By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    4 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    4 hours ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    5 hours ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    2 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    2 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    4 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    4 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રાન્સલુનાર ઇન્જેક્શન શું છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > ટ્રાન્સલુનાર ઇન્જેક્શન શું છે?
AuthorHemadri Acharya Dave

ટ્રાન્સલુનાર ઇન્જેક્શન શું છે?

Khaskhabar Editor
Last updated: 2023/08/14 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
13 Min Read
SHARE

ભારતીય ચંદ્રયાન-3 અને રશિયન યાન લુના-25 વિશે જાણીએ

કહેવાય છે દોસ્ત દુ:ખી હોય તો ખૂબ દુ:ખ થાય પણ જો આપણાથી આગળ નીકળી જાય તો ઈર્ષ્યા થાય. આવું જ કંઈક ભારત -રશિયા વચ્ચે થઈ રહ્યું છે. રશિયા અને ભારત બંને છેલ્લા લગભગ સાત દાયકાથી મજબૂત મિત્ર છે. પણ હમેશા ‘પ્રથમ’ રહેવાની રશિયાની જીદ આગળ મિત્રતા પાછી પડી છે. રશિયાના સ્પર્ધાત્મક વલણથી કોઈ અજાણ નથી. જર્મની અને જાપાનને બીજા વિશ્વયુદ્ધમાં સાથે મળીને માત આપનાર અમેરિકા સાથે રશિયાનું શીત યુદ્ધ (વૈશ્વિક રાજકારણની ગઈ સદીની મહત્વની ઘટના) પાછળના અનેક પરિબળોમાં એક એ પણ હતું કે પરમાણુ બોમ્બ બનાવવામાં અમેરિકા તેનાથી આગળ કેમ નીકળી ગયું? હીરોશીમાં અને નાગાસાકી પર બોમ્બ ફેંકવાની યોજના બાબતે અમેરિકાએ રશિયાને કેમ અવગત ન કર્યું વગેરે..આપણું ચન્દ્રયાન-3 હવે પૃથ્વીની કક્ષા છોડીને ચન્દ્રની ઓર્બીટમાં સ્થાપિત થઈ ગયું છે જે લગભગ 23 તારીખે ચંદ્ર પર લેંડ થવાની સંભાવના છે. જો આમ થયું તો આજ સુધી અભેદ્ય રહેલા ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો દુનિયાનો પ્રથમ દેશ બનવા જઇ રહ્યો હતો. ત્યાં જ સમાચાર આવ્યા કે, અંતરિક્ષ ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધામાં કોઈપણ રીતે પોતાને આગળ રાખવાનો પ્રયાસરૂપે રશિયા પણ તેના લુનાર મિશનને આગળ ધપાવતા 11મી ઓગસ્ટે લુના-25 યાન લોન્ચ કર્યું છે. ભારતના આ મિત્ર દેશ દ્વારા લગભગ પાંચેક દાયકાના અંતરાલ પછી આ મિશન એવા સમયે લોન્ચ કરવામાં આવ્યુ છે જ્યારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાને થોડા જ દિવસો બાકી છે. હા, જ્યારે ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રથી થોડે જ દૂર છે! કીક્ષફ-25 અગાઉ ઓક્ટોબર 2021માં લોન્ચ થવાનું હતું. પરંતુ પહેલા કોવિડ અને બાદમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાનીઝ સ્પેસ એજન્સીએ સહયોગ પાછો ખેંચતા તેમાં વિલંબ થયો.

- Advertisement -

ચંદ્રના સૌથી મુશ્કેલ પ્રદેશમાં ઉતરાણ

ચંદ્રનો દક્ષિણ ધ્રુવનો પ્રદેશ એકદમ ખરબચડો હોવાને કારણે ત્યાં લેન્ડિંગ ખૂબ પડકારરૂપ બની જાય છે. અલબત્ત, આ પ્રદેશમાં બ્રહ્માંડની રચનાના અનેક રહસ્યો સચવાયેલા હોવાથી ખૂબ મૂલ્યવાન સ્થળ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અહીં બરફનો નોંધપાત્ર જથ્થો હોઈ શકે છે જેનો ઉપયોગ અહીં આવતા સ્પેસ મિશન માટે ઈંધણ અને ઓક્સિજન તેમજ ભવિષ્યમાં કદાચ પીવાના પાણી માટે થઈ શકે શકયતા છે. ઈંજછઘનો હેતુ ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરનાર પ્રથમ દેશ બનાવવાનો છે. રશિયા પણ આ જ હેતુ સાથે દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું લક્ષ્ય ધરાવે છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું ચંદ્રની સપાટી પર તેના ઉતરાણની લુના-25ની સમયસીમા ચંદ્રયાન-3 ના નિર્ધારિત સમયસીમાની સાથે ટકરાશે? ચંદ્રયાન-3 કે લુના-25 ચંદ્રના સૌથી મુશ્કેલ ભાગ એટલે કે દક્ષિણ ધ્રુવ પર કોણ સૌથી પહેલા પગલાં માંડશે? વોસ્તોચન કોસ્મોડ્રોમથી લોન્ચ થયા પછી, લુના-25ને ચંદ્ર પર પહોંચવામાં લગભગ દોઢ અઠવાડિયું લાગશે અને એકવીસમી ઓગસ્ટના ચંદ્ર પર લેન્ડ કરવાની સંભાવના છે. બરાબર તે જ સમયે, એટલે કે લગભગ ત્રેવીસ ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પર ઉતરી શકે છે. રશિયાની અવકાશ એજન્સી રોસકોસ્મોસે જણાવ્યું છે કે લુના-25 અવકાશયાનને ચંદ્ર સુધી પહોંચવામાં પાંચ દિવસનો સમય લાગશે અને પછી ધ્રુવની નજીક ત્રણ સંભવિત લેન્ડિંગ સાઇટ્સમાંથી એક પર ઉતરતા પહેલા પાંચથી સાત દિવસ ચંદ્રની પરિક્રમા કરશે. રોસ્કોસમોસના(રશિયન સ્પેસ એજન્સી) જણાવ્યા અનુસાર, બંને મિશન, લુના-25 અને ચંદ્રયાન-3 એકબીજાના રસ્તામાં અવરોધ ઉભો નહીં કરે. એજન્સીના જણાવ્યા અનુસાર બંને મિશનમાં ઉતરાણ માટે અલગ-અલગ વિસ્તારોની યોજના છે. તેથી બંને મિશનનાં એકબીજા સાથે અથડાવાની કે એકબીજાને દખલ કરવાની સંભાવના નથી. વળી, ચંદ્ર પર દરેક માટે પૂરતી જગ્યા છે. ચંદ્ર પરના રોકાણ અંગે બન્ને યાનની અલગ અલગ સમયસીમા નિર્ધારિત છે. ભારતનું ચંદ્રયાન-3 બે અઠવાડિયા સુધી અહીં રોકાણ કરીને સંશોધન કરશે જ્યારે લુના-25 એક વર્ષ સુધી ત્યાં રહેશે. લુના-25 તેની સાથે 31 કિલો વજનના મશીન્સ પણ લઈ જાય છે જે ચંદ્ર પર જામી ગયેલાં પાણીની હાજરીનું પરીક્ષણ કરશે તેમજ ખડકને છ ઈંચ સુધી ખોડીને સેમ્પલ એકત્રિત કરશે. શક્ય છે કે આ નમૂનાઓની ભીતર પૃથ્વી તેમજ બ્રહ્માંડના અનેક રહસ્યો છુપાયેલા હોય. રશિયાનું આ લુના-25 ચન્દ્રના બંધારણની તપાસ અંતર્ગત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અનેક પ્રકારના સંશોધન કરશે. આ ઉપરાંત વાતાવરણમાં રહેલા પ્લાઝ્મા અને ધૂળના કણોની પણ તપાસ કરવામાં આવશે. અગાઉ વર્ષ 1976માં સોવિયેત સંઘે લુના-24 મિશન લોન્ચ કર્યું હતું જે તેની સાથે 170લળ ચંદ્રની ધૂળ લાવીને સફળતાપૂર્વક પરત થયું હતું.
આપણું ચંદ્રયાન-3 લગભગ બેતાલીસ દિવસે ચંદ્ર પર પહોંચશે જ્યારે રશિયાનું લુના-25 ફક્ત 11-12 દિવસમાં! એમ થવાના કારણો જોઈએ તો,

- Advertisement -

આકાશમાં ઊડતી પતંગને આપણે લંગર નાંખી લૂંટતા ત્યારે પથર બાંધેલી દોરને ગોળ ગોળ, વધુને વધુ મોટા વ્યાસમાં ઘુમાવીને, આમ કરીને ઉપર તરફ જવાનો દોરીનો વેગ અને બળ વધારતાં તેને પતંગની દોર સુધી પહોંચાડતા. ચંદ્રયાનની ગતિવિધીને ઉપરોક્ત સરળ ઉદાહરણથી સમજીએ તો, પૃથ્વીના ક્રમશ: મોટાને મોટા વ્યાસ વાળા પાંચેક ચક્કર લગાવતા લગાવતા અંતે એક બિંદુએ તેણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળીને ચંદ્રના પરિક્રમા પથમાં પ્રવેશ કર્યો. અને હવે એ જ રીતે ક્રમશ: નાનાને નાના વ્યાસ વાળા પાંચેક ચક્કર લગાવતા લગાવતા તે ચંદ્ર પર લેન્ડ કરશે. જ્યારે આ જ કામ લુના-25 બે-કે ત્રણ ચક્કરમાં પૂરું કરશે.

 

ટ્રાન્સલુનાર ઇન્જેક્શન મેન્યુવર અંતરિક્ષ યાત્રાની મહત્વપૂર્ણ ટેક્નિક છે જેનો ઉપયોગ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ઓર્બીટ પર મૂકવા માટે થાય છે

આમ, ચંદ્રયાન-3 મિશન લુના-25 કરતા લાંબા રૂટ પર મુસાફરી કરી રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, પહેલી ઓગસ્ટ 12 :15 મધરાતે, પંદર દિવસ પૃથ્વીની ઓર્બીટમાં ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળીને ચંદ્રની ઓર્બીટમાં સ્લીંગશોટ વડે (ગોફણની જેમ) સ્થાપિત થઈ ચૂક્યો છે જેને સાયન્ટિફિક ટર્મ્સમાં ટ્રાન્સલુનાર ઇન્જેક્શન કહેવાય છે. ટ્રાન્સલુનાર ઇન્જેક્શન મેન્યુવર અંતરિક્ષ યાત્રાની એક મહત્વપૂર્ણ ટેક્નિક છે જેનો ઉપયોગ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી અવકાશયાનને મુક્ત કરતા કરતા તેને ચંદ્રની ઓર્બીટ પર મૂકવા માટે થાય છે. ઝકઈં ત્યારે કરવામાં આવે છે જ્યારે અવકાશયાન તેની ભ્રમણકક્ષામાં ’પેરીજી’ એટલે કે પૃથ્વીની સૌથી નજીકના બિંદુ તરીકે ઓળખાતા ચોક્કસ બિંદુ પર હોય છે. આ વ્યૂહાત્મક ક્ષણે તેના એન્જિનને ચાલુ કરવાથી, અવકાશયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણના ખેંચાણથી મુક્ત થવા અને ચંદ્ર તરફ તેની મુસાફરી શરૂ કરવા માટે પૂરતી ઝડપ મેળવે છે.
ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ પાંચ પ્રદક્ષિણા કર્યા પછી નિર્ધારિત સ્ટેપસ મુજબ તારીખ 17 થી 25 જુલાઈ વચ્ચે થ્રસ્ટ આપવામાં આવ્યાં. સરળ ભાષામાં કહીએ તો ધક્કો મારવામાં આવ્યો. જેથી તે એક એક કરીને પહેલાથી મોટી ઓર્બીટમાં પ્રવેશ કરી શકે. આ પૂરી પ્રોસેસને ‘ઓર્બિટલ સ્પીડ મેનુવરીંગ’ કહે છે. સૌપ્રથમ 1925માં જર્મન એન્જિનિયર વોલ્ટર હોમેને તેના પુસ્તક ‘ધ અટેનેબ્લીટી ઓફ હેવેનલી બોડી’ માં તેની થિયરી આપી છે. જેમાં કોઈપણ ઓબ્જેક્ટને એક ઓર્બીટમાંથી બીજી ઓર્બીટમાં મોકલવામાં લાગતી મિનિમમ એમાઉન્ટ ઓફ એનર્જીની ગણતરી આપી છે. આ ગણતરીને ‘ધ હોમેન ટ્રાન્સફર’ નામ આપવામાં આવ્યું છે. મૂળભૂત રીતે, આ પ્રોસેસ મુજબ કોઈપણ એલિફ્ટીકલ ઓર્બીટમાં ફરી રહેલા સેટેલાઈટ જ્યારે પૃથ્વીના સૌથી નજીકના પોઈન્ટ ઉપર હોય છે ત્યારે તેને થ્રસ્ટ(ધક્કો, ફોર્સ) આપવામાં આવે છે જેથી તે બીજી મોટી ઓર્બીટમાં પ્રવેશ કરી શકે. આ પ્રોસેસમાં ફ્યલ ફક્ત થ્રસ્ટ આપવાના સ્ટેજમા જ ઉપયોગ થાય છે જેના પરિણામે ફ્યુલનો વપરાશ એકદમ ઓછો થઈ જાય છે. અદલ આ જ પ્રોસેસની મદદથી ચંદ્રયાન-3એ 25 જુલાઈના દિવસે પૃથ્વીની પાંચમી અને આખરી ઓર્બીટમાં પ્રવેશ કર્યો. જેવું ચંદ્રયાન પૃથ્વીની પાંચમી અને આખરી ભ્રમણકક્ષામાં આવ્યું તેણે તેની સ્પીડ વધારી દીધી અને પહેલી ઓગસ્ટની રાત્રે 12:15એ ટ્રાન્સલુનાર ઇન્જેક્શન માટે પૃથ્વી પરથી તેના થ્રસ્ટને એક્ટિવેટ કરવામાં આવ્યું. જેના દ્વારા ચંદ્ર તરફ એક ચોક્કસ પથ પર સફળતાપૂર્વક મોકલી દેવામાં આવ્યું. આપણે સાંભળ્યું કે પંદર દિવસ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ભ્રમણ કર્યા બાદ આખરે તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં વિજ્ઞાનીઓને સફળતા મળી. વિજ્ઞાનીઓ અહીં અને ચંદ્રયાન અંતરિક્ષમાં, તો પછી વિજ્ઞાનીઓને આ નવી સફળતા વળી કેવી રીતે મળી એ સમજીએ. હકીકતમાં આ પુરા મિશનને કમ્પ્લીટ કરવામાં થ્રસ્ટનો રોલ મહત્વનો રહેશે. આ થ્રસ્ટસ ઈંજઝછઅઈ (ઈંજછઘ ઝયહયળયિિું, ઝફિભસશક્ષલ ફક્ષમ ઈજ્ઞળળફક્ષમ ગયિૂંજ્ઞસિ) દ્વારા બેંગ્લોરથી કંટ્રોલ કરવામાં આવે છે. હકીકતમાં ભારતના બધા જ મિશન અહીંથી કંટ્રોલ કરવામાં આવે છે. કારણ કે અહીંથી સેટેલાઈટ ઓર્બિટલ, ઓલ્ટીટ્યુડ, કેપેસિટી જેવા ટેકનીકલ બાબતોના રીયલ ટાઈમ એસેસમેન્ટ થઈ શકે છે. આ થ્રસ્ટસને કારણે જ ચંદ્રયાન-3 સીધા જવાને બદલે ચંદ્રની પાસે એક વર્તુળાકાર ટ્રાન્જેક્ટરીમાં એન્ટર થશે( જ્યારે અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ જાય છે,

