આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, નદીઓ બે કાંઠે, અનેક રસ્તાઓ બંધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે.
આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. આજે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 95 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તો બીજી તરફ જામનગરના કાલાવડમાં પૂલ તૂટ્યો હતો. જેથી એક સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા. જેથી ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેમજ સંખેડાની એના નદીમાં પૂર આવ્યું હતું. જેથી ડાયવર્ઝન ધોવાઈ જતા રસ્તો બંધ થયો હતો. બરવાળાના ચોકડી ગામે વીજળી પડતાં યુવાનનું મોત થયું હતું.
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરના લાલપુર તાલુકામાં 65 ખખ, ઓલપાડમાં 47 MM, કલ્યાણપુરમાં 42 MM, ભાણવડમાં 36 MM, સંખેડામાં 34 MM, કરજણમાં 33 ખખ, નેત્રંગમાં 30 ખખ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ અડધાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. તેમજ આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં વલસાડમાં 22 MM, ગણદેવીમાં 6 MM વરસાદ વરસ્યો હતો.
જામનગર ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. લાલપુરમાં આજે રાજ્યનો સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી લાલપુરની ઢાંઢર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઢાંઢર નદીમાં પૂરને પગલે અનેક વાહનચાલકો ફસાયા હતા.
આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. હવામાન વિભાગ દ્વારા હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તદપરાંત ગુજરાતના દક્ષિણ ભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સહિત દીવમા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરના લાલપુર તાલુકામાં 65 ખખ, ઓલપાડમાં 47 ખખ, કલ્યાણપુરમાં 39 ખખ, ભાણવડમાં 36 ખખ, સંખેડામાં 34 ખખ, કરજણમાં 33 ખખ, નેત્રંગમાં 30 ખખ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ અડધાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલથી પુન: મેઘરાજાના મંડાણ થયા છે. ગઈકાલે રાત્રે ખંભાળિયામાં ધોધમાર ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આ સાથે આજે પણ ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોડ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા.
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની એના નદીમાં પૂર આવ્યું હતું. જેથી કોતર ઉપર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ ગયો હતો. જેને પગલે રસ્તો બંધ થતા 25થી વધુ ગામોના લોકોને અસર પહોંચી છે.
સંખેડા તાલુકાના કરાલી ગામ પાસેથી પસાર થતી એના નદીમાં પૂર આવ્યા હતા. હાલ એના નદી પર સ્લેબ ડ્રેઈનનું કામ ચાલુ કરાતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝન નદીમાં પૂર આવતા ધોવાઈ ગયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાંડોદથી કઠોલી વચ્ચે કરાલી પાસે એના નદી પર હાલ સ્લેબ ડ્રેઈનનું કામ ચાલુ છે અને આ સ્લેબ ડ્રેઈન બંધ થવાથી કરાલીથી આગળના 25થી વધુ ગામો સાથેનો માર્ગ વ્યવહારને ખૂબ મોટી અસર પહોંચી છે. આ ડાયવર્ઝન તૂટતાં વિસ્તારના લોકોને તાલુકા મથક સંખેડા જવા માટે લગભગ 10 કિલોમીટર નો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે.