By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    1 hour ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    4 hours ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    5 hours ago
    ઓસ્ટ્રેલિયા બાળકો YouTube પર વિડીયો નહીં જોઈ શકે? ઉલ્લંઘન કરનારાઓને $50 મિલિયનનો દંડ થશે
    5 hours ago
    રશિયામાં ભૂકંપ: કામચાટકામાં ઇમારતો ધ્રુજી ! જુઓ વીડિયોમાં
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત જલ્દી ટ્રેડ ડીલ કરે નહીં તો હું 25% ટેરિફ લાદીશ: ટ્રમ્પની ફરી ધમકી
    1 hour ago
    કાન ખોલીને સાંભળી લો, ટ્રમ્પ અને મોદી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી: જયશંકર
    1 hour ago
    આસામ અને બંગાળમાં વસ્તી વિષયક ફેરફારો ‘ટાઇમ બોમ્બ’ જેવા છે, ઉકેલો શોધવાની જરૂર છે: ટીએન ગવર્નર
    4 hours ago
    ઓપરેશન મહાદેવ બાદ ‘ઓપરેશન શિવશક્તિ’માં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા
    5 hours ago
    જાતિ અહેવાલથી સજ્જ, રેવંત રેડ્ડી સરકારની 14 મુસ્લિમ જૂથો માટે BC ક્વોટા અને લાભોની યોજના
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    45 minutes ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    2 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    4 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    6 days ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    3 hours ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    3 hours ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    2 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    5 days ago
    રજનીકાંત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની આત્મકથા લખી રહ્યા છે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    1 day ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    2 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    2 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    5 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 day ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…
Bhavy Ravalખાસ-ખબર

અયોધ્યાધામનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ.. વાલ્મીકિ રામાયણથી વર્તમાન સુધી…

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

વાલ્મીકિ રામાયણમાં અયોધ્યા નગરીનું અદ્દભૂત વર્ણન:
મહર્ષિ વાલ્મીકિએ શ્રી રામ જન્મસ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે

કૌશલ પ્રદેશની પ્રાચીન રાજધાની અવધ કાલાંતરમાં અયોધ્યા અને બૌદ્ધકાળમાં સાકેત તરીકે ઓળખાતી હતી. અયોધ્યા નગરી મૂળ તોમંદિરોની નગરી હતી. અહીં હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મથી સંકળાયેલામંદિરોના અવશેષો આજે પણ જોઈ શકાય છે. જૈન મત અનુસાર અહીં આદિનાથ સહિત પાંચ તીર્થંકરોનો જન્મ થયો હતો. બૌદ્ધ મત અનુસાર અહીં ભગવાન બુદ્ધએ થોડા મહિનાઓ માટે વિહાર કરેલો. અયોધ્યા નગરીની સ્થાપના પ્રભુ શ્રીરામના પૂર્વજ, વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુએ કરી હતી. ત્યારથી લઈને મહાભારતકાળ સુધી અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓનું શાસન રહ્યું. અહીં જ ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના રાજમહેલમાં થયો હતો. મહર્ષિ વાલ્મીકિ એ પણરામાયણમાં આ જન્મ સ્થળની સુંદરતા, દિવ્યતા અને ભવ્યતાની તુલના બીજા ઈન્દ્રલોક સાથે કરી છે. ધન-ધાન્યથી ભરપૂર અને ગગનચુંબી ઈમારતોથી સુશોભિત આ નગરીનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ અદ્દભૂત રીતે કરવામાં આવ્યું છે. પ્રભુ શ્રીરામદ્વાર જળ સમાધિ લેવામાં આવ્યા બાદ, અયોધ્યા થોડા સમય માટે નિર્જન નગરી બની ગઈ હતી. તેમ છતાં તેમના જન્મસ્થળ પર બાંધવામાં આવેલ મહેલ એવોને એવો જ રહ્યો હતો. શ્રીરામના પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું પુન:નિર્માણ કરાવ્યું. આ પુન:નિર્માણ પછી, અયોધ્યા નગરી પર સૂર્યવંશી રાજાઓની 44 પેઢીઓએ શાસન કર્યું. આ વંશના છેલ્લા કૌશલ રાજ બૃહદ્વલનું મહાભારતનાં યુદ્ધમાં અર્જુન પુત્ર અભિમન્યુના હાથે વધ થયો હતો. મહાભારત યુદ્ધ પછી, અયોધ્યા નગરી પાછી વેરાન થઈ ગઈ હતી. પણ શ્રીરામજન્મભૂમિનું અસ્તિત્વ-મહત્વ તો એટલું જ બની રહ્યું.
આશરે 100 ઈસા વર્ષ, ઉજ્જૈનનાં ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યા નજીક પહોંચ્યા. થાકને લીધે તેઓ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે એક કેરીનાં વૃક્ષ નીચે પોતાની સેના સાથે વિશ્રામકરવા રોકાયા. તે સમયે આ વિસ્તારમાં માનવવસ્તી નહીંવત થઈ ગઈ હતી. અને ગાઢ જંગલ પથરાઈ ગયુ હતું. ત્યાં મહારાજા વિક્રમાદિત્યએ એ ભૂમિ પર કેટલાક ચમત્કારો જોયા. પછી તેમણે આ સ્થળ વિશે શોધ-સંશોધન કર્યું તો નજીકના યોગીઓ અને સંતોની કૃપાથી તેમને ખબર પડી કે, આ ભગવાન શ્રીરામની અવધ ભૂમિ છે.

