મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોને ગૃહની કાર્યવાહી 1 વર્ષ માટે સ્થગિત કરવાના નિર્ણયને ગેરબંધારણીય અને અયોગ્ય ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્યોના 1 વર્ષના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેને રદ્દ કરી દીધું છે. ગત તા. 6 જુલાઈના રોજ, ધારાસભ્યોને સ્પીકરની સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તણુંક બદલ વિધાનસભામાં 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવું એ હાંકી કાઢવા કરતાં પણ ખરાબ છે અને સમગ્ર મતવિસ્તારને સજા કરશે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરે ટિપ્પણી કરી હતી કે, આ ચુકાદો હકાલપટ્ટી કરતાં પણ ખરાબ છે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ પણ આ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ ગૃહમાં કરી શકશે નહીં, કારણ કે આ વિસ્તારના ધારાસભ્યો ગૃહમાં હાજર રહેશે નહીં. આ સભ્યોને નહીં પરંતુ સમગ્ર મતવિસ્તારને સજા કરવા સમાન છે. જો કે, મહારાષ્ટ્ર સરકારે આ અંગે જવાબ દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે એ પણ ધ્યાન દોર્યું કે, બંધારણીય જોગવાઈઓ મુજબ કોઈ મતવિસ્તાર 6 મહિનાથી વધુ સમય માટે પ્રતિનિધિત્વ વિના રહી શકે નહીં. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની આ દલીલને ફગાવી દીધી હતી કે, કોર્ટ એસેમ્બલી દ્વારા આપવામાં આવેલી સજા વિશે પૂછપરછ કરી શકતી નથી. જ્યારે અરજદાર ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે, ગૃહ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ મતવિસ્તારના અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. આવી હકાલપટ્ટીથી સરકારને મહત્વના મુદ્દાઓમાં બહુમતી મત મેળવવા માટે ગૃહમાં સત્તાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી શકે છે. અરજદાર ધારાસભ્યો તરફથી મહેશ જેઠમલાણી, મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ અને સિદ્ધાર્થ ભટનાગર હાજર રહ્યા હતા.
ગત તા. 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વિધાનસભા સચિવને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, એ કહેવાની જરૂર નથી કે પિટિશનની પેન્ડન્સી ગૃહને અરજદારનો કાર્યકાળ ઘટાડવાની વિનંતી કરવાના માર્ગમાં આવશે નહીં. આ એક એવો મુદ્દો છે જેના પર ગૃહ વિચાર કરી શકે છે.
- Advertisement -