By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    3 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    3 hours ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 week ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
    10 minutes ago
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    1 hour ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    2 hours ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    3 hours ago
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    1 hour ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    2 hours ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    8 minutes ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગર્ભગૃહમાં આવતાં જ બદલાઈ ગયા મૂર્તિના હાવભાવ, રોજ દર્શને આવતા ‘હનુમાનજી’: શિલ્પકાર અરુણ યોગીરાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગર્ભગૃહમાં આવતાં જ બદલાઈ ગયા મૂર્તિના હાવભાવ, રોજ દર્શને આવતા ‘હનુમાનજી’: શિલ્પકાર અરુણ યોગીરાજ
રાષ્ટ્રીય

ગર્ભગૃહમાં આવતાં જ બદલાઈ ગયા મૂર્તિના હાવભાવ, રોજ દર્શને આવતા ‘હનુમાનજી’: શિલ્પકાર અરુણ યોગીરાજ

Khaskhabar Editor
Last updated: 2024/01/25 at 4:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

પ્રાણપ્રતિષ્ઠા થતાં જ બદલાઈ ગઈ મૂર્તિની આભા: શિલ્પકારે વર્ણવ્યા પોતાના અદ્ભુત અનુભવો

ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામલલાની સુંદર મૂર્તિ દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. તેઓ જ પહેલા એવા ભાગ્યશાળી વ્યક્તિ છે જેમણે રામલલાની મૂર્તિને તૈયાર થયા બાદ સૌથી પહેલાં જોઈ હતી. દેશમાં તેમના દ્વારા નિર્મિત મૂર્તિની ખૂબ પ્રશંસા થઇ રહી છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ સૌ કોઈ તેમણે પ્રતિમા અંગેના અનુભવ વિશે પૂછી રહ્યું છે, ત્યારે અરુણ યોગીરાજે એક ઈન્ટરવ્યુમાં તેમના મૂર્તિ બનાવવા સમયના અનુભવો વિશે વિસ્તારની વાતો કરી છે.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજે પોતાના અનુભવ વિશે વાત કહ્યું કે, આ કામ તેમણે જાતે નથી કર્યું પણ ભગવાને તેમની પાસે કરાવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ રામલલાની મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યારે દરરોજ મૂર્તિ સાથે વાતો કરતા. એકાંતમાં મૂર્તિને કહેતા કે, પ્રભુ, કૃપા કરીને મને બીજા બધા કરતાં પહેલાં દર્શન આપો. અરુણ યોગીરાજના કહેવા મુજબ જ્યારે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મૂર્તિને જોઇને તેઓ અચંબિત થઇ ગયા. તેમને લાગ્યું કે આ મૂર્તિ તો જાણે તેમણે બનાવી જ નથી. પ્રાણપ્રતિષ્ઠા બાદ મૂર્તિના હાવભાવ તદ્દન બદલાઈ ગયા હતા. તેમણે લોકોને પણ જણાવ્યું કે તેમને વિશ્ર્વાસ જ નથી થઇ રહ્યો કે, આ મૂર્તિ પોતે બનાવી છે.
અરુણ યોગીરાજે કહ્યું, જ્યારે મેં મૂર્તિ બનાવી હતી ત્યારે તે સાવ અલગ હતી. ગર્ભગૃહમાં લઈ ગયા બાદ અને પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી તે તદ્દન અલગ થઇ ગઈ છે. મેં ગર્ભગૃહમાં પૂરા 10 દિવસ વિતાવ્યા. એક દિવસ હું ત્યાં બેઠો હતો ત્યારે મને અંદરથી લાગ્યું કે આ મારું કામ છે જ નહીં. હું મૂર્તિને ઓળખી જ ન શક્યો. ગર્ભગૃહમાં જતાં જ તેની આભા બદલાઈ ગઈ છે. હવે ફરીથી હું આ મૂર્તિ ન બનાવી શકું. જ્યાં સુધી નાની મૂર્તિઓ બનાવવાની વાત છે, હું તેના વિશે પછીથી વિચારીશ.
