-બસનું ટાયર ફાટતાં બસ પલટી ગયા બાદ આગ લાગી, 8ની હાલત ગંભીર
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
- Advertisement -
Maharashtra | At least 25 people feared dead and several injured after a bus carrying 32 passengers burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana. The injured are being shifted to Buldhana Civil Hospital: Dy SP Baburao Mahamuni, Buldhana
(Warning: Disturbing… pic.twitter.com/NLo8pcqpz3
— ANI (@ANI) July 1, 2023
- Advertisement -
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી બસને બુલઢાણાના સિંદખેડમાં રાજા શહેર નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો.
#WATCH | Maharashtra: Visuals from Samruddhi Mahamarg expressway in Buldhana where 26 people died and 8 others were injured after a bus travelling from Nagpur to Pune met with an accident. pic.twitter.com/3JTRLzKuZH
— ANI (@ANI) July 1, 2023
અકસ્માત બાદ સિટી લિંક ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ ફાટી નીકળી ગયા બાદ બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરોના મોત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે.
Maharashtra | Several feared dead after a bus burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana: Buldhana Police pic.twitter.com/Zs6Mt0tfsT
— ANI (@ANI) July 1, 2023
શું કહ્યું બુલઢાણાના એસપીએ ?
બુલઢાણાના એસપી સુનીલ કડાસેનરે જણાવ્યું કે, આ દુર્ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગે થઈ હતી. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસનો ડ્રાઈવર સુરક્ષિત છે. તેણે જણાવ્યું કે, બસનું ટાયર ફાટવાથી બસ પલટી ગઈ અને બાદમાં બસમાં આગ લાગી. અકસ્માતના કારણે માર્ગ અવરોધાયો હતો. હાલમાં ટ્રાફિક પોલીસ વહેલી તકે એક્સપ્રેસ વેને પુન: શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.