આ સંકુલ માટે બે એકર જમીનનું સંપાદન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
ઓસ્ટ્રેલિયાના સીડનીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના તત્ત્વાવધાનમાં નૂતન કૃષ્ણધામ હવેલીનું નિર્માણ થશે. શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી દ્વારા સમગ્ર વિશ્ર્વમાં હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમની જીવનની દરેક ક્ષણમાં તેઓ માત્ર એક જ વિચાર કરતા હોય છે અને તે છે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર-પ્રસાર. સમગ્ર વિશ્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝનની સ્થાપના કરવામાં આવી છે જેના તત્ત્વાવધાનમાં અનેક કાર્યક્રમો સમાજલક્ષી, માનવતાલક્ષી તેમજ ધર્મલક્ષી અને કથાઓનું પણ આયોજન થતું હોય છે
ત્યારે છેલ્લા ઘણા સમયથી સીડનીમાં વસતા વૈષ્ણવો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પ્રતીક્ષાનો હવે અંત આવી ગયો છે. વિવાયઓ સીડનીના તત્ત્વાવધાનમાં સીડની ખાતે હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. વિવાયઓ સીડનીના તત્ત્વાવધાનમાં સીડની ખાતે બે એકરમાં વિશાળ હવેલી આકાર લેવા જઈ રહી છે જે માટે જમીનનું સંપાદન પણ થઈ ગયું છે જે જમીન પર દિવ્ય અને ભવ્ય કૃષ્ણધામ હવેલીનું નિર્માણ કરવામાં આવશે જેનું દિવ્ય ભૂમિપૂજન ઠાકોરજીની કૃપાથી આગામી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવનાર છે.