રામલલાની મૂર્તિ પર ઈન્ટરવ્યૂ આપતી વખતે શિલ્પકાર અરુણ યોગીરાજ ખુલ્લા પગે બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, દુનિયાને બતાવતાં પહેલાં તેમણે પોતે માનવું હતું કે મૂર્તિમાં રામ હાજર છે. તેમણે કહ્યું, હું દુનિયાને દેખાડતાં પહેલાં જાતે દર્શન કરવા ઈચ્છતો હતો. હું તેઓને કહેતો કે, પ્રભુ કૃપા કરીને મને દર્શન આપો. ત્યારે ભગવાન પોતે મને મૂર્તિનિર્માણ માટેની જાણકારી ભેગી કરવામાં મદદ કરતા. ક્યારેક દિવાળી દરમિયાન કોઈ અગત્યની માહિતી મળી ગઈ, તો ક્યારેક એવાં ચિત્રો મળ્યાં જે 400 વર્ષ જેટલાં જૂના હતાં. રામભક્ત હનુમાનજી પણ અમારા દરવાજે આવતા, દરવાજો ખખડાવતા, બધું જોતા અને પછી ચાલ્યા જતા.
પોતાના અદ્ભુત અનુભવો વર્ણવતાં તેમણે કહ્યું કે, મૂર્તિ બનાવતી વખતે એક વાનર દરરોજ સાંજે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન તે જગ્યાએ આવતો, બધું જોતો અને પછી શાંતિથી જતો રહેતો. અમે ક્યારેક વધારે ઠંડીમાં દરવાજા બંધ કરી દેતા, ત્યારે તે વાનર ઝડપથી દરવાજો ખોલતો, અંદર આવતો, મૂર્તિને ધ્યાનથી જોતો અને પછી ચાલ્યો જતો. કદાચ તેને પણ મૂર્તિને જોવાનું મન થતું હશે.
ઈન્ટરવ્યૂ દરમિયાન અરુણ યોગીરાજને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમને કોઈ સપનાં પણ આવતાં હતાં? તો જવાબમાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 7 મહિનાથી સરખી રીતે ઊંઘી શક્યા નથી. તેથી તેઓ આ અંગે કંઈ કહી શકશે નહિ. પરંતુ તેમના મનમાં એક વિચાર કાયમ રહેતો કે તેઓ જે કરી રહ્યા છે તે દેશને ગમવું જોઈએ. તેમણે કહ્યું કે, તેમનો વિશ્ર્વકર્મા સમુદાય સદીઓથી આ જ કાર્ય કરી રહ્યો છે. તેમના સ્થાનિક વિસ્તારમાં એક કહેવત પણ છે ‘ભગવાનના સ્પર્શથી પથ્થરો ફૂલ બની ગયા અને શિલ્પકલાના સ્પર્શથી પથ્થર ભગવાન બની ગયા.’ આટલું પ્રશંસનીય કામ કર્યાં પછી પણ અરુણ યોગીરાજ પોતે રામલલાની મૂર્તિ બનાવવાનો શ્રેય લેતા નથી. તેઓ કહે છે કે, ભગવાને તેમની ઈચ્છાથી મારી પાસે આ કામ કરાવ્યું છે. તેમની ઈચ્છા વગર તેઓ મૂર્તિ કેવી રીતે બનાવી શક્યા હોત.
બીજા એક ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે, રામલલાને પથ્થરમાંથી મૂર્તિસ્વરૂપમાં બદલાતા જોવા માટે તેમણે 6 મહિના સુધી રાહ જોઈ છે. તેમણે જણાવ્યું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલી રામમૂર્તિ 51 ઈંચ ઊંચી છે. આ પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, વૈજ્ઞાનિકોએ ગણતરી કરી હતી કે જો મૂર્તિ આ કદની હશે, તો રામ નવમીના પાવન દિવસે સૂર્યના કિરણો સીધા ભગવાન રામના મસ્તક પર પડશે. આ ઈન્ટરવ્યુમાં તેમણે એ પણ જણાવ્યું કે, મૂર્તિ નિર્માણ દરમિયાન તેમના આસિસ્ટન્ટ્સના ગયા પછી તેઓ ભગવાનની મૂર્તિ પાસે એકલા બેસી રહેતા, અને પ્રાર્થના કરતા કે ભગવાન બીજા લોકો કરતા પહેલાં મને દર્શન આપજો.

- Advertisement -

You Might Also Like

મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

TAGGED: arunyogiraj, Hanumanji, IDOL, lordram, Sculptor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ : કલેકટર પ્રભવ જોશીની ટ્વીટર પર લોક ચાહના વધી
Next Article સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8ને હાર્ટએટેક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બચુ ખાબડનો બંગલો અને ઑફિસ લેવા નવા મંત્રીઓ તૈયાર નહોતા!

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડ: ઝાંઝવાના જળ માટે દોડ
ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
ભારે માઠું આ માવઠું: કમોસમી વરસાદે ખેડૂતો પર કાળો કેર વરસાવ્યો મહુવામાં 11, રાજુલા-અમરેલીમાં 9 અને સિહોરમાં 6 ઈંચ વરસાદ: નદીઓ ગાંડીતૂર બની, રોડ-રસ્તા બ્લૉક
BAPS મંદિરે આવતીકાલે સત્સંગ દીક્ષાને કંઠસ્થ કરનાર બાળકોનો સન્માન સમારોહ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?