By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    21 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    21 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    16 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    20 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    21 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    22 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    21 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    19 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    21 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    21 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એઈમ્સના ચેરમેનપદે ડૉ. વલ્લભ કથીરિયાની વરણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ એઈમ્સના ચેરમેનપદે ડૉ. વલ્લભ કથીરિયાની વરણી
ખાસ-ખબરગુજરાતરાજકોટ

રાજકોટ એઈમ્સના ચેરમેનપદે ડૉ. વલ્લભ કથીરિયાની વરણી

Khaskhabar Editor
Last updated: 2023/08/17 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટ એઇમ્સમાં વિવિધ રોગની સારવાર અને નવા તબીબી સંશોધનો માટે મહત્તમ પ્રયાસો કરાશે: વલ્લભ કથીરિયા

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતની પ્રથમ એઈમ્સના પ્રથમ પ્રમુખ તરીકે રાજકોટથી 4 વખત સંસદસભ્ય તરીકે રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. વલ્લભ કથીરિયાની વરણી કરવામાં આવી છે. આજ રોજ ખાસ-ખબર દ્વારા તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબરના વિવિધ સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે, ગત સાંજે રાજકોટ એઈમ્સના પ્રમુખ તરીકે તેમનું નામ જાહેર કરવામા આવ્યું છે તેવી જાણ થઈ છે. ગુજરાતની પ્રથમ એઈમ્સના પ્રમુખ તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી, જે.પી.નડ્ડા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ વગેરેનો ડો. વલ્લભ કથીરિયાએ આભાર માન્યો હતો. રાજકોટની એઇમ્સના પ્રથમ ચેરમેન તરીકે રાજકોટના જાણીતા સર્જન ડો. વલ્લભ કથીરિયાની નિમણૂંક થતાં આજે સવારે એઈમ્સના ડિરેક્ટર કર્નલ સી.ડી. કટોચાએ તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ શુભેચ્છા પાઠવેલી હતી. આ અંગે ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં એઈમ્સ પ્રમુખનો ચાર્જ સંભાળશે.

- Advertisement -

ભારત સરકાર દ્વારા ગુજરાતની સૌ પ્રથમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ (એઇમ્સ) રાજકોટમાં જામનગર રોડ પર નિર્માણ પામી રહી છે તે દિવાળી આસપાસ વિધિવત રીતે કાર્યરત થાય તેવા સંકેત છે.

ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવેલું હતું કે, હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં 4 એઇમ્સ હતી. અત્યારે વધીને 18 થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડિકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે.

ડૉ. કથીરિયા અટલજીની સરકારમાં રહી ચૂક્યા છે કેન્દ્રીય મંત્રી
લેઉવા પાટીદાર અગ્રણી ડો. વલ્લભ કથીરિયા આરોગ્ય, રાજકીય, સામાજિક વગેરે ક્ષેત્રના વર્ષોના અનુભવી છે. અટલજીની સરકારમાં માનવ સંશાધન, ભારે ઉદ્યોગ, આરોગ્ય વગેરે વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. રાજકોટ મતક્ષેત્રથી સતત 4 વખત લોકસભામાં ચૂંટાયા હતા. ગુજરાતમાં ગૌ સેવા આયોગના ચેરમેન તથા કેન્દ્રના કામધેનુ આયોગના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે. તેઓ સુપ્રસિધ્ધ સર્જન છે. ગૌસેવા ક્ષેત્રે તેમની વિશેષ કામગીરી છે. તેમની આગેવાનીમાં ગયા મે મહિનામાં રાષ્ટ્રીય કક્ષાનો ગૌટેક (પ્રદર્શન) યોજાયો હતો.

