By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
    21 hours ago
    જર્મનીએ EU મિશન દરમિયાન ચીને તેના જેટ પર લેસર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો
    22 hours ago
    નેપાળ અને ચીનને જોડતો મુખ્ય પુલ થયો ધરાશાયી, ઓછામાં ઓછા 20 લોકો ગુમ
    22 hours ago
    ફ્રાન્સમાં ભયાનક દાવાનળ : માર્સેલી નજીક ભીષણ આગ, એરપોર્ટ બંધ
    22 hours ago
    ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ મળ્યું
    17 hours ago
    ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે ખતરો: CDS જનરલ
    17 hours ago
    પટનામાં તેજસ્વી અને રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા: 6 શહેરોમાં ટ્રેનો રોકી, 12 નેશનલ હાઈવે જામ
    17 hours ago
    FATF રિપોર્ટમાં ખુલાસો પુલવામા હુમલામાં વપરાયેલા વિસ્ફોટકો એમેઝોનથી ખરીદાયા
    18 hours ago
    રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    17 hours ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    2 days ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    5 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    5 days ago
    શું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક માટે રોકડ પુરસ્કાર વાજબી છે?
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    20 hours ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    2 days ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    5 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    7 days ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    6 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…
Bhavy Ravalખાસ-ખબર

અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

વાલ્મીકિ રામાયણમાં અયોધ્યા નગરીનું અદ્દભૂત વર્ણન:
મહર્ષિ વાલ્મીકિએ શ્રી રામ જન્મસ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે

કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તોમંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલામંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધએ થોડા મહિનાઓ માટે વિહાર કરેલો. અયોધ્યા નગરીની સ્થાપના પ્રભુ શ્રીરામના પૂર્વજ, વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ કરી હતી. ત્યારથી લઈને મહાભારતકાળ સુધી અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું. અહીં જ ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના રાજમહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકિ એ પણરામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રીરામદ્વાર જળ સમાધિ લેવામાં આવ્યા બાદ, અયોધ્યા થોડા સમય માટે નિર્જન નગરી બની ગઈ હતી. તેમ છતાં તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ એવોને એવો જ રહ્યો હતો. શ્રીરામના પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું પુન:નિર્માણ કરાવ્યું. આ પુન:નિર્માણ પછી, અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓની 44 પેઢીઓએ શાસન કર્યું. આ વંશના છેલ્લા કૌશલ રાજ બૃહદ્વલનું મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પુત્ર અભિમન્યુના હાથે વધ થયો હતો. મહાભારત યુદ્ધ પછી, અયોધ્યા નગરી પાછી વેરાન થઈ ગઈ હતી. પણ શ્રીરામજન્મભૂમિનું અસ્તિત્વ-મહત્વ તો એટલું જ બની રહ્યું.
આશરે 100 ઈસા વર્ષ, ઉજ્જૈનનાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા નજીક પહોંચ્યા. થાકને લીધે તેઓ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે એક કેરીનાં વૃક્ષ નીચે પોતાની સેના સાથે વિશ્રામકરવા રોકાયા. તે સમયે આ વિસ્તારમાં માનવવસ્તી નહીંવત થઈ ગઈ હતી. અને ગાઢ જંગલ પથરાઈ ગયુ હતું. ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ એ ભૂમિ પર કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે આ સ્થળ વિશે શોધ-સંશોધન કર્યું તો નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે, આ ભગવાન શ્રીરામની અવધ ભૂમિ છે.

- Advertisement -

રામ જન્મભૂમિ પ્રદેશ છે આકર્ષક અને અલૌકિક : એક સમયે અયોધ્યામાં અસંખ્ય મંદિર આવેલા હોવાથી મંદિરોની નગરી કહેવાતી

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર
માટે ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી, પરિણામ સ્વરૂપે શ્રી રામ મંદિરના નિર્માણ બાદ પ્રભુના પ્રાણપ્રતિષ્ઠાની ઘડી આવી ચૂકી છે

સંતોની સૂચના અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં એક વિશાળમંદિરતેમજ કૂવાઓ, સરોવરો, મહેલો વગેરેનું નિર્માણ કરાવ્યું. એવું કહેવામાં આવે છે કે તેમણે શ્રીરામના જન્મસ્થળ પર કાળા રંગના પથ્થરોના 84 સ્તંભો પર એક વિશાળમંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેની વિશાળતા-વૈભવતા અચંબિત કરી મૂકે એવી હતી.
સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આમંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આમંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યુંહતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય અને તે પછીના લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે.
ઈતિહાસકારોના મતે 600 ઈસા પૂર્વે અયોધ્યા નગર એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જ્યારે ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં આ નગર એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બન્યું ત્યારે આ નગરને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મળી અને તે વધારે વિકાસ પામ્યું. એ પછીથી આ નગર સાકેત નામથી પણ પ્રસિદ્ધ થયું.
એવું કહેવામાં આવે છે કે ચીની ભિક્ષુ ફા-હિયાનએ અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠની નોંધ રાખી હતી. એ પછી સાતમી સદીમાં ચીની યાત્રી હેનત્સાંગ એ પણ અયોધ્યા નગરની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, અહીં 20 જેટલા બૌદ્ધમંદિરો હતા અને અહીં 3000 ભિક્ષુઓ રહેતા હતા. આ જ સ્થળે હિંદુઓનું એક મોટુંમંદિરપણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હતા.
આ પછી, ઈસાની 11મી સદીમાં કન્નૌજના રાજા જયચંદએમંદિરપર સમ્રાટ વિક્રમાદિત્યના પ્રશસ્તિ શિલાલેખને ઉખાડીને પોતાનું નામ લખાવ્યું. પાનીપતના યુદ્ધમાં જયચંદના અવસાન પછી ભારતવર્ષ પર આક્રમણકારોના હુમલા વધતા ગયા. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યા જેવા તીર્થસ્થાનમાં ખૂનખરાબા કરીને આતંક મચાવ્યો.મંદિરોમાં લૂંટ ચલાવી અને પૂજારીની હત્યા કરીને પવિત્ર મૂર્તિઓ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ રહી. તેમ છતાં 14મી સદી સુધી આક્રમણકારીઓ અયોધ્યામાં શ્રીરામનુંમંદિરતોડી શક્યા ન હતા.
વિવિધ આક્રમણ પછી પણ શ્રીરામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલુંમંદિર14મી સદી સુરક્ષિત રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીના શાસન સુધી અહીંયામંદિરનું અસ્તિત્વ હયાત હતું. 14મી સદીમાં મોગલોએ ભારત પર જ્યારે પોતાની હકૂમત કાયમ કરી તે પછી જ શ્રીરામજન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવામાં આવ્યા. છેવટે 1527 – 1528માં આમંદિરને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરીનો ઢાંચો ઊભો કરવામાં આવ્યો.
મોગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરના સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થળ પરના પ્રાચીનમંદિરતોડીને એક મસ્જિદ બનાવી હતી, જે 1992 સુધી અસ્તિત્વમાં હતી.
બાબરનામા અનુસાર, 1528માં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં કોતરેલા બે સંદેશાઓ દ્વારા આ વાતનો પુરાવો મળે છે. તેમાંથી એક સંદેશનો સાર એ છે કે, ’જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે, એવા મહાન શાસક બાબરનાં આદેશ અનુસાર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુક્કમલ કરી છે.’ જોકે એવું પણ કહેવામાં આવે છે કે, અકબર અને જહાંગીરના શાસનકાળ દરમિયાન આ જગ્યા ચબૂતરાનાં સ્વરૂપે હિંદુઓને સોંપવામાં આવી હતી. પરંતુ ક્રૂર શાસક ઔરંગઝૈબે અહીં એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવીને તેનું નામ બાબરી મસ્જિદ રાખી તેમના પૂર્વજ બાબરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.
આ પછી, 491 વર્ષ સુધી શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પર શ્રીરામમંદિરના નિર્માણ માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી. હિંદુઓ શ્રીરામજન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરતા રહ્યા. હિંદુઓએ લાંબી કાનૂની લડત પણ લડી. છેવટે 9 નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે તમામ ઐતિહાસિક તથ્યો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેની તપાસ કર્યા પછી સ્વીકાર કર્યો કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ભગવાન શ્રી રામના જન્મભૂમિ સ્થળ પર શ્રીરામલલ્લા બિરાજમાન થવા જોઈએ. હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પર ભૂમિપૂજન સાથે શ્રી રામ મંદિર નિર્માણનો શુભારંભ થયો. અને હવે અયોધ્યાધામની શ્રી રામ જન્મભૂમિ પર 22 જાન્યુઆરી 2024ના સોમવારના રોજ દિવ્ય-ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ! અમદાવાદના આ રુટ રહેશે બંધ

આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યને લગતા અનેક મુદ્દાઓની થશે ચર્ચા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું

ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

TAGGED: AYODHYA, history, lordram, VALMIKIRAMAYANA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોટડા સાંગાણીના માણેકવાડા ગામે ફાર્મહાઉસમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર SMC ત્રાટકી
Next Article 2024માં ભાજપ 450થી વધારે સીટ પર ચૂંટણી લડશે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટના હેમુ ગઢવી હોલ સામેથી બે યુવાન ઇંગ્લિશ દારૂ સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
મોઢ વણિક મહાજન દ્વારા પાર્ટી લોન્સમાં વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેરનો સંકલ્પ કરાયો
તા. 12ના જીનિયસ કપ અને સિનિયર બહેનોની ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટનો ફાઈનલ મેચ
6 રિક્ષા અને 1 બાઈક સાથે જામનગરની બેલડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.700 કરોડની આવક-વ્હાઇટ ટોપિંગ રોડની યોજના પર ભાર
રાજકોટમાં ઓવરસ્પીડિંગ પર તવાઈ: એક મહિનામાં રૂ.95 લાખથી વધુનો દંડ ફટકારાયો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદખાસ-ખબરગુજરાત

શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ! અમદાવાદના આ રુટ રહેશે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ-ખબરગુજરાત

આજે CMની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજ્યને લગતા અનેક મુદ્દાઓની થશે ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ-ખબરરાજકોટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?