રાજકોટના 80,507 સહિત રાજ્યના કુલ 15.27 લાખ વિદ્યાર્થી
ધો.10 માટે રાજ્યના 1006 સેન્ટરની 3243 બિલ્ડિંગના 31,001 બ્લોકમાં પરીક્ષા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂ ગાંધીનગર, તા.12
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ત્યારે બોર્ડ દ્વારા એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં રાજકોટના 80,507 વિદ્યાર્થી નોંધાયા છે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. ગુજરાતમાં ધોરણ. 10 અને 12ની પરીક્ષા માટે 15.27 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે આ સંખ્યા 14.28 લાખ જેટલી હતી. આમ ગત વર્ષની સરખામણીએ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે ધો.10-12ની પરીક્ષામાં કુલ 50,991 બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વખતે 53,764 બ્લોકનો ઉપયોગ થશે. ધો.12 સા. પ્રવાહમાં આ વખતે સૌથી વધુ 77,377 જેટલા વિદ્યાર્થી વધ્યા છે. ધોરણ.10 અને 12ની બોર્ડ પરીક્ષા આગામી તા.26 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 18 માર્ચ સુધી ચાલશે. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ 15,27,724 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.10માં કુલ 9,07,175 વિદ્યાર્થી નોંધાયા છે. જેમાથી 7,69,994 નિયમિત, 19,825 ખાનગી. 70,702 રિપીટર, 5,386 ખાનગી રિપીટર અને 41,286 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહ માટે કુલ 5,01,286 વિદ્યાર્થી નોંધાયા છે. જે પૈકી 4,37,279 નિયમિત, 35,174 ખાનગી, 15,813 રિપીટર, 7,873 ખાનગી રિપીટર અને પ.147 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.12 સાયન્સમાં 1,19,263 વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી 1,11,294 નિયમિત, 7,690 રિપીટર અને 279 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા છે. આ વખતે કુલ 7,363 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધો.12 માટે રાજ્યના 695 સેન્ટર જેમાં સામાન્ય પ્રવાહ માટે
539 સેન્ટરની 1728 બિલ્ડિંગના 16,664 બ્લોક જ્યારે સાયન્સ માટે 156 સેન્ટરની 594 બિલ્ડિંગના 6,099 બ્લોકમાં પરીક્ષા
- Advertisement -
ક્ષ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થી કરતા
એક કલાક વધુ અપાશે
ક્ષ ધો.10ના વિદ્યાર્થીઓને નવી પેપર સ્ટાઇલ મુજબ જનરલ ઓપ્શનનો લાભ મળશે
ધોરણ.10માં દિવ્યાંગ વિદ્યાર્થી 4,877, ધો.12 સામાન્ય પ્રવાહમાં 2,293 અને ધોરણ.12 સાયન્સમાં 193 દિવ્યાંગ વિદ્યાર્થી નોંધાયા છે. પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા કુલ 1,701 કેન્દ્રમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ધોરણ.10ની પરીક્ષા માટે 87 ઝોનના 1,009 કેન્દ્ર, 3,243 બિલ્ડિંગના 31,001 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધોરણ. 12માં 59 ઝોનમાં કુલ 695 કેન્દ્ર નક્કી કર્યાં છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 539 કેન્દ્રના 1728 બિલ્ડિંગના 16,664 બ્લોકમાં લેવાશે. ધો.12 સાયન્સની પરીક્ષા 156 કેન્દ્રના 594 બિલ્ડિંગના 6,099 બ્લોકમાં લેવાશે.જેન્ડર મુજબ નોંધાયેલા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો, ધોરણ.10માં 4,98,305 પુરષ અને 4,08,870 મહિલા ઉમેદવાર નોંધાઈ છે. આવી જ રીતે ધોરણ. 12 સાયન્સમાં 62,609 પુરૂષ ઉમેદવાર જ્યારે 56,954 મહિલા ઉમેદવાર નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 2,61,697 પુરુષ ઉમેદવાર જ્યારે 2,39,589 મહિલા ઉમેદવાર નોંધાયા છે.