- Advertisement -

ગુજરાતની પ્રથમ એઈમ્સના ચેરમેન તરીકે પસંદગી કરવા બદલ નરેન્દ્રભાઇ મોદી, જે.પી.નડ્ડા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ વગેરેનો આભાર માનતા ડો. વલ્લભ કથીરિયા

ડૉ. વલ્લભ કથીરિયાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અદના કાર્યકર તરીકે આજીવન કાર્ય કર્યું છે

ડો. વલ્લભ કથીરિયાએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવેલું હતું કે, હું કેન્દ્રમાં રાજ્યકક્ષાનો આરોગ્ય મંત્રી હતો ત્યારે દેશમાં 4 એઇમ્સ હતી. અત્યારે વધીને 18 થઇ છે. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં વિકાસે હરણફાળ ભરી છે. એઇમ્સનું વહેલામાં વહેલું ઉદ્ઘાટન થાય અને સંપૂર્ણ આધુનિક સુવિધા શરૂ થાય તેવા મારા પ્રયાસો રહેશે. દેશ-વિદેશમાં ઉપલબ્ધ સારી આરોગ્ય સુવિધા રાજકોટમાં મળે તેવો ધ્યેય છે. મેડિકલ કોલેજના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રે સમયની માંગ મુજબ સુવિધા વધે તેમજ જરૂરીયાત મુજબ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થાઓ સાથે હાથ મિલાવવાના પ્રયાસો રહેશે. એઇમ્સને ગુજરાતનું આરોગ્ય ક્ષેત્રનું આભૂષણ બનાવવાનો પ્રયાસ છે.

સમગ્ર ગુજરાતના દર્દી નારાયણની સેવાનો સંકલ્પ: ડૉ. વલ્લભ કથીરિયા
એઇમ્સની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ વિશે વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં ફૂલફેઝમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે અને ઘઙઉ બાદ ઈંઙઉ પણ શરૂ કરવામાં આવશે. એઈમ્સ એ એક સ્વાઈપ બોડી છે. દરેક એઈમ્સને તમામ પાવર તથા સારામાં સારા નિર્ણય કરવાની તક્ક મળે છે. સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી એઈમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેક્નોલોજી, લેટેસ્ટ ટેક્નોલોજી અને સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. ધારો કે, ઓર્થોપેડિક સર્જન હોય, સ્પાઈન સર્જન હોય. સ્પાઈનમાં પણ નેક્સ સ્પાઇન અને લંબર સ્પાઈનના સર્જન હોય. આ પ્રકારની સબ સ્પેશિયાલિટીની સારવાર સૌરાષ્ટ્રના, ગુજરાતના, કચ્છના દર્દીઓને મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે. સમગ્ર ગુજરાતના દર્દી નારાયણની સેવાનો સંકલ્પ છે.

ડૉ. કથીરિયા પાસે રાજકારણથી સમાજસેવા સુધી વિવિધ ક્ષેત્રોનો બહોળો અનુભવ
ડો. વલ્લભ કથીરિયાનો જન્મ 30 નવેમ્બર 1954ના રોજ થયો હતો. તેઓ દેશની 14મી લોકસભાના સભ્ય હતા. રાજકોટના સાંસદ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. તેમજ અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. બાદમાં ડો. વલ્લભ કથીરિયાને ગૌ સેવા આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2019માં રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ હેઠળ સ્થાપિત સરકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

રાજકીય, સામાજિક, તબીબી ક્ષેત્રની સફળતા પાછળ માતા-પિતાના આશીર્વાદ
ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અંત્યત ગરીબ પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતાએ તેમને ખૂબ જ સહકાર આપ્યો છે. તેમના ગામડાંમાં કોઈ ભણવા ન જતું ત્યારે માતા-પિતા અને શિક્ષકોએ તેમને ભણવા પ્રોત્સાહિત કર્યા અને તેઓ તબીબી ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સફળ થયા. આજે પણ તેમના શિક્ષકો સાથે તેઓ સંપર્કમાં છે અને વિવિધ સમાજસેવાના કાર્યો કરતા રહે છે. તેમના કાર્યોની નોંધ લઈ મહત્વપૂર્ણ જવાબદારી સોપાવા બદલ તેઓ ખુદને ખુશનસીબ સમજે છે અને તેઓ નિ:સ્વાર્થભાવે આ કામગીરી સંભાળી દર્દી નારાયણની સેવા કરશે એવું જણાવ્યું હતું.

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

TAGGED: aiims, chairman, DRVALLABHKATHIRIA, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચે તું તું મેં મેં
Next Article 4 દિવસ બાદ ISRO સર્જશે ઈતિહાસ: આજે વિક્રમ લેન્ડર કરશે ડી-ઓર્બિટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?