શહેરની અનેક સમસ્યા મુદ્દે રજૂઆત
જૂનાગઢમાં પાણી ઘુસવા સાથે વોકળા પરના દબાણ અને રસ્તા મુદ્દે વિસ્તૃત ચિતાર રજુ કર્યો: મુખ્યમંત્રીએ રિપોર્ટ રજુ કરવા આદેશ આપ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર એક પ્રાચીન નગર સાથે અનેક તીર્થધામ અને પર્યટન સ્થળ સાથેની એક અનોખી ઓળખ ધરાવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરની હાલત જોઈને શહેરના વન મેન આર્મી અને જાણીતા એડવોકેટ કિરીટ સંઘવી અને સાથે શહેરના આગેવાનોમાં ધીરૂભાઇ પુરોહિત, વૃંદાવન ચંદારાણા, હર્ષદભાઇ મંકોડી, નિલેશભાઇ કાથડ, મારા શહેરની આ હાલત જોઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે એક શાલીનતા સાથે મુલાકાત કરી હતી અને શહેરની મુખ્ય સમસ્યા મુદ્દે ખુબ ઊંડાણ પૂર્વક રજૂઆત કરી હતી અને જૂનાગઢને સમસ્યા માંથી ઉગારવા માટે ભાર મુક્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યસ્તતા વચ્ચે પણ આગેવાનો સાંભળ્યા હતા અને કહ્યું હતું કે શું સમસ્યા છે તમારી ત્યારે આગેવાનોએ કહ્યું અમારી ખુદની સમસ્યા નથી પણ મારા જૂનાગઢની સમસ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ પણ 15 મિનિટનો સમય આપીને સમગ્ર વાત નિરાંતે સાંભળી હતી.
જેમાં આગેવાનોએ મુખ્યમંત્રીને એક પછી એક ફાઇલો મુકીને રજૂઆત કરી હતી. જેમાં જળસંકટ કુદરતી જળસંકટ ન હતુ. પરંતુ માનવ સર્જીત હતુ. એવી પણ વાત કરી હતી. તેની સાથે વોકળાના કિનારે બાંધકામ થઇ ગયેલ હોય જેના લીધે 100થી વધુ સોસાયટીઓમાં પાંચ ફુટ જેટલા પાણી ભરાયા હતા. તેની સાથે શહેરમાં નરસિંહ મહેતા સરોવરમાં બ્યુટીફીકેશન કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દૂર ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં આડો પાળો કરી લેવાથી નરસિંહ મહેતા સરોવરમાં પાણી જઇ શકે તેમ ન હતુ જે સામાન્ય રીતે દર વર્ષે જાય છે. આ રીતે જૂનાગઢનો જળપ્રલય માનજસર્જીત હતુ તે યથાવત છે. ત્યારે વોકળા કાંઠે બાંધકામતો થઇ જ ન શકે છતાં કેમ થયું છે ? તેવા અનેક પ્રશ્ર્નો સાથે જૂનાગઢ વિશે સાચો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કોર્પોરેશનનાં બદલે કોઇ સ્વતંત્ર એજન્સીને કામ શોપો અને તેના સુપર વિઝન નીચલા રસ્તાનું કામ પીડબ્લયુ ડીને સોંપીદો તો રસ્તાની સ્થિતી કદાચ સુધરશે. સમગ્ર વાત સાંભળીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શહેરી વિકાસ ખાતાના ચફ સેક્રેટરી અશ્ર્વીની કુમારને સમગ્ર મુદ્દે મુલાકાત કરવા જણાવ્યુ હતુ. ત્યાર બાદ ચીફ સેક્રેટરીએ બધાં પ્રશ્ર્નોનો સબંધીત ખાતા તરફ મોકલી દેવામાં આવશે. અને તમો જૂનાગઢ પહોંચશો તે પહેલા તમારા બધાં જ પ્રશ્ર્નોની સમરી જૂનાગઢ કલેકટરને મળી ગઇ હશે.
- Advertisement -
જૂનાગઢના આગેવાનોએ શહેરના પ્રશ્ર્નો સબંધે રજૂઆત કરેલી હતી જેમાં નરસિંહ મહેતા સરોવર બ્યુટીફેકશસન વોકળાના કાંઠે થયેલા ગેરકાનૂની બાંધકામ કલમ-260ની નોટી આપ્યા બાદ કોર્પોરેશન કાંઇ પગલા લેતી નથી તે કાળવાના પટમાં થયેલા ગેરકાનુની બાંધકામ, દમમોદરકુંડમાં પાંચ થી છ કરોડોનો ખોટો ખર્ચ થયેલ તે બાબતે તપાસ કરવા જૂનાગઢના અમુક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કવરા, જળ સંકટમાં થયેલા નુકશાનનું સર્વે કરી વળતર આપવા તથા સોસાયટીની જે દિવાલો તૂટી ગયેલ તેને તાત્કાલીક સમારકામ સરકાર ખર્ચે કરી આપવા તથા જળ પ્રલયથી જે રસ્તામાં ગંદકી થયેલ છે તે યુઘ્ધના ધોરણે સાફ કરાવવા માટેની રજૂઆત હતી કડીયાવાડમાં જર્જરીત તૂટી પડતા ત્રણ રાહદારીનું અકાળે અવસાન થયેલ તે બાબતે ફકત યોગ્ય વળતર આપે એટુલ જ નહી પરંતુ આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તે બાબતે જરૂરી પગલા લેવા માટેની તાકીદ પણ કરવામાં આવેલી છે. જળ પ્રલય થયુ તે બાબતે જે કારણો જવાબદાર છે તે માટે કોઇની વ્યક્તિગત જવાબદારી નકકી થતી હોય તો તે કરી પગલા લેવાનુ પણ સુચન થયેલુ છે. જૂનાગઢના રસ્તા સબંધે દરેક સભ્યોએ ખુબ જ રજૂઆત કરેલી હતી. ગેરકાનૂની બાંધકામો અને વોકળા કાંઠેના બાંધકામો સબંધ મુખ્યમંત્રીશ્રીની સુચનાથી યુઘ્ધના ધોરણે પગલા લેવા જોઇએ તેવુ જણાઇ રહ્યુ છે.