- Advertisement -

રામ જન્મભૂમિ પ્રદેશ છે આકર્ષક અને અલૌકિક : એક સમયે અયોધ્યામાં અસંખ્ય મંદિર આવેલા હોવાથી મંદિરોની નગરી કહેવાતી

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર
માટે ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી, પરિણામ સ્વરૂપે શ્રી રામ મંદિરના નિર્માણ બાદ પ્રભુના પ્રાણપ્રતિષ્ઠાની ઘડી આવી ચૂકી છે

સંતોની સૂચના અનુસાર સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં એક વિશાળમંદિરતેમજ કૂવાઓ, સરોવરો, મહેલો વગેરેનું નિર્માણ કરાવ્યું. એવું કહેવામાં આવે છે કે તેમણે શ્રીરામના જન્મસ્થળ પર કાળા રંગના પથ્થરોના 84 સ્તંભો પર એક વિશાળમંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જેની વિશાળતા-વૈભવતા અચંબિત કરી મૂકે એવી હતી.
સમ્રાટ વિક્રમાદિત્ય પછી ઘણા રાજાઓએ સમય સમય પર આમંદિરની સંભાળ રાખી. તેમાંથી એક શુંગ વંશના પ્રથમ શાસક પુષ્યમિત્ર શુંગે પણ આમંદિરનું જીર્ણોદ્ધાર કરાવ્યુંહતું. પુષ્યમિત્રનું એક શિલાલેખ અયોધ્યા પાસેથી પ્રાપ્ત થયું હતું જેમાં તેમને સેનાપતિ તરીકે કહ્યા હતા અને તેમના દ્વારા બે અશ્વમેધ યજ્ઞ કર્યા હોવાનું પણ તેમા વર્ણન છે. અનેક શિલાલેખથી એવું જાણવા મળે છે કે, ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમય અને તે પછીના લાંબા સમય સુધી અયોધ્યા ગુપ્ત સામ્રાજ્યની રાજધાની હતી. ગુપ્ત મહાકવિ કાલિદાસે અનેક વખત રઘુવંશમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે.
ઈતિહાસકારોના મતે 600 ઈસા પૂર્વે અયોધ્યા નગર એક મહત્વનું વેપાર કેન્દ્ર હતું. જ્યારે ઈસા પૂર્વે પાંચમી શતાબ્દીમાં આ નગર એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર બન્યું ત્યારે આ નગરને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસિદ્ધિ મળી અને તે વધારે વિકાસ પામ્યું. એ પછીથી આ નગર સાકેત નામથી પણ પ્રસિદ્ધ થયું.
એવું કહેવામાં આવે છે કે ચીની ભિક્ષુ ફા-હિયાનએ અયોધ્યામાં ઘણા બૌદ્ધ મઠની નોંધ રાખી હતી. એ પછી સાતમી સદીમાં ચીની યાત્રી હેનત્સાંગ એ પણ અયોધ્યા નગરની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, અહીં 20 જેટલા બૌદ્ધમંદિરો હતા અને અહીં 3000 ભિક્ષુઓ રહેતા હતા. આ જ સ્થળે હિંદુઓનું એક મોટુંમંદિરપણ હતું, જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવતા હતા.
આ પછી, ઈસાની 11મી સદીમાં કન્નૌજના રાજા જયચંદએમંદિરપર સમ્રાટ વિક્રમાદિત્યના પ્રશસ્તિ શિલાલેખને ઉખાડીને પોતાનું નામ લખાવ્યું. પાનીપતના યુદ્ધમાં જયચંદના અવસાન પછી ભારતવર્ષ પર આક્રમણકારોના હુમલા વધતા ગયા. આક્રમણકારોએ કાશી, મથુરા તેમજ અયોધ્યા જેવા તીર્થસ્થાનમાં ખૂનખરાબા કરીને આતંક મચાવ્યો.મંદિરોમાં લૂંટ ચલાવી અને પૂજારીની હત્યા કરીને પવિત્ર મૂર્તિઓ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ રહી. તેમ છતાં 14મી સદી સુધી આક્રમણકારીઓ અયોધ્યામાં શ્રીરામનુંમંદિરતોડી શક્યા ન હતા.
વિવિધ આક્રમણ પછી પણ શ્રીરામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલુંમંદિર14મી સદી સુરક્ષિત રહ્યું હતું. એવું કહેવામાં આવે છે કે સિકંદર લોદીના શાસન સુધી અહીંયામંદિરનું અસ્તિત્વ હયાત હતું. 14મી સદીમાં મોગલોએ ભારત પર જ્યારે પોતાની હકૂમત કાયમ કરી તે પછી જ શ્રીરામજન્મભૂમિ અને અયોધ્યાને નષ્ટ કરવા માટે ઘણા અભિયાનો ચલાવામાં આવ્યા. છેવટે 1527 – 1528માં આમંદિરને તોડી પાડવામાં આવ્યું અને તેની જગ્યાએ બાબરીનો ઢાંચો ઊભો કરવામાં આવ્યો.
મોગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરના સેનાપતિએ બિહાર અભિયાન દરમિયાન અયોધ્યામાં શ્રીરામના જન્મસ્થળ પરના પ્રાચીનમંદિરતોડીને એક મસ્જિદ બનાવી હતી, જે 1992 સુધી અસ્તિત્વમાં હતી.
બાબરનામા અનુસાર, 1528માં અયોધ્યાના રોકાણ દરમિયાન બાબરે મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. અયોધ્યામાં બનેલી મસ્જિદમાં કોતરેલા બે સંદેશાઓ દ્વારા આ વાતનો પુરાવો મળે છે. તેમાંથી એક સંદેશનો સાર એ છે કે, ’જન્નત સુધી જેના ન્યાયની ચર્ચા છે, એવા મહાન શાસક બાબરનાં આદેશ અનુસાર મીર બાકીએ ફરિસ્તાઓની આ જગ્યાને મુક્કમલ કરી છે.’ જોકે એવું પણ કહેવામાં આવે છે કે, અકબર અને જહાંગીરના શાસનકાળ દરમિયાન આ જગ્યા ચબૂતરાનાં સ્વરૂપે હિંદુઓને સોંપવામાં આવી હતી. પરંતુ ક્રૂર શાસક ઔરંગઝૈબે અહીં એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવીને તેનું નામ બાબરી મસ્જિદ રાખી તેમના પૂર્વજ બાબરનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું.
આ પછી, 491 વર્ષ સુધી શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પર શ્રીરામમંદિરના નિર્માણ માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઘણા યુદ્ધો લડાયા, સનાતની શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપીને પણ આસ્થાની જ્યોતને ક્યારેય ઓલવવા ન દીધી, તેને સતત પ્રજ્વલિત રાખી. હિંદુઓ શ્રીરામજન્મભૂમિ ખાતે પૂજા અર્ચના કરતા રહ્યા. હિંદુઓએ લાંબી કાનૂની લડત પણ લડી. છેવટે 9 નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતે તમામ ઐતિહાસિક તથ્યો, પુરાવાઓ, સાક્ષીઓ વગેરેની તપાસ કર્યા પછી સ્વીકાર કર્યો કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ભગવાન શ્રી રામના જન્મભૂમિ સ્થળ પર શ્રીરામલલ્લા બિરાજમાન થવા જોઈએ. હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પર ભૂમિપૂજન સાથે શ્રી રામ મંદિર નિર્માણનો શુભારંભ થયો. અને હવે અયોધ્યાધામની શ્રી રામ જન્મભૂમિ પર 22 જાન્યુઆરી 2024ના સોમવારના રોજ દિવ્ય-ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !

