કોમેડિયન સુનીલ ગ્રોવરના ફેન્સને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે જાન્યુઆરીમાં એક્ટરની હાર્ટ સર્જરી થઈ હતી. સુનીલ ગ્રોવરના સ્વાસ્થ્યને લઈને ફેન્સ ખૂબ જ પરેશાન હતા. સર્જરીના થોડા દિવસો બાદ સુનીલ તંદુરસ્ત થઈને કામ પર પરત ફર્યા તો ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો. સુનીલની લાઈફ બેક ટૂ નોર્મલ થઈ ચુરી છે. હાર્ટ સર્જરી બાદ સુનીલના જીવનમાં શું ફેરફાર આવ્યા છે તેણે તેનો ખુલાસો કર્યો છે.
- Advertisement -
સુનીલ ગ્રોવરે જણાવ્યું હવે કેવું છે તેનું સ્વાસ્થ્ય
એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે હવે તે કેટલું રિલેક્સ્ડ ફિલ કરી રહ્યો છે. તેના હાર્ટે ફરી ધડકવાનું શરૂ કર્યું છે. પોતાના સ્વાસ્થ્ય પર બોલતા સુનીલે કહ્યું- મને કોવિડ થઈ ગયો હતો. કોરોનાના સામાન્ય લક્ષણો મારામાં જોવા મળ્યા હતા. બાદમાં મને બેચેની થવા લાગી તો મેં ડોક્ટરનો સંપર્ક કર્યો. મને એડવાન્સ ચેકઅપ લેવું પડ્યું કારણ કે ડોક્ટરને મારા હાર્ટને લઈને ઈશ્યુ લાગી રહ્યા હતા. પછી મારી સર્જરી થઈ. જે પણ મારા માટે બેસ્ટ હતું તે કરવામાં આવ્યું.
https://www.instagram.com/p/CdYV-4us6-x/
કોમેડિયનની થઈ હતી હાર્ટ સર્જરી
“મારૂ હાર્ટ ફરી ધબકી રહ્યું છે અને મને શ્વાસ લેવામાં વધારે મજા આવી રહી છે. હું વધારે હેલ્ધી અને એનર્જેટિક ફિલ કરી રહ્યો છું. હું વધારે ફોકસ્ડ છું. કામને વધારે વેલ્યુ કરૂ છું. ફરીથી સેટ પર જવાની લક્ઝરીને એન્જોય કરું છું. સર્જરી બાદ 15 દિવસમાં ખૂબ જ વિનમ્ર અને આભારી બની ગયો હતો. ખૂબ સ્વીટ થઈ ગયો હતો હું અને એવું લાગી રહ્યું હતું કે સૌની ઈજ્જત કરૂ. જીવન છે આભાર માનો. હવે મને લાગે છે કે તેની ઈન્ટેન્સિટી ઓછી થઈ ગઈ છે પરંતુ હજુ પણ એ દિલ છે અને હંમેશા રહેશે.”
- Advertisement -
https://www.instagram.com/p/CdSHGOPqa0A/
કોઈને નથી પડી કે કોઈના અંદર શું ચાલી રહ્યું છે
સુનીલ ગ્રોવરે જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીના લોકો મેકઅપ લગાવે છે. કેમેરાની સામે સ્માઈલની સાથે આવે છે. પરંતુ કોઈને નથી પડી કે તેમની અંદર શું ચાલી રહ્યું છે. એવામાં આપણે પણ ક્યારેક ક્યારેક સચ્ચાઈ ભુલી જઈએ છીએ. હવે લાગે છે કે આભારી રહેવું ખૂબ જ જરૂરી છે. સુનીલ ગ્રોવરના ફેન્સે તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવાની અપીલ કરી છે. વર્કફ્રંટની વાત કરવામાં આવે તો સુનીલ ગ્રોવરે ફિલ્મ બ્લેક આઉટની શૂટિંગ પુરી કરી છે. તે ઉપરાંત પ્રોજેક્ટના રિલીઝ થવાનો ફેન્સને ખૂબ જ ઈન્તેઝાર છે.