નાસાના એપોલોયાન ડાયરેક્ટ લોન્ચિંગમાં ચાર લાખ ચાર હજાર કિલોગ્રામ ફ્યુલ લાગ્યું હતું. જ્યારે ચંદ્રયાન-3 તેના પંદરમાં ભાગનું એટલે કે સત્તાવીસ હજાર કિલો ફ્યુલ સાથે મિશન પૂરું કરશે

ત્યારે જે માર્ગ નક્કી કરવામાં આવે છે તેને લુનાર ટ્રાન્સફર ટ્રાન્જેક્ટરી કહેવામાં આવે છે.) અને પછી ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. આખરે જ્યારે ચંદ્રની સપાટીથી 30 કિલોમીટર દૂર પહોંચે ત્યારે તેના પર લગાવેલા સેન્સર્સની મદદથી પોતાની લેન્ડિંગ પોઈન્ટ શોધશે અને ચંદ્રના સાઉથ પર પોલ પર સોફ્ટ લેન્ડીંગ કરશે. નાસાના એપોલોમિશનને ચંદ્ર સુધી પહોંચવામાં ચાર દિવસ લાગ્યા હતા જ્યારે રશિયાના લુના-1 ફક્ત 34 કલાકમાં ચંદ્ર પર લેન્ડિંગ કરી દીધું હતું તો હવે ઈસરોને ત્યાં સુધી પહોંચવામાં તેમનાથી દસ ગણો સમય કેમ લાગે છે તે વધુ વિસ્તારથી સમજીએ. વાત એમ છે કે અમેરિકા અને રશિયાએ તેમના મિશનને ડાયરેક્ટ ચંદ્રની ઓર્બીટમાં જ લોન્ચ કર્યું હતું. તેઓ એવું કરી શક્યા હતા કારણ કે તેમના મિશન બજેટ જંગી હતાં પરિણામે બધીજ જગ્યાએ વધુ સક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ તેઓએ કર્યો હતો. તેમના લોન્ચર ખૂબ મોટી માત્રામાં ફ્યુલ લઈ જઈ શકે તેવા શક્તિશાળી હતા. બીજી બાજુ, આપણે જાણીએ છીએ કે ઓછા ખર્ચામાં મહત્તમ સફળ પરિણામ આપવું એ ઈસરોના વિજ્ઞાનીઓની હંમેશાની વિશેષતા રહી છે. તેમના આ જ વલણને અનુસરતાં ઈસરોના વિજ્ઞાનીઓએ મંગલયાનના લોન્ચિંગમાં જે ટેકનીકનો ઉપયોગ કર્યો હતો કે જેમાં, ખૂબ જ ઓછા ફ્યુલ સાથે પણ કામ થઈ જાય. આમ, ઉપરના ફકરામાં જણાવ્યું એ ટેકનિકનો ચંદ્રયાન-3માં પણ ઉપયોગ કર્યો છે. આ રીતે લોન્ચ કરવામાં ફાયદો એ છે કે, ડાયરેક્ટ લોન્ચિંગમાં વન શોટમાં સેટેલાઈટને સીધો લોન્ચ કરવાનો હોય છે તેના માટે વધારે થ્રસ્ટની, મોટી માત્રામાં ફ્યુલની જરૂર પડે છે જે બજેટ વધારે છે. પરંતુ ઉપરોક્ત ટેકનીકમાં ફક્ત ઓર્બીટ ચેન્જિંગ વખતે જ ફ્યુલની જરૂર પડે છે. આમ, નાસાના એપોલોયાન ડાયરેક્ટ લોન્ચિંગમાં ચાર લાખ ચાર હજાર કિલોગ્રામ ફ્યુલ લાગ્યું હતું. જ્યારે ચંદ્રયાન-3 તેના પંદરમાં ભાગનું એટલે કે સત્તાવીસ હજાર કિલો ફ્યુલ સાથે મિશન પૂરું કરશે. તેથી જ એપોલોયાને રોકેટ મોકલવા માટે 2919 કરોડનો ખર્ચો થયો હતો ત્યારે ચંદ્રયાન-3 કુલ 615 કરોડનું છે. ભલે બજેટ ઓછું છે પરંતુ ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન માધવન નાયર કહે છે કે આટલું ઓછું બજેટ હોવા છતાં ઈસરોનો સક્સેસ રેટ બીજા દેશો કરતા 50% વધારે રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્રયાન-3 પોતાની આ યાત્રા પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણનો લાભ લઈને ઘણા ઓછા ઇંધણ સાથે કરી રહ્યું છે. શક્તિશાળી અને મોટા રોકેટ વધુ મોંઘા હોવાથી, ભારતે નાના રોકેટ દ્વારા તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે આ યોજના બનાવી છે. ‘કરકસરમાં કૌશલ્ય’ એ ઇસરોના વિજ્ઞાનીઓનો મંત્ર છે અને મોટી વાત એ છે કે મર્યાદિત સંસાધનો હોવા છતાં, ઇસરોએ તેનું મિશન શરૂ પાર પાડી બતાવ્યું કહેવાય. આજ સુધી અમેરિકા પંદર વખત, રશિયા આઠ, ચાઈના ત્રણ વાર ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરી ચૂક્યું છે અને ભારતનો આ બીજો પ્રયાસ છે.અને આ જ ભારતીય વૈજ્ઞાનિકોની સફળતા છે કે રશિયાની સરખામણીએ આપણે અંતરિક્ષ ક્ષેત્રે ઘણા નાના ખેલાડી હોવા છતાં રશિયાએ આપણી હરીફાઈમાં ઊતરવું પડ્યું છે.

 

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

TAGGED: Chandrayaan3, moon, Translunarinjection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સારું લખવું હોય તો શું કરવું?
Next Article જૂનાગઢમાં ખાખીના ખોફથી આમ પ્રજા ખુશ: 4 કલાકના કોમ્બિંગમાં 286 તત્વો જબ્બે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?