By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    19 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    19 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    22 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    23 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    55 minutes ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    59 minutes ago
    યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત
    1 hour ago
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    22 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    24 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    23 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગર્ભગૃહમાં આવતાં જ બદલાઈ ગયા મૂર્તિના હાવભાવ, રોજ દર્શને આવતા ‘હનુમાનજી’: શિલ્પકાર અરુણ યોગીરાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગર્ભગૃહમાં આવતાં જ બદલાઈ ગયા મૂર્તિના હાવભાવ, રોજ દર્શને આવતા ‘હનુમાનજી’: શિલ્પકાર અરુણ યોગીરાજ
રાષ્ટ્રીય

ગર્ભગૃહમાં આવતાં જ બદલાઈ ગયા મૂર્તિના હાવભાવ, રોજ દર્શને આવતા ‘હનુમાનજી’: શિલ્પકાર અરુણ યોગીરાજ

Khaskhabar Editor
Last updated: 2024/01/25 at 4:31 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

પ્રાણપ્રતિષ્ઠા થતાં જ બદલાઈ ગઈ મૂર્તિની આભા: શિલ્પકારે વર્ણવ્યા પોતાના અદ્ભુત અનુભવો

ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા સ્થિત ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામલલાની સુંદર મૂર્તિ દેશના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. તેઓ જ પહેલા એવા ભાગ્યશાળી વ્યક્તિ છે જેમણે રામલલાની મૂર્તિને તૈયાર થયા બાદ સૌથી પહેલાં જોઈ હતી. દેશમાં તેમના દ્વારા નિર્મિત મૂર્તિની ખૂબ પ્રશંસા થઇ રહી છે. પ્રાણપ્રતિષ્ઠા બાદ સૌ કોઈ તેમણે પ્રતિમા અંગેના અનુભવ વિશે પૂછી રહ્યું છે, ત્યારે અરુણ યોગીરાજે એક ઈન્ટરવ્યુમાં તેમના મૂર્તિ બનાવવા સમયના અનુભવો વિશે વિસ્તારની વાતો કરી છે.
ઈન્ડિયા ટુડે સાથેની વાતચીત દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજે પોતાના અનુભવ વિશે વાત કહ્યું કે, આ કામ તેમણે જાતે નથી કર્યું પણ ભગવાને તેમની પાસે કરાવ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ રામલલાની મૂર્તિ બનાવી રહ્યા હતા ત્યારે દરરોજ મૂર્તિ સાથે વાતો કરતા. એકાંતમાં મૂર્તિને કહેતા કે, પ્રભુ, કૃપા કરીને મને બીજા બધા કરતાં પહેલાં દર્શન આપો. અરુણ યોગીરાજના કહેવા મુજબ જ્યારે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે મૂર્તિને જોઇને તેઓ અચંબિત થઇ ગયા. તેમને લાગ્યું કે આ મૂર્તિ તો જાણે તેમણે બનાવી જ નથી. પ્રાણપ્રતિષ્ઠા બાદ મૂર્તિના હાવભાવ તદ્દન બદલાઈ ગયા હતા. તેમણે લોકોને પણ જણાવ્યું કે તેમને વિશ્ર્વાસ જ નથી થઇ રહ્યો કે, આ મૂર્તિ પોતે બનાવી છે.
અરુણ યોગીરાજે કહ્યું, જ્યારે મેં મૂર્તિ બનાવી હતી ત્યારે તે સાવ અલગ હતી. ગર્ભગૃહમાં લઈ ગયા બાદ અને પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી તે તદ્દન અલગ થઇ ગઈ છે. મેં ગર્ભગૃહમાં પૂરા 10 દિવસ વિતાવ્યા. એક દિવસ હું ત્યાં બેઠો હતો ત્યારે મને અંદરથી લાગ્યું કે આ મારું કામ છે જ નહીં. હું મૂર્તિને ઓળખી જ ન શક્યો. ગર્ભગૃહમાં જતાં જ તેની આભા બદલાઈ ગઈ છે. હવે ફરીથી હું આ મૂર્તિ ન બનાવી શકું. જ્યાં સુધી નાની મૂર્તિઓ બનાવવાની વાત છે, હું તેના વિશે પછીથી વિચારીશ.
