ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના એવા વિશ્વવિખ્યાત પરબધામ ખાતે ત્રણ દિવસ સોમયાગ યજ્ઞનોનુ આયોજન પરબધામના મહંત પરમ પૂજ્ય કરસનદાસ બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત થયું હતું જે પરબધામની ભૂમીમા સત સરભંગ આશ્રમ પરબધામની ભૂમિમાં વૈદિક પણે અનેરું મહત્વ ધરાવે છે તેમાં સૂર્યયજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, વાજપેયયજ્ઞ. વગેરેમાં સોમયાગ યજ્ઞ શ્રેષ્ઠ રહેલો છે જેમાં સર્વ દેવી-દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે આ યજ્ઞ કુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવી હતી. જેમાં છેલ્લા દિવસે બીડુ હોમવામાં આવ્યું હતું આ તકે ખાસ કરીને એક કોમી એકતાનું ઉદાહરણ આપ્યું હતું જેમાં ભેસાણ વિસાવદરના મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખી અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની ખડે પગે સેવાઓ આપી હતી જેમાં જરૂરિયાતમંદ લોકો માટે બાપુ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં લોકોને સુવર્ણદાન, વસ્ત્રો દાન, અન્નદાન આપવા આવ્યું હતું આ તકે હજારો લોકોએ લાભ લીધો હતો તથા લાખો ભાવિક અને ભક્તો દ્વારા આ યજ્ઞનો લાભ લીધો હતો જેમાં ભક્તોએ ભોજન અને ભજનનો લાભ લીધો હતો આ પ્રસંગે સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ યજમાનોને પરમ પૂજ્ય કરસનદાસ બાપુ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તમામ યજમાનોને શિવસાગર કુંડમાં સ્નાન કરાવ્યું અને પોતે પણ સ્નાન કર્યું હતું અને પધારેલા તમામ ભક્તો ઉપર ડોલીમાં સવાર થઈ પુષ્પો દ્વારા આશીર્વાદ વચન આપ્યા હતા અને આ કાર્યક્રમ સફળતા પૂર્વ પૂર્ણ થયો હતો.