30 નવેમ્બર સુધીમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ અને નિયત ફી ભરીને નોંધણી કરાવી શકશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી તો નિયત સમયે ન થઇ પરંતુ હાલ યુનિવર્સિટીના સત્તાધીશોએ નોંધાયેલા સ્નાતક વિભાગના મતદારોની યાદી રિવાઈઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. યુનિવર્સિટીએ જાહેરાત કરી જણાવ્યું છે કે, 31 ડિસેમ્બરના રોજ જે મતદારોની નોંધણી પૂર્ણ થઇ રહી છે તેવા મતદારોએ રિન્યૂ કરવા માટે 30 નવેમ્બર સુધીમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ અને નિયત ફી ભરીને નોંધણી કરાવી શકશે.
- Advertisement -
યુનિવર્સિટીએ જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની જુદી જુદી વિદ્યાશાખાઓના નોંધાયેલા સ્નાતકોની મતદારયાદીમાં નામ નોંધાવવા માગતાં અને સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા હોય તેવા સ્નાતકો તથા જેઓની નોંધણીની મુદત તા.31/12/2022ના રોજ પૂરી થતી હોય અને જેઓ પોતાનું નામ મતદારયાદીમાં ચાલુ રાખવા માગતાં હોય તેવા સ્નાતકો પાસેથી ઓનલાઈન નિયત નમૂનામાં આવેદન મગાવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના 110 કેન્દ્ર ઉપર 42,099 વિદ્યાર્થીઓએ બીજા તબક્કાની પરીક્ષા આપી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી જુદા જુદા 20 જેટલા કોર્સના 42,099 વિદ્યાર્થીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજની પરીક્ષામાં ચઙઉજ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેમાં પરીક્ષાના એક કલાક પૂર્વે પ્રશ્નપત્ર પરીક્ષા કેન્દ્ર પર ઓનલાઇન ઇ-મેઇલ મારફત મોકલવામાં આવ્યા છે પરંતુ બી.કોમ સહિતની કેટલીક ફેકલ્ટીના પ્રશ્નપત્ર ઓફલાઈન મોકલવામાં આવ્યા છે.