રામલલાની મૂર્તિ પર ઈન્ટરવ્યૂ આપતી વખતે શિલ્પકાર અરુણ યોગીરાજ ખુલ્લા પગે બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, દુનિયાને બતાવતાં પહેલાં તેમણે પોતે માનવું હતું કે મૂર્તિમાં રામ હાજર છે. તેમણે કહ્યું, હું દુનિયાને દેખાડતાં પહેલાં જાતે દર્શન કરવા ઈચ્છતો હતો. હું તેઓને કહેતો કે, પ્રભુ કૃપા કરીને મને દર્શન આપો. ત્યારે ભગવાન પોતે મને મૂર્તિનિર્માણ માટેની જાણકારી ભેગી કરવામાં મદદ કરતા. ક્યારેક દિવાળી દરમિયાન કોઈ અગત્યની માહિતી મળી ગઈ, તો ક્યારેક એવાં ચિત્રો મળ્યાં જે 400 વર્ષ જેટલાં જૂના હતાં. રામભક્ત હનુમાનજી પણ અમારા દરવાજે આવતા, દરવાજો ખખડાવતા, બધું જોતા અને પછી ચાલ્યા જતા.
પોતાના અદ્ભુત અનુભવો વર્ણવતાં તેમણે કહ્યું કે, મૂર્તિ બનાવતી વખતે એક વાનર દરરોજ સાંજે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન તે જગ્યાએ આવતો, બધું જોતો અને પછી શાંતિથી જતો રહેતો. અમે ક્યારેક વધારે ઠંડીમાં દરવાજા બંધ કરી દેતા, ત્યારે તે વાનર ઝડપથી દરવાજો ખોલતો, અંદર આવતો, મૂર્તિને ધ્યાનથી જોતો અને પછી ચાલ્યો જતો. કદાચ તેને પણ મૂર્તિને જોવાનું મન થતું હશે.
ઈન્ટરવ્યૂ દરમિયાન અરુણ યોગીરાજને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમને કોઈ સપનાં પણ આવતાં હતાં? તો જવાબમાં તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 7 મહિનાથી સરખી રીતે ઊંઘી શક્યા નથી. તેથી તેઓ આ અંગે કંઈ કહી શકશે નહિ. પરંતુ તેમના મનમાં એક વિચાર કાયમ રહેતો કે તેઓ જે કરી રહ્યા છે તે દેશને ગમવું જોઈએ. તેમણે કહ્યું કે, તેમનો વિશ્ર્વકર્મા સમુદાય સદીઓથી આ જ કાર્ય કરી રહ્યો છે. તેમના સ્થાનિક વિસ્તારમાં એક કહેવત પણ છે ‘ભગવાનના સ્પર્શથી પથ્થરો ફૂલ બની ગયા અને શિલ્પકલાના સ્પર્શથી પથ્થર ભગવાન બની ગયા.’ આટલું પ્રશંસનીય કામ કર્યાં પછી પણ અરુણ યોગીરાજ પોતે રામલલાની મૂર્તિ બનાવવાનો શ્રેય લેતા નથી. તેઓ કહે છે કે, ભગવાને તેમની ઈચ્છાથી મારી પાસે આ કામ કરાવ્યું છે. તેમની ઈચ્છા વગર તેઓ મૂર્તિ કેવી રીતે બનાવી શક્યા હોત.
બીજા એક ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે, રામલલાને પથ્થરમાંથી મૂર્તિસ્વરૂપમાં બદલાતા જોવા માટે તેમણે 6 મહિના સુધી રાહ જોઈ છે. તેમણે જણાવ્યું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલી રામમૂર્તિ 51 ઈંચ ઊંચી છે. આ પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, વૈજ્ઞાનિકોએ ગણતરી કરી હતી કે જો મૂર્તિ આ કદની હશે, તો રામ નવમીના પાવન દિવસે સૂર્યના કિરણો સીધા ભગવાન રામના મસ્તક પર પડશે. આ ઈન્ટરવ્યુમાં તેમણે એ પણ જણાવ્યું કે, મૂર્તિ નિર્માણ દરમિયાન તેમના આસિસ્ટન્ટ્સના ગયા પછી તેઓ ભગવાનની મૂર્તિ પાસે એકલા બેસી રહેતા, અને પ્રાર્થના કરતા કે ભગવાન બીજા લોકો કરતા પહેલાં મને દર્શન આપજો.

- Advertisement -

You Might Also Like

ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF

યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત

વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું

બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

TAGGED: arunyogiraj, Hanumanji, IDOL, lordram, Sculptor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ : કલેકટર પ્રભવ જોશીની ટ્વીટર પર લોક ચાહના વધી
Next Article સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 8ને હાર્ટએટેક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, અનેક વિસ્તારો જળમગ્ન, બરવાળામાં 7.52 ઈંચ ખાબક્યો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી
આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યને લગતા અનેક મુદ્દાઓની થશે ચર્ચા
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
રાષ્ટ્રીય

યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?