70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પ્રશ્ર્ન પૂછવામાં આવશે
નવી શિક્ષણ નીતિ અનુસાર 70% સબ્જેક્ટીવ અને 30% ઓબ્જેક્ટિવ પૂછવામાં આવશે. જેથી 80 માર્કના પેપરમાં 56 માર્કનો સબ્જેક્ટિવ પુછાશે. જ્યારે 24 માર્કનું ઓબ્જેકટીવ પૂછવામાં આવશે. ઓબ્જેકટીવમાં ખાલી જગ્યા, જોડકા જોડો અને એક શબ્દમાં જવાબ આપો તે પ્રકારના સવાલો અથવા ખઈચ પૂછાય. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે એટલે કે વિદ્યાર્થીઓને એક સવાલ ન આવડતું હોય તો તેના અથવામાં બીજો ઓપ્શન આપવામાં આવશે જેને કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં સરળતા રહેશે. જ્યારે બી સેક્સન 56 માર્કનું હોય છે. જેમાં કુલ 13 પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ 9ના જવાબ આપવાના હોય છે. જનરલ ઓપ્શનની સિસ્ટમ છેલ્લા ત્રણ વર્ષથી એપ્લાય થઈ છે. જેના લીધે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખૂબ જ સરળતા રહે છે. સેક્શન ઈમાં 3 માર્કવાળા પ્રશ્નો હોય. જેમાં 9 માંથી કોઈ પણ 6 સવાલના જવાબ આપવાના હોય છે. આ ઉપરાંત સેક્શન ઉમાં 4 માર્કવાળા પ્રશ્ર્નો હોય છે. જેમાં 8 પ્રશ્ર્નો પૂછવામાં આવ્યો હોય અને તેમાંથી કોઈ પણ 5 ના જવાબ આપવાના હોય છે.
સૌરાષ્ટ્રમાં ધો.10-12ના કેટલાં વિદ્યાર્થીઓ?
સૌરાષ્ટ્રમાં ધો.10 ના વિદ્યાર્થીઓ
જિલ્લો વિદ્યાર્થીઓ
રાજકોટ 46705
ભાવનગર 37501
જૂનાગઢ 24823
સુરેન્દ્રનગર 20014
અમરેલી 19567
ગીર સોમનાથ 18355
જામનગર 17343
મોરબી 14014
બોટાદ 10082
દેવભૂમિ દ્વારકા 9125
પોરબંદર 7258
કુલ 2,24,787
ધો.12 વિજ્ઞાન પ્રવાહ
જિલ્લો વિદ્યાર્થીઓ
રાજકોટ 7927
ભાવનગર 6292
જૂનાગઢ 2754
જામનગર 1905
મોરબી 1888
અમરેલી 1635
ગીર સોમનાથ 1484
સુરેન્દ્રનગર 1271
બોટાદ 930
પોરબંદર 413
દેવભૂમિ દ્વારકા 331
કુલ 26830
ધો.12 સામાન્ય પ્રવાહ
જિલ્લો વિદ્યાર્થીઓ
રાજકોટ 25875
ભાવનગર 18868
જૂનાગઢ 11772
સુરેન્દ્રનગર 10923
અમરેલી 10472
ગીર સોમનાથ 9672
જામનગર 9169
મોરબી 6926
બોટાદ 5542
દેવભૂમિ દ્વારકા 3936
પોરબંદર 3883
કુલ 1,23,011
જેલના 99 કેદી પણ પરીક્ષા આપશે
ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે જેલના 99 કેદીઓ પણ ફોર્મ ભર્યાં છે. ધોરણ.10ની પરીક્ષા માટે 59 અને ધો.12માં 40 કેદી પરીક્ષાર્થી નોંધાયા છે. જેલના કેદીઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની મધ્યસ્થ જેલમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે ધો.10માં 72 અને ધો.12માં 41 મળી કુલ 113 કેદી નોંધાયા હતા.



