રોડ ખુલ્લો મુકાયાને હજુ 2 મહિના નથી થયાં ત્યાં સોમનાથ-ઊના નેશનલ હાઇવે ઉપરનો નવનિર્મિત પુલ બેસી ગયો
નેશનલ હાઇવેનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની લોકોમાં ચર્ચા
- Advertisement -
સરકાર-નેશનલ હાઇવે ઓથોરિટી શું પગલાં ભરે છે તેનાં પર મીટ
પુલનો એક ભાગ બેસી જતાં વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
- Advertisement -
ગોકળગતીએ ચાલતા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર વેરાવળ નજીકના ઉંબરી ગામના પાટીયા પાસે હાઈવે પર આવેલ નદી ઉપરનો એક બ્રિજ એક તરફ બેસી ગયા બેસી ગયાનું સામે આવ્યું છે. જેના પગલે પુલ ઉપર એક તરફની લાઈનનો વાહન વ્યવહાર તાકીદે બંધ કરાવી દેવામાં આવ્યો છે. આ પુલ બેસી ગયો ત્યારે વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી પરંતુ નેશનલ હાઈવે ના આ કામમાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો નક્કર પુરાવો હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર હજુ નિર્માણાધિન આ હાઇવે ઉપરનો પુલ બેસી ગયાનું સામે આવ્યું છે. નેશનલ હાઈવે ઉપર વેરાવળ નજીક ઉંબરી ગામના પાટીયા પાસે સરસ્વતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ઉપરથી બે મહિનાથી જ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે. દરમિયાન ગત સાંજે આ પુલનો એક તરફનો ભાગ બેસી ગયાની ઘટના સામે આવી છે.
આ પુલ ઉપર હાઇવે ઓથોરિટીએ તાત્કાલિક એક તરફની લેનને બંધ કરી કામગીરી હાથ ધરી છે. આ ઘટના સામે આવી ત્યારે વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઇ નથી.