વૈશાખ સુદ તેરસના રોજ પ્રવેશેલા 150 વર્ષ નિમિત્તે મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીઓની વણઝાર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ મંદિરનો આજ વર્ષના વૈશાખ સુદ તેરસના રોજ સાર્ધ શતાબ્દી (150 વર્ષ)માં શાનદાર પ્રવેશ થયો તે નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા અત્યંત ગરીબ અને નાના માણસોના બાળકો માટે અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી તદ્પરાંત આજ વર્ષમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણીની રૂપરેખા તૈયાર કરી છે. શિવભક્તો માટે અતિપ્રિય શ્રાવણ માસના ચારેય સોમવાર દરમિયાન મહાદેવજીના શિવલિંગને ઘીનો અદભૂતપૂર્વક શણગાર સજાવવામાં આવે છે પ્રથમ સોમવારે શિવ પરિવાર એટલે કે મૃત્યુંજય દ્વિતીય સોમવારે માર્કન્ડેય સ્વરૂપ તૃતીય સોમવારે ગંગાજી અવતરણ ચતુર્થ સોમવારે વિષ્ણુ સૈયા એટલે કે સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન શિવજીના ભક્તોને કરાવવામાં આવે છે.
- Advertisement -
તદુપરાંત બપોરે 11/45 કલાકે સંકુલમાં આવેલ તમામ સોળ મંદિરમાં રાજભોગ ધરાવતાની સાથે આરતી કરવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ 121થી વધુ વિપ્રોને મહાપ્રસાદ સ્વરૂપે બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. દર વર્ષે આખા શ્રાવણ માસ દરમિયાન પ્રખર શિવભક્ત એવા સુભાષચંદ્ર (મહારાષ્ટ્રીયન) શિવજીને પ્રસન્ન કરવાના આસ્થા સાથે ખાસ નગારા વગાડવા માટે જયપુર રાજસ્થાનથી સ્વ ખર્ચે આવે છે સુભાષબાબૂ દ્વારા વગાડવામાં આવતો નગારાના અવાજની સાથોસાથ ઘંટનાદના ઘ્વનિનો સમન્વય અને આખા મંદિરમાં પ્રસરતી ઘૂપની મહેકનુ દિવ્ય વાતાવરણ ખરેખર મહાદેવજીના દર્શન કરતાંની સાથે મનને પ્રફુલ્લિત કરે છે
આ મનભાવન આરતી દરમિયાન મંદિરમાં રહેલા તમામ દર્શનાર્થીઓને શ્રાવણ માસના ચારેય સોમવારે ફરાળી પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છેતેમજ શ્રાવણ માસમાં ચારેય સોમવારેબિલીપત્ર ના 200 રોપાનું સવારે 10:30 થી 12:30વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. સાથો સાથ બીજા અને ત્રીજા સોમવારે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ ઉપપ્રમુખશ્રી વસંતભાઈ જસાણી માનદમંત્રીશ્રી મયુરભાઈ શાહ કોષાધ્યક્ષશ્રી મહેન્દ્રસિંહ ગોહેલ ટ્રસ્ટીશ્રીઓ ડો રવિરાજ ગુજરાતી ,અનીલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, ડી વી મેહતા, જૈમીનભાઇ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા જેવા સેવાભાવી આગેવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.