ પસાર કર્યું, ત્યારે તૃણમૂલના સૌગત રાયે તેમનો વિરોધ કર્યો. તેમણે પ્રશ્ન કર્યો કે, આ બાબતને લઇને આટલી જલ્દી કેમ છે? મહિલા આરક્ષણ બિલ પહેલા સરકારે વિધાનસભાની ચુંટણી કરવી જોઇએ. કેલમ-370 હટાવવા માટે પણ કેન્દ્ર સરકાર જમ્મૂ-કાશ્મીરમાં કેટલાય મહત્વના ફેરફાર કરવા જઇ રહી છે. આ સત્રમાં વિધાનસભાની સીટોની સંખ્યા વધારવા, ઓબીસી, એસસી-એસટી આરક્ષણ કાઢવા, એશટીમાં નવી જાતિઓને સામેલ કરવાના બિલોને મંજૂરી મળી છે. જયારે રાજ્યમાં બીજા રાજ્યો અને લોકસભાની જેમ એક તૃતયાંશ સીટો પર મહિલાઓ માટે સુરક્ષિત કરવા સંબંધી બિલ પણ પસાર કરવામાં આવ્યું છે.
46,631 કાશ્મીરી પરિવારોએ ઘાટીને છોડી
નિત્યાનંદના જણાવ્યા અનુસાર, 46631 કાશ્મીરી પ્રવાસી પરિવાર રાહત સંગઠન(પ્રવાસી)ની સાથે લિંક છે. આ એ લોકો છે, જેઓ સુરક્ષાના કારણે ઘાટી છોડવી પડી છે. જેમાં 1,57,967 લોકો છે. સાંસદ કલાબેન મોહનભાઇ ડેલકરના પ્રશ્ન પર રાયે જણાવ્યું કે, કાશ્મીરી પ્રવાસિઓ ઘાટીમાં પાછા ફરવા માટે 5,675ને સરકારી નોકરી આપવામાં આવશે, 6,000 ઘર બનાવવામાં આવી રહ્યા છે. 880 ફ્લેટ બનાવવામાં આવ્યા છે.