આજે સુપ્રીમ કોર્ટમાં બિહાર મતદાર યાદી સુધારણાનો મુદ્દો: ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચ સુનાવણી કરશે

ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી

આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? જગદીપ ધનખરના ગયા પછી આ નામ ચર્ચામાં છે

ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી

TAGGED: AYODHYA, history, lordram, VALMIKIRAMAYANA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોટડા સાંગાણીના માણેકવાડા ગામે ફાર્મહાઉસમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર SMC ત્રાટકી
Next Article 2024માં ભાજપ 450થી વધારે સીટ પર ચૂંટણી લડશે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ફ્લેવરવાળા દેશી દારૂના પાઉચ બનાવી વેચતી બેલડી ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલ ભૂતેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં રામકથાનો આરંભ
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર નશામાં ધુત કારખાનેદારે સર્જ્યો અકસ્માત
રાજુલાના વાવેરા રોડ પર કબ્રસ્તાન પાસેના નાળામાં ગાબડું: અકસ્માતનો ભય, ધારાસભ્યને રજૂઆત
ઈફ્કો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો
રસ્તા, બ્યુટીફિકેશન, ગૌરવ પથ બનાવવા સહિતના 15 કામ પેન્ડિંગ: ઈખને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNખાસ-ખબરરાજકોટ

રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

આજે સુપ્રીમ કોર્ટમાં બિહાર મતદાર યાદી સુધારણાનો મુદ્દો: ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચ સુનાવણી કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઓગસ્ટના અંત સુધીમાં નવા ઉપરાષ્ટ્રપતિ, ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?