By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!
ધર્મરાજકોટ

દ્વારકા: કૃષ્ણનાં ભવ્ય જીવનનું સાંપ્રત પ્રતિબિંબ!

Khaskhabar Editor
Last updated: 2020/08/11 at 11:11 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

પરખ ભટ્ટ

ઇતિહાસકારો પુરાતત્વશાસ્રીઓ, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોનો મુખ્ય મુદ્દો બની ચૂકેલી દ્વારકાનું મહત્વ સવિશેષ એટલા માટે છે કારણકે જરાસંઘનાં ત્રાસથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વયં લીલાધરે, ભગવાન વિશ્વકર્માને અહીં ‘નગર’ ખડું કરવાનો આદેશ આપ્યો હતો. 17 વખત મથુરા પર આક્રમણ કરીને કારમો પરાજય જોઇ ચૂકેલ જરાસંઘ હજુ પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કૃષ્ણને થયું કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ તેની પ્રજાનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે. આથી તેમણે પોતાનાં નગરજનોને ગુજરાતનાં દરિયાકિનારે એક શહેર ઉભું કરી ત્યાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. યાદવો માટે ભવ્ય નગર ઉભું કરવા કૃષ્ણે વિશ્વકર્માને તેનું બાંધકામ કરવા જણાવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે દ્વારકાનાં નિર્માણ માટે 12 યોજન જમીનની આવશ્યકતા હતી, જે દરિયામાં ગરકાવ થયેલી હતી. કૃષ્ણે સમુદ્રદેવ પાસે પોતાને જમીન ફાળવવા માટે યાચના કરી. ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું.
મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં. તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે. વીસમી સદીમાં દ્વારકા પર અઢળક સંશોધનો હાથ ધરાયા. નિષ્ણાંતો દ્વારા મહાભારત અને હરિવંશ પુરાણનો અભ્યાસ કરાવીને તેમાંથી દ્વારકા-નગરીનું સાચું લોકેશન જાણવાનાં પ્રયાસો ચાલુ થયા. પૂર્વમાં પિન્દતથી શરૂ કરી, દક્ષિણમાં ઓખામઢી સુધી! ઉત્તરમાં શંખોધરા શહેર સુધી શોધખોળ આદરવામાં આવી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશિયોનોગ્રાફી (એન.આઇ.ઓ) અને મરિન આર્કિયોલોજી યુનિટ (એમ.એ.યુ.)નાં સંયુક્ત પ્રયાસો વડે આખરે સમુદ્રમાં ગરકાવ થઈ ચૂકેલી દ્વારકા નગરીનાં પુષ્કળ અવશેષો પ્રાપ્ત થયા. નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પ્રશિક્ષણ પામેલા મરજીવાઓ, ફોટોગ્રાફર્સ, દરિયામાં ઉંડે સુધી જઈ જૂની-પુરાણી ઇમારતોની શોધખોળ આદરી શકે તેવા પુરાતત્વશાસ્ત્રીઓની આખી ટીમને સમુદ્રનાં પાણીમાં ઉતારાઈ. 1983થી 1992 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં પુરાતત્વશાસ્ત્રીઓને હાથ લાગેલા તમામ પુરાવાઓ અને કિંમતી વસ્તુઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી. કાર્બન ડેટિંગ, થર્મો લ્યુમિનેસન્સ અને તેનાં જેવી અન્ય આધુનિક તકનિકીઓની મદદ વડે ઇમારતોની ઇંટ તથા ધાતુની ઉંમર જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ. પ્રોજેક્ટ-હેડ મરિન આર્કિયોલોજિસ્ટ ડોક્ટર રાવ દ્વારા ‘લોસ્ટ સિટી ઓફ દ્વારકા’ નામે એક રિસર્ચ-પેપર રજૂ કરવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરિયામાંથી પ્રાપ્ત થયેલ તમામ ચીજ-વસ્તુ અને બાંધકામનાં નમૂનાઓ ઇસવીસન પૂર્વે 1500ની સાલ (આજથી લગભગ 3500 વર્ષ પહેલાનાં) છે! સદીઓ પહેલા અહીં દ્વારકા વાસ્તવમાં નિર્માણ પામી હતી! (પાણીનાં પ્રવાહને લીધે ઘસાઈ ગયેલા) વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.
