ખાસ-ખબર સંવાદદાતા
મનપાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને રજૂઆત કરી જણાવ્યું હતું કે ખોડિયારનગર વિસ્તારમાં ટીપી રોડ ખુલ્લા કરવાની કામગીરીમાં જે ડિમોલેશન હાથ ધર્યુ હતું તેમાં અસરગ્રસ્ત પરિવારજનોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવી. ભૂતકાળમાં ટીપી 7ના રોડ ખુલ્લા કરવામાં આવેલ ત્યારે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે અસરગ્રસ્ત પરિવારનો મોટા પ્રમાણમાં આવાસો ફાળવ્યા હતા. એ જ પ્રમાણે હાલમાં ખોડિયારપરાના અસરગ્રસ્ત પરિવારજનોને આવાસ ફાળવવા અનુરોધ કરાયો હતો.