રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા અવાર નવાર મિસાઇલ હુમલા કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે રશિયા આરપારના હુમલાની તૈયારી કરી રહ્યું છે. એવા અહેવાલો છે કે રશિયાએ યુક્રન પર રાસાયણિક હુમલાની તૈયારી કરી લીધી છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ આપી હતી. તેઓએ સાથે જ પશ્ર્ચિમિ દેશોને વિનંતી કરી છે કે તે રશિયા પર દબાણ વધારે અને વધુ પ્રતિબંધો લગાવે.
દરમિયાન રશિયાના હુમલામાં યુક્રેનના મારિયૂપોલમાં એક થીયેટરનો નાશ કરાયો હતો જ્યારે મિકોવૈલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને હુમલામાં બરબાદ કરી નાખ્યું હતું. આ સાથે જ બુજોવામાં એક સામૂહિક કબર મળી આવી છે. જેમાંથી 50થી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ લોકો યુદ્ધમાં માર્યા ગયા હોવાની શંકા છે.
- Advertisement -
અમે વિનંતી કરીએ છીએ કે જે આક્રામક્તાથી રશિયા હુમલા કરી રહ્યું છે તેટલી જ આક્રામક્તાથી તેના પર અન્ય દેશો પ્રતિબંધો વધારતા જાય. બીજી તરફ અમેરિકા અને બ્રિટને કહ્યું છે કે તે રાસાયણિક હુમલાની શક્યતાઓના રિપોર્ટને કારણે ચિંતામાં છે. અમેરિકાએ પણ કહ્યું કે જો આ હકિકત હોય તો તે બહુ જ ચિંતાનો વિષય છે.
પશ્ર્ચિમિ દેશોની આ ચિંતા વચ્ચે રશિયાના પ્રમુખ પુતિને હવે પશ્ર્ચિમિ દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે રશિયાને અલગ થલગ ન કરી શકો. આ મુશ્ર્કેલી વચ્ચે પણ રશિયા લાંબી છલાંગ લગાવી શકે છે. જેને પગલે ભડકેલા પુતિને 150 જેટલા જાસુસોને કાઢી મુક્યા છે અને અનેક એજન્ટોની ધરપકડ કરવામાં આવી રહી છે.
ભારત કરતા યુરોપ રશિયા પાસેથી વધુ ક્રૂડ ખરીદે છે: જયશંકર
રશિયા પાસેથી ભારત સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી કરે તેવી શક્યતાઓ છે. જોકે અમેરિકાએ આમ ન કરવાની ચેતવણી ભારતને આપી છે. બીજી તરફ ભારતે પણ જવાબ આપ્યો છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે યુરોપ જેટલુ ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે તેટલુ ભારત એક મહિનામાં પણ નથી ખરીદતું. અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન સામે પોતાની વાત રજુ કરતા જયશંકરે કહ્યું હતું કે અમે રશિયા અને યુક્રેનના યુદ્ધના વિરોધમાં છીએ. અમે હિંસાને ક્યારેય સમર્થન નહીં આપી. એસ જયશંકરે કહ્યું હતું કે અમેરિકા અને જે પણ દેશો રશિયા પાસેથી અમે ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યા છીએ તેનો વિરોધ કરી રહ્યા છે.