જૂનાગઢ મનપા રૂ.200 કરોડનું ટેન્ડર હજુ ઘોચમાં
વિપક્ષ નેતાએ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી
- Advertisement -
તમામ નગર સેવકોને બોલાવીને ચર્ચા બાદ ટેન્ડર બહાર પડશે: સ્થાયી સમિતિ ચેરમેન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ મનપા દ્વારા કરેલા 100-100 કરોડના કામના બે ટેન્ડર ઓનમાં મંજૂર કરવા દરખાસ્ત થઈ હતી. આખરે તેનો વિરોધ થતા આ બંને ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. ઓનમાં ભાવ હતા તો શા માટે અગાઉ નેગોશીએશન ન કરવામાં આવ્યું એ બાબત જ શંકાસ્પદ છે. આથી હવે અગાઉની જેમ વોર્ડના કામ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે એવી માંગ સાથે વિપક્ષ નેતાએ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી તેમજ તકેદારી આયોગ સહિતનાઓને પત્ર ખલી રજૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન માં સો સો કરોડના બે ટેન્ડરો સ્ટેન્ડિંગે રદ કરીને નવો ઇતિહાસ કર્યો છે. આ ટેન્ડરો એવી રીતે પાડવામાં આવ્યા હતા કે પાંચ વર્ષ માટે એક જ કંપની કામ કરે. જ્યારે શહેર આખું એક કંપની સંભાળે ત્યારે કેવી હાલત થાય તે અત્યારે શહેરીજનો ભોગવી રહ્યા છે. આ બાબતે વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગનું ધ્યાન દોરતા ટેન્ટર રદ્દ થયું હતું. વિપક્ષી નેતા લલિત પણસારાએ વધુ કહ્યું કે સૌપ્રથમ 200 કરોડના ટેન્ડરો 30 કરોડ ઊંચા ભાવથી આપવામાં આવ્યા હતા.
એટલે કે 230 કરોડના ટેન્ડરો થતા હતા. મ્યુનિસિપલ કમિશનરે આ ટેન્ડર કરવા માટે સ્ટેન્ડિંગમાં મંજૂરી માટે મૂક્યા હતા. પરંતુ અમે વિરોધ કરતા નેગોસીએસન માટે ફરી મૂકતા 210 કરોડના ટેન્ડર થયા હતા. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 230 કરોડના ટેન્ડરો કરવા પડશે. અમારા વિરોધ બાદ 20 કરોડ બચી ગયા હતા. પણ અમે સ્ટેન્ડિંગ ચેરમેનને સમજાવતા તેમણે આ પણ રદ કર્યું હતું. જૂનાગઢ મનપાના ઇતિહાસમાં 200 કરોડના એડવાન્સ ટેન્ડર માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે કરવામાં આવ્યા હતા. જો આ ટેન્ડરો થઈ ગયા હોત તો મનપાને દસ કરોડ વધારે દેવા પડ્યા હોત. જો નેગોસિયેશન માટે કરવાનું જ હોય તો વિરોધ થયા બાદ શા માટે? શું કોર્પોરેશન ના પૈસા બચાવવા એ ફક્ત વિપક્ષનું જ કામ છે? જ્યારે મ્યુનિસિપલ કમિશનર આ ટેન્ડર લઈને આવ્યા ત્યારે સત્તાધારી નેતાઓ એ શા માટે વિરોધ કર્યો ન હતો? એક્માત્ર સ્ટેન્ડિંગ ચેરમેન પલવીબેન ઠાકર જ વિરોધ કરી રહ્યા હતા. અંતે તેમણે આ ટેન્ડર રદ કર્યું હતું.
- Advertisement -
તમામ નગરસેવકોને બોલાવીને બેઠક કરી પછી ટેન્ડર પ્રક્રિયા થશે
આવું ટેન્ડર જૂનાગઢની પ્રજા માટે બરાબર ન હતું. એક કંપની 5 વર્ષ માટે કામ કરે તો કામ બરાબર ના થાય. વોર્ડ વાઈસ ટેન્ડર થવું જોઈએ. અમે તમામ નગર સેવકોને બોલાવીને તેમના વોર્ડમાં કામ બાબતે ચર્ચા કર્યા બાદ નવું ટેન્ડર બહાર પાડવામાં આવશે. તેમ જૂનાગઢ મનપા સ્થાહી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યુ હતુ. હવે આગામી દિવસોમાં શું નિર્ણય આવશે તે જોવાનું રહ્યું.