દરિયામાં પ્રાપ્ત થયેલી ચીજ-વસ્તુઓ પર ઉંડાણપૂર્વક પ્રયોગો થતાં દ્વારકાની સમૃધ્ધિ વિશેની કેટલીક બાબતો પણ જાણી શકાઈ. સોના-ચાંદી-હીરા-મોતી અને અન્ય કેટલુંક રાચરચીલું બરામત થયું. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ.એસ.મેટ (ખ.જ. ખફયિં) અને ઝેડ.અંસારી (ણ. અક્ષતફશિ) જેવા મહાન પુરાતત્વશાસ્ત્રીઓની તનતોડ મહેનત જાણે રંગ લાવી રહી હોય એમ, દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!
લેબોરેટરીમાં મોકલાયેલા પથ્થરનાં ટુકડા પરથી વૈજ્ઞાનિકો દ્વારકાની સાચી ઉંમર જાણી શક્યા. ભારત સરકાર સમક્ષ પેશ થયેલા રિપોર્ટમાં જણાવાયું કે, દ્વારકાનું અસ્તિત્વ ફક્ત 60-70 વર્ષનું જ હતું. બહુ ટૂંકાગાળા માટે વસાવવામાં આવેલી આ નગરી ઇસવીસન-પૂર્વે 1443ની સાલમાં પૂરને લીધે વિનાશ પામી! (અહીં આપણું વિજ્ઞાન, ધર્મગ્રંથો કરતાં થોડુંક અલગ પડે છે. ઋષિમુનિઓનાં લખાણ મુજબ, શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા છોડીને ગયા ત્યારે દ્વાપર-યુગનો અંત અને કળિયુગની શરૂઆત થવાની હતી. આથી થોડું ઉંડાણપૂર્વક વિચારીએ તો, આજની તારીખ-પધ્ધતિ પ્રમાણે તે ઇસવીસન-પૂર્વે 3102નો સમયગાળો ગણી શકાય! જેનો સીધો મતલબ એમ થાય કે દ્વારકા ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલા તો અસ્તિત્વ ધરાવતી હતી!) દ્વારકાની ખોજ થકી એટલું તો સાબિત થઈ જ ગયું કે પૌરાણિક સંસ્કૃતિ અને મહાભારત એ આપણા દેશની સૌથી મહાન વિરાસત છે.
શોધખોળ દરમિયાન પુરાતત્વશાસ્ત્રીઓને એમાંથી ત્રણ મોઢાવાળા પ્રાણીની આકૃતિ ધરાવતું સીલ મળી આવ્યું છે, જેને પુરાણકાણમાં દ્વારકાનાં નાગરિકોને અપાતું હતું. ઉપરાંત, ઇસવીસન-પૂર્વે 3000ની સાલનો એક ઘડો પણ હાથમાં આવ્યો! આ બંને ચીજ-વસ્તુઓનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો છે. ડોક્ટર રાવે પોતે સ્વીકાર્યુ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ એક સમયે ખરેખર આ ધરતી પર શ્વાસ લેતું હતું! તદુપરાંત, શ્રીકૃષ્ણે યાદવોને આપેલ ચેતવણી અંગે વિગતવાર ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે આખું નગર પાણીમાં ગરકાવ થતાં પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. મત્સ્ય પુરાણ, ભગવત પુરાણ અને હરિવંશ પુરાણમાં પણ જણાવાયું છે કે દ્વારકાને પૂર આવતાં પહેલાનાં સાત દિવસ અગાઉથી જ ખાલી કરી દેવાઈ હતી.
તમામ પુરાવાઓને ધ્યાનથી ચકાસીએ તો સમજાય કે, દ્વારકામાં આવી રહેલ પૂરને શ્રી કૃષ્ણ ઘણા દિવસો અગાઉથી જ પારખી ગયા હતાં. આથી તેમણે પોતાનાં નગરજનોને દ્વારકા છોડી અન્ય કોઇ ગામમાં વસી જવાની સલાહ આપી. પરંતુ ગાંધારીનો શ્રાપ સાચો પડતાંની સાથે જ યાદવકુળનો દરેક વ્યક્તિ એકબીજાનાં લોહીનો તરસ્યો બની ગયો અને જેનાં કારણે રચાઈ યાદવાસ્થળી..!!

- Advertisement -

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી

રાજકોટમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના દાગીના લૂંટી કરપીણ હત્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુશાંત: CBI પણ ટૂંકી પડે તેવી સ્યૂસાઇડ – મિસ્ટ્રી
Next Article Cannibal Holocaust એક કદી ન જોવા જેવી ફિલ્મ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વીરપુર પાસે CNG કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ: આજે સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની ઓપનિંગ સેરેમની

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?