ઇશ્ર્વર, અલ્લાહ અને ઇશુને આવેદનપત્ર અપાયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહિત રાજયભરના અને દેશના કુલ 65 લાખ ઇપીએફ 95 આધારિત પેન્શનરોને નજીવું પેન્શન આપતા હોવાના પ્રશ્ર્ન વર્ષોથી ચલાવતી મધુર સોશ્યલ ગૃપ અને કચ્છ કાઠીયાવાડ ગુજરાત પેન્શન એસોસિએશનની માંગણી આવેદનપત્ર રજુઆત વિનંતીની કલેકટરથી ઇપીએફ કમિશ્ર્નર અને મુખ્યમંત્રીથી લઇ વડપ્રધાન સુધીના પદાધિકારીઓની લેખિત મૌખિક રજૂઆતોનો કોઇ પરિણામ ન આવતા અંતે કર્મચારીઓ દ્વારા ઇશ્ર્વર, અલ્લાહ અને ઇશુના શરણે જવાનું નિર્ણય કરીને આવેદનપત્ર આપ્યુ હતુ.
મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ શ્રી ગુજરાતીએ જણાવ્યુ હતુ કે, લોકશાહી ઢબે કરવામાં આવેલી તમામ રજૂઆતોમાં ફળતા મળી નથી ત્યારે હવે અંતિમ પ્રયાસ રૂપી ઇશ્ર્વર, અલ્લાહ અને ઇશુ સમક્ષ અમારી વેદના રજુ કરવા માટે દાતાર જમિયલશા અને ભવનાથ દાદા અને ઇશુને આવેદનપત્ર આપ્યુ હતુ અને નિવૃત્ત પેન્શનરો કર્મચારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા અને કુદરત પાસે બંદગી કરીને પોતાની વર્ષો જુની માંગણીઓ સ્વીકારવા માટે પ્રાર્થના કરી હતી.