રાજકોટ જિ.પં.ની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યએ બોલાવી તડાપીટ
સામાન્ય સભામાં 335 કરોડના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ઉમેરવા ઠરાવ પસાર કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં 335 કરોડના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ઉમેરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, સાથે જ આ તકે TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને શાળામાં તકેદારીના પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા છે તેમજ આજની સામાન્ય સભામાં નકલી શાળાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
આજરોજ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ સને 2020-21થી 2023-24માં સૂચવેલ કામોની સૈદ્ધાંતિક- વહીવટી મંજૂરી આપેલા કામો પૂર્ણ કરવા માટે અગાઉ તા. 31-3-2024 સુધીનો મુદત વધારો આપવામાં આવેલો હતો જેમાં અમુક કામો જૂના એસઓઆર તથા ચૂંટણી આચારસંહિતાને કારણે થઈ શકેલું ન હોય આ કામો પૂર્ણ કરવા માટે તા. 31-5-2025 સુધીનો મુદત વધારો આપવા માટે આજની સામાન્ય સભામાં બહાલી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નવા બાંધકામ માટે તા. 16-3-2024ના રોજ વર્કઓર્ડર આપેલો છે. આ ભવનના બાંધકામ માટે 43 વૃક્ષો કાપવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવાની હોવાથી એની સામે દસગણા વૃક્ષો રાજકોટ તાલુકાના કુવાડવા અને આસપાસના વિવિધ વિસ્તારોમાં વાવવામાં આવશે.
- Advertisement -
જે ઠરાવને આજની સામાન્ય સભામાં બહાલી આપવા અર્થ, 15મું નાણા પંચ જિલ્લા કક્ષા આયોજન વર્ષ 2024-25 અન્વયે કુલ વેન્ટેડ કોઝવેના કુલ 30 કામો સમાવવામાં આવેલા હતા જે ટાઈડ ગ્રાન્ટ (પાણીના કામો) હોય આ અંગે ચેકડેમ કમ કોઝવે (પાણીના કામો) હેતુફેર કરવા અંગે સુધારા દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી અર્થે તેમજ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના સમગ્ર જિલ્લાના વિવિધ રોડ રસ્તાઓની કુલ 137 દરખાસ્ત કુલ રકમ રૂપિયા 335 કરોડ હાલ સરકારમાં કરેલી છે જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે મંજૂર કરવા સરકારમાં જિલ્લા પંચાયત રાજકોટ વતી ભલામણ કરવા માટે તેમજ રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તક નાના મોટા અંદાજે 800 ચેકડેમો આવેલા છે જેના રિપેરીંગ, સમારકામ, જાળવણી માટે રાજકોટ જિલ્લાને એક વિશેષ પેકેજ સ્વરૂપે સરકાર તરફથી વધારાની ગ્રાન્ટ રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવે એવી રજૂઆત જિલ્લા પંચાયત રાજકોટ વતી કરવા માટે આજની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અંતમાં જિલ્લા પંચાયત પ્રમુખે સિંચાઈના પેન્ડિંગ કામોનો નિકાલ કરવાની બાંહેધરી આપી હતી.