By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોના વિઝાની મુદ્દત ઘટશે
    11 hours ago
    અમેરિકાની મિનેસોટા કેથોલિક સ્કૂલમાં થયેલા હુમલામાં 2 બાળકોના મોત, 17 પીડિતો ઘાયલ
    16 hours ago
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    4 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    4 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલના બનાલામાં ભૂસ્ખલન, ચંદીગઢ-મનાલી હાઇવે બંધ: 2000 પ્રવાસી ફસાયા
    10 hours ago
    ઇન્ટેલે નેપાળ થઈને બિહારમાં જૈશના 3 આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્ય હાઈ એલર્ટ પર
    13 hours ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે, સંરક્ષણ, વ્યાપાર, અર્થવ્યવસ્થા સાહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે
    14 hours ago
    વેપાર હવે હથિયાર બની ગયો છે: રઘુરામ રાજન અમેરિકાના ટેરિફને ભારત માટે ચેતવણીનો ઘંટ ગણાવ્યો
    14 hours ago
    મિઝોરમ વિધાનસભામાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    1 day ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    2 days ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    3 days ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    4 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    13 hours ago
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    4 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    4 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    7 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 day ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    3 days ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    4 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    10 hours ago
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    1 day ago
    વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
    1 day ago
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    3 days ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋતુ ચક્ર પરિવર્તન અને પ્રાચીન શાસ્ત્રોમાં પ્રલય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઋતુ ચક્ર પરિવર્તન અને પ્રાચીન શાસ્ત્રોમાં પ્રલય
Author

ઋતુ ચક્ર પરિવર્તન અને પ્રાચીન શાસ્ત્રોમાં પ્રલય

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 4:36 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

કાર્તિકોલોજી:કાર્તિક મહેતા

ધાર્મિક ગ્રંથો પણ પ્રલયનું વર્ણન કરતા આવ્યા છે

- Advertisement -

ચોમાસાની ઋતુ પૂરબહારમાં છે. પરંતુ વિશ્વમાં આ વખતે ઋતુચક્રમાં મોટો પલટો અનુભવાયો છે. યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા અત્યન્ત શીત પ્રદેશોમાં હિટ વેવ અનુભવાયા હતા, દુબઇ જેવા પ્રદેશમાં અતિવૃષ્ટિના સમાચાર હજુ તાજા છે ત્યાં કેનેડામાં અતિવૃષ્ટિના સમાચાર આવ્યા છે. ભારતમાં પણ અનેક પ્રદેશોમાં અસાધારણ વરસાદ થયો છે. વિશ્વના મોટાભગના દેશોએ ઋતુચક્રમાં પરિવર્તનનો અનુભવ કર્યો છે. એક્ધદરે કાળ પરિવર્તનના લક્ષણો સ્પષ્ટ રીતે દેખાય છે.

કાળ પરિવર્તનને આયુર્વેદમાં પ્રલય અથવા મહામારીનો સંકેત ગણવામાં આવે છે. આચાર્ય ચરક જનપદોધ્વંસ નામના પ્રકરણમાં પ્રલય અથવા મહામારીનું વિશદ વર્ણન કરે છે. આચાર્ય ચરક સહીત આયુર્વેદના અન્ય આચાર્યો જેવાકે મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ભેલે પણ પ્રલય /જનપદોધ્વંસ/મહામારી બાબતે ઘણી મીમાંસા કરી છે.
આયુર્વેદ કહે છે કે જનપદોધ્વંસ એટલે કે પ્રલયનો પ્રારંભ માણસના મનથી થાય છે. માણસનું મન ભ્રષ્ટ થાય એને પ્રજ્ઞાપરાધ કહેવામાં આવે છે. પ્રજ્ઞા એટલે ધીરજ, બુદ્ધિ અને સ્મૃતિનું મિશ્રણ. જ્યારે આ ત્રણ ભ્રષ્ટ થાય ત્યારે માણસનું મન બગડે છે અને તે અધર્મ કરવા પ્રેરાય છે. અધર્મ આચરવા વાળો માણસ પ્રથમ વાયુ તત્વને પ્રદુષિત કરે છે. (ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુ પ્રદુષણ ને કારણે જ થાય છે , ખરુંને ?? )ત્યારબાદ અધર્મી માણસ પાણી અને દેશ એટલે કે જમીનને પ્રદુષિત કરે છે. (ઔદ્યોગિક “વિકાસ”ને લીધે પાણી અને જમીન અત્યન્ત પ્રદુષિત થયા છે) અને છેવટે કાળ એટલે કે ઋતુચક્ર પ્રદુષિત થાય છે. કાળનું પ્રદુષણ પ્રલય અને મોટાપાયે જાનહાની નોતરે છે. આમ, જાનહાની કે મહામારી કે પ્રલય જે કહો તે , એનું મુખ્ય કારણ અધર્મ છે તેવું આયુર્વેદ સ્પષ્ટ રીતે જણાવે છે.

