વિવાહ માત્ર ગીત-સંગીત કે ખાણીપીણીની ઉજવણી નથી, પવિત્ર સંસ્કાર છે : જરૂરી વિધિ વિના લગ્ન રદ્દ થઇ શકે : કાનુની જરૂરીયાત અને પવિત્રતા સ્પષ્ટ કરતી સર્વોચ્ચ અદાલત
સાત ફેરા વિના હિન્દુ વિવાહ માન્ય ન હોવાનો અત્યંત મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો છે અને હિન્દુ મેરેજ એકટ-1955 હેઠળ હિન્દુ લગ્નની કાનુની જરૂરીયાતો તથા પવિત્રતાને સ્પષ્ટ કરી છે.
- Advertisement -
સુપ્રિમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે, હિંદુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે ‘ગીત-નૃત્ય’, ‘પીવા-જમવાની’ (વાઇનીંગ એન્ડ ડાઇનીંગ) ઘટના નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂરી વિધિઓ કરવામાં ન આવી હોય તો હિંદુ લગ્ન રદબાતલ છે અને નોંધણી આવા લગ્નને માન્ય ગણી શકતી નથી.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિંદુ લગ્નને માન્ય રાખવા માટે, તે સપ્તપદી (પવિત્ર અગ્નિની આસપાસ પરિભ્રમણના સાત પગલાં) જેવા યોગ્ય સંસ્કારો અને વિધિઓ સાથે કરવામાં આવે છે અને વિવાદોના કિસ્સામાં આ સમારોહનો પુરાવો છે. જસ્ટિસ બી. નાગરથનાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, હિંદુ લગ્ન એ એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થા તરીકેનો દરજ્જો મળવો જોઈએ.
- Advertisement -
આ કારણોસર, અમે યુવક-યુવતીઓને વિનંતી કરીએ છીએ કે લગ્નની સંસ્થામાં પ્રવેશતા પહેલા તેના વિશે ઊંડાણપૂર્વક વિચાર કરો અને ભારતીય સમાજમાં આ સંસ્થા કેટલી પવિત્ર છે તેનો વિચાર કરો.
તેમણે કહ્યું, લગ્ન એ ‘ગીત અને નૃત્ય’ અને ’પીવા અને જમવાનું’ અથવા અનુચિત દબાણ દ્વારા દહેજ અને ભેટોની માંગણી અને વિનિમય કરવાનો પ્રસંગ નથી. લગ્ન એ કોઈ વ્યાપારી વ્યવહાર નથી, તે ભારતીય સમાજની એક મહત્વપૂર્ણ ઘટના છે જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધને સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે, જે ભવિષ્યમાં વધતા પરિવાર માટે પતિ અને પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરે છે.