સ્વામી વિવેકાનંદના પુસ્તકો હવે આંગળી ના ટેરવે
રામકૃષ્ણ આશ્રમ દ્વારા ‘વિવેકાનંદ બુક વર્લ્ડ ‘ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરાયું
- Advertisement -
સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી અને શક્તિશાળી વિચારો, દાયકાઓથી આબાલવૃદ્ધ સૌ કોઈને જીવન બળ પુરું પાડી રહ્યા છે. વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ ઇન્ટરનેટના કારણે મોબાઇલ કે ટેબલેટમાં સમાવા માંડ્યું છે. ત્યારે સમયના પલટાતા જતા પ્રવાહ સાથે કદમ મિલાવીને હવે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘વિવેકાનંદ બુક વર્લ્ડ’ નામનું એક મોબાઈલ એપ તૈયાર કરવામાં આવ્યું છે.આ એપ દ્વારા વાચકો શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક ના બધા અંકો તથા આશ્રમ દ્વારા પ્રકાશિત ધણા પુસ્તકોને પણ ઈ બૂક્સ સ્વરૂપે વાંચી શકશે. શ્રી રામકૃષ્ણ -વિવેકાનંદ સાહિત્ય ઓનલાઇન ખરીદી શકશે અને સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી સુવિચારો પણ મેળવી શકશે. વિશ્વના ખૂણે ખૂણે વસતા ગુજરાતી વાચકો આ એપના માધ્યમથી સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના સંદેશ ને ઘેર બેઠા વાંચી શકશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં તારીખ ૨૧ જૂનના રોજ શ્રીમત્ સ્વામી સુવીરાનંદજી મહારાજ, મહાસચિવ, શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવ્યું હતું. ગુગલ પ્લે સ્ટોરમાં “Vivekananda book world” ટાઈપ કરીને આ એપ ડાઉનલોડ શકાશે.