શતપથ બ્રાહ્મણ અને પુરાણમાં પ્રલયનું વર્ણન જોવા મળે છે. સાતમા મનુ વૈવસ્વત મનુ મહારાજને એક માયાવી મત્સ્ય ચેતવણી આપે છે કે થોડા સમય પ્રલય આવી રહ્યો છે જેથી તેણે (મનુ મહારાજે) એક વિશાળ નૌકાનું નિર્માણ પ્રારંભ કરવું. ભારે વરસાદ રૂપે પ્રલયની શરૂઆત થાય એટલે પોતાના કુટુંબ સહિત વનસ્પતિના બીજો અને પ્રાણીના બચ્ચાંઓ સાથે તે નૌકા ઉપર જતું રહેવું.

- Advertisement -

મત્સ્યના કહેવા અનુસાર મનુ મહારાજ ભારે વરસાદ પ્રારંભ થતા નૌકા પર જતા રહે છે અને જ્યારે પાણી ઉતરે છે ત્યારે મનુ મહારાજ નૌકાથી ઉતરે છે અને આહુતિઓ આપીને ફરી સૃષ્ટિ રાચે છે. આમ, તમામ લોકો મનુ મહારાજના સંતાન હોવાથી મનુષ્ય કે માનવ કહેવાયા.

યહુદીઓના પવિત્ર ગ્રન્થ બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ આવું જ વર્ણન જોવા મળે છે. બાઇબલ અનુસાર આદમ અને ઇવની દસમી પેઢીએ નોઆહનો જન્મ થાય છે. નોઆહના સમયમાં અધર્મ વધવાથી ઈશ્વર (બાઇબલનું નામ યહોવા, જે ઈશ્વર સાથે મળતું આવે છે) નોઆહને કહે છે કે તમે મનુષ્યોએ પૃથ્વીને ક્રોધ અને હિંસાથી ભરી દીધી છે.આથી હું અત્યન્ત ખિન્ન છું. હવે હું આ સમગ્ર સૃષ્ટિનો નાશ કરીશ. સતત વરસાદ વરસશે અને પૃથ્વી જળબમ્બાકાર થશે. આથી તું એક નૌકાનું નિર્માણ કર. આ નૌકામાં તું તારા પરિવાર સાથે વનસ્પતિના બીજ અને પ્રાણીઓની જોડીઓ લઈને જજે. નોઆહે ઈશ્વરના આદેશ પ્રમાણે નૌકા બનાવી. પૃથ્વી ઉપર ઈશ્વરે જ્યારે જળપ્રલય કર્યો ત્યારે નોઆહ તે નૌકા ઉપર વનસ્પતિના બીજ અને પ્રાણીઓની જોડીઓ લઈને જતા રહયા. જળ પ્રલયના પાણી ઓસર્યા બાદ નોઆહ સહુ સાથે નૌકાથી નીચે ઉતર્યા, આહુતિઓ આપી અને સૃષ્ટિનું નિર્માણ શરુ કર્યું. અત્રે નોંધવું રહે કે હિન્દૂ શાસ્ત્રો સાથે મળતી આવતી આ બાઇબલની કથામાં પ્રલય વન ટાઈમ બનતી ઘટના છે. જ્યારે હિન્દૂ શાસ્ત્રો અનુસાર પ્રલય એક ચક્રીય ઘટના છે જે સમયાંતરે (ચાર યુગોના કલ્પ ને અંતે) બનતી રહે છે. બાઇબલ અનુસાર પ્રલય બાદ વસેલી સૃષ્ટિ ફરીવાર આડેધડ વિકાસ કરવા લાગે છે. લોકો શહેરો વસાવે છે અને ખુબ બાંધકામ કરે છે જે જોઈને યહોવા એટલે કે ઈશ્વર દુ:ખી થાય છે. આથી ઈશ્વર વિચારે છે કે જો આમને આમ આડેધડ વિકાસ ચાલતો રહ્યો , શહેરો બનતા રહ્યા તો મનુષ્યો સૃષ્ટિને પાયમાલ કરી દેશે. ઈશ્વર આનો ઉપાય વિચારીને એવું કરે છે કે તમામ મનુષ્યોને અલગ અલગ સ્થળે મોકલી આપે છે , એમની ભાષાઓ બદલી નાખે છે જેથી મનુષ્યો ભેગા થઈને સૃષ્ટિનો ખુરદો કાઢી શકે નહિ.

પણ આજે વિજ્ઞાનને લીધે મનુષ્યો એક ભાષા બોલે છે, આડેધડ વિકાસ કરે છે, આડેધડ બાંધકામો કરે છે, પ્રદુષણ કરે છે. આથી અધર્મનું આચરણ વધ્યું છે. અને અધર્મ વધે એટલે પ્રલય નજીક છે એમ તમામ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથો કહે છે.

આ પ્રલયથી બચવા માટે આપણે મનુ મહારાજ કે નોઆહ ની જેમ નૌકા બાંધી શકીએ નહિ પણ આયુર્વેદને અનુસરી શકીએ. આયુર્વેદ પ્રલય કે વિધ્વંસ થી બચવા માટેના ઉપાયો પણ આપે છે.પ્રલય પ્રાકૃતિક ઘટના છે એને કોઈ ટાળી શકતું નથી પણ એનાથી બચી જરૂર શકાય છે. આયુર્વેદ અનુસાર યોગ આચરવા વાળા (માત્ર યોગાસન થી હાથ પગ કમર મરડવા વાળા નહિ) મહામારીથી બચે છે. ઉપવાસ, સંયમ અને યોગ્ય રસાયણ (ઔષધિઓ)ના ઉપયોગથી મહામારીથી બચી શકાય છે. પ્રલય અવશ્યંભાવી છે, નિશ્ચિત છે. એટલે આપણે મનુ મહારાજની નૌકામાં બેસવા લાયક બનવાનું છે.

You Might Also Like

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા અધકચરી માહિતી

લગ્નમાં છેતરપિંડી

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

TAGGED: scriptures, Seasonal cycle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇતિહાસથી છલોછલ પુસ્તક ‘ઇતિહાસની અટારીએથી’
Next Article રાજકોટની બે પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાં સામે મહિલા પોલીસમાં ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજ્યમાં બાળકોની હિંસાના મહિને 5 હજારથી વધુ કેસ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
માછીમારની જાળમાં 20 કિલો પ્લાસ્ટિક ફસાય છે: સંશોધન
રાજ્યનાં 41% વિદ્યાર્થીઓ લે છે ખાનગી ટયુશન
જજની પ્રસ્તાવિત બદલીને લઈ આજે પણ હાઇકોર્ટના વકીલો હડતાળ પર
હિમાચલના બનાલામાં ભૂસ્ખલન, ચંદીગઢ-મનાલી હાઇવે બંધ: 2000 પ્રવાસી ફસાયા
પાલિતાણામાં ચાતુર્માસ આરાધના ભવ્ય રીતે યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા અધકચરી માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

લગ્નમાં છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?