વાલ્મીકિ રામાયણમાં અયોધ્યા નગરીનું અદ્દભૂત વર્ણન:
મહર્ષિ વાલ્મીકિએ શ્રી રામ જન્મસ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે
કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તોમંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલામંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધએ થોડા મહિનાઓ માટે વિહાર કરેલો. અયોધ્યા નગરીની સ્થાપના પ્રભુ શ્રીરામના પૂર્વજ, વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ કરી હતી. ત્યારથી લઈને મહાભારતકાળ સુધી અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું. અહીં જ ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના રાજમહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકિ એ પણરામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રીરામદ્વાર જળ સમાધિ લેવામાં આવ્યા બાદ, અયોધ્યા થોડા સમય માટે નિર્જન નગરી બની ગઈ હતી. તેમ છતાં તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ એવોને એવો જ રહ્યો હતો. શ્રીરામના પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું પુન:નિર્માણ કરાવ્યું. આ પુન:નિર્માણ પછી, અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓની 44 પેઢીઓએ શાસન કર્યું. આ વંશના છેલ્લા કૌશલ રાજ બૃહદ્વલનું મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પુત્ર અભિમન્યુના હાથે વધ થયો હતો. મહાભારત યુદ્ધ પછી, અયોધ્યા નગરી પાછી વેરાન થઈ ગઈ હતી. પણ શ્રીરામજન્મભૂમિનું અસ્તિત્વ-મહત્વ તો એટલું જ બની રહ્યું.
આશરે 100 ઈસા વર્ષ, ઉજ્જૈનનાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા નજીક પહોંચ્યા. થાકને લીધે તેઓ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે એક કેરીનાં વૃક્ષ નીચે પોતાની સેના સાથે વિશ્રામકરવા રોકાયા. તે સમયે આ વિસ્તારમાં માનવવસ્તી નહીંવત થઈ ગઈ હતી. અને ગાઢ જંગલ પથરાઈ ગયુ હતું. ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ એ ભૂમિ પર કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે આ સ્થળ વિશે શોધ-સંશોધન કર્યું તો નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે, આ ભગવાન શ્રીરામની અવધ ભૂમિ છે.
- Advertisement -
રામ જન્મભૂમિ પ્રદેશ છે આકર્ષક અને અલૌકિક : એક સમયે અયોધ્યામાં અસંખ્ય મંદિર આવેલા હોવાથી મંદિરોની નગરી કહેવાતી
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર
માટે ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી, પરિણામ સ્વરૂપે શ્રી રામ મંદિરના નિર્માણ બાદ પ્રભુના પ્રાણપ્રતિષ્ઠાની ઘડી આવી ચૂકી છે
સંતોની સૂચના અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં એક વિશાળમંદિરતેમજ કૂવાઓ, સરોવરો, મહેલો વગેરેનું નિર્માણ કરાવ્યું. એવું કહેવામાં આવે છે કે તેમણે શ્રીરામના જન્મસ્થળ પર કાળા રંગના પથ્થરોના 84 સ્તંભો પર એક વિશાળમંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેની વિશાળતા-વૈભવતા અચંબિત કરી મૂકે એવી હતી.
સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આમંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આમંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યુંહતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય અને તે પછીના લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે.
ઈતિહાસકારોના મતે 600 ઈસા પૂર્વે અયોધ્યા નગર એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જ્યારે ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં આ નગર એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બન્યું ત્યારે આ નગરને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મળી અને તે વધારે વિકાસ પામ્યું. એ પછીથી આ નગર સાકેત નામથી પણ પ્રસિદ્ધ થયું.
એવું કહેવામાં આવે છે કે ચીની ભિક્ષુ ફા-હિયાનએ અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠની નોંધ રાખી હતી. એ પછી સાતમી સદીમાં ચીની યાત્રી હેનત્સાંગ એ પણ અયોધ્યા નગરની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, અહીં 20 જેટલા બૌદ્ધમંદિરો હતા અને અહીં 3000 ભિક્ષુઓ રહેતા હતા. આ જ સ્થળે હિંદુઓનું એક મોટુંમંદિરપણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હતા.
આ પછી, ઈસાની 11મી સદીમાં કન્નૌજના રાજા જયચંદએમંદિરપર સમ્રાટ વિક્રમાદિત્યના પ્રશસ્તિ શિલાલેખને ઉખાડીને પોતાનું નામ લખાવ્યું. પાનીપતના યુદ્ધમાં જયચંદના અવસાન પછી ભારતવર્ષ પર આક્રમણકારોના હુમલા વધતા ગયા. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યા જેવા તીર્થસ્થાનમાં ખૂનખરાબા કરીને આતંક મચાવ્યો.મંદિરોમાં લૂંટ ચલાવી અને પૂજારીની હત્યા કરીને પવિત્ર મૂર્તિઓ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ રહી. તેમ છતાં 14મી સદી સુધી આક્રમણકારીઓ અયોધ્યામાં શ્રીરામનુંમંદિરતોડી શક્યા ન હતા.
વિવિધ આક્રમણ પછી પણ શ્રીરામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલુંમંદિર14મી સદી સુરક્ષિત રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીના શાસન સુધી અહીંયામંદિરનું અસ્તિત્વ હયાત હતું. 14મી સદીમાં મોગલોએ ભારત પર જ્યારે પોતાની હકૂમત કાયમ કરી તે પછી જ શ્રીરામજન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવામાં આવ્યા. છેવટે 1527 – 1528માં આમંદિરને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરીનો ઢાંચો ઊભો કરવામાં આવ્યો.
મોગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરના સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થળ પરના પ્રાચીનમંદિરતોડીને એક મસ્જિદ બનાવી હતી, જે 1992 સુધી અસ્તિત્વમાં હતી.
બાબરનામા અનુસાર, 1528માં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં કોતરેલા બે સંદેશાઓ દ્વારા આ વાતનો પુરાવો મળે છે. તેમાંથી એક સંદેશનો સાર એ છે કે, ’જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે, એવા મહાન શાસક બાબરનાં આદેશ અનુસાર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુક્કમલ કરી છે.’ જોકે એવું પણ કહેવામાં આવે છે કે, અકબર અને જહાંગીરના શાસનકાળ દરમિયાન આ જગ્યા ચબૂતરાનાં સ્વરૂપે હિંદુઓને સોંપવામાં આવી હતી. પરંતુ ક્રૂર શાસક ઔરંગઝૈબે અહીં એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવીને તેનું નામ બાબરી મસ્જિદ રાખી તેમના પૂર્વજ બાબરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.
આ પછી, 491 વર્ષ સુધી શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પર શ્રીરામમંદિરના નિર્માણ માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી. હિંદુઓ શ્રીરામજન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરતા રહ્યા. હિંદુઓએ લાંબી કાનૂની લડત પણ લડી. છેવટે 9 નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે તમામ ઐતિહાસિક તથ્યો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેની તપાસ કર્યા પછી સ્વીકાર કર્યો કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ભગવાન શ્રી રામના જન્મભૂમિ સ્થળ પર શ્રીરામલલ્લા બિરાજમાન થવા જોઈએ. હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પર ભૂમિપૂજન સાથે શ્રી રામ મંદિર નિર્માણનો શુભારંભ થયો. અને હવે અયોધ્યાધામની શ્રી રામ જન્મભૂમિ પર 22 જાન્યુઆરી 2024ના સોમવારના રોજ દિવ્ય-ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે.