ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર દ્વારા 28મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન તા. 29-12 ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. સવારે 6 કલાકે મંગળાઆરતી, સવારે 7-30 નવચંડી યજ્ઞ પ્રારંભ થશે. સવારે 8-30 કલાકે ધજાઆરોહણ તથા 10-00 કલાકે દીપ પ્રાગટ્ય તથા માતાજી સ્તુતિ ગરબા વાસુદેવ પાટડીયા કલાકાર દ્વારા કરવામાં આવશે. સવારે 11 કલાકે મહંત આશીર્વચન બપોરે 1-30 કલાકે શ્રીફળ હોમવાનું તથા આરતી કરવામાં આવશે.
- Advertisement -
આ 28મો નવચંડી યજ્ઞ તથા વાર્ષિક સ્નેહસંમેલનમાં સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર આશરે 3000 જનમેદની આવશે. સમસ્ત શ્રીમાળી સોની પાટડીયા પરિવાર રણુ કાર્યવાહક સમિતિના હોદ્દેદારો ગીરીશભાઈ માણેકલાલ પાટડીયા, વિપુલભાઈ સૂર્યકાંત પાટડીયા, રાજ પ્રકાશભાઈ પાટડીયા, વિજયભાઈ માણેકલાલ પાટડીયા, મહેશભાઈ પાટડીયા, જયેશભાઈ ડાયાલાલ પાટડીયા, ઉપેન્દ્રભાઈ ઈશ્ર્વરલાલ પાટડીયા, મહેશભાઈ ગોરધનભાઈ પાટડીયા અમદાવાદ, રાજેશભાઈ લાભુભાઈ પાટડીયા, પ્રવિણભાઈ ત્રિભોવનદાસ પાટડીયા, પ્રકાશભાઈ ભગવાનદાસ પાટડીયા, સચિનભાઈ જગદીશભાઈ પાટડીયા, આશિષભાઈ કમલેશભાઈ પાટડીયા વડોદરા, હર્ષદભાઈ શાંતિલાલ પાટડીયા હળવદ, જીગ્નેશ નટવરલાલ વાગડીયા, કલ્પેશભાઈ હસુભાઈ પાટડીયા, નલીનભાઈ જેન્તીલાલ પાટડીયા રાજકોટ, નિલેશભાઈ શાંતિલાલ જડિયા ગોંડલ, જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા, નલીનભાઈ પાટડીયા ઢોલરાવાળા કલ્પેશભાઈ પાટડીયા પરેશભાઈ પાટડીયા, નિલેશભાઈ શાંતિલાલ જડીયા રાજકોટ વગેરે શહેરના હોદ્દેદારો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.