– ભારત પણ તપાસ કરશે
ભારતીય કંપનીની બનાવટની કફસિરપ લીધા બાદ ઝામ્બીયા બાદ હવે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મોત થયા હોવાનુ બહાર આવ્યુ છે. ભારતીય દવા ઉત્પાદક કંપની મેરીઓન બાયોટેકની કફ સિરપ અપાયા બાદ 21માંથી 18 બાળકોના મોત થયા હોવાનો ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે.
- Advertisement -
શ્વાસની બિમારીથી પીડાતા બાળકોને આ સિવાય અપાયા હતા ત્યારબાદ તેઓના મૃત્યુ નિપજયા હતા. શરદી અને ફલુના લક્ષણોમાં આ સિરપ આપવાનો કંપની દ્વારા દાવો કરાયો હતો. ઉઝબેક કંપની દ્વારા ભારતમાંથી આ સિરપ આયાત કરવામાં આવી હતી.
ઉઝબેકિસ્તાનના આરોગ્ય વિભાગે એમ પણ કહ્યું કે ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વિના બાળકોને ઘેર જ આ સિરપ આપવામાં આવી હતી. બાળકોને નિયત કરતા વધુ ડોઝ અપાયા હતા કે શંકાસ્પદ બેચની જ સિરપ મોતને ભેટેલા તમામ બાળકોએ લીધી હતી કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.