ઓપરેશન સિંદુર પાછો પહેલીવાર બોડરના વિસ્તારમાં પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદી
7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી લોન્ચ પેડ પર ભારતના હુમલા પછી રાજસ્થાનની આ તેમની પહેલી મુલાકાત છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા છે. આ દરમિયાન, પીએમએ બિકાનેર જિલ્લામાં સ્થિત દેશનોકમાં કરણી માતા મંદિરની મુલાકાત લીધી.
- Advertisement -
આ મુલાકાત દરમિયાન, પીએમ મોદી દેશભરમાં 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં અમૃત ભારત યોજના હેઠળ નવા વિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. તેઓ બિકાનેર નજીક પલાણા ગામમાં એક મોટી જાહેર સભાને પણ સંબોધિત કરશે.
103 પુનર્વિકસિત અમૃત સ્ટેશનોને વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
- Advertisement -
કરણી માતા મંદિરની મુલાકાત લીધા પછી, દેશનોક રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન સાથે જ પીએમ મોદી 18 રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશો માટે 86 જિલ્લાઓમાં 1,100 કરોડ રૂપિયાના ખર્ચથી 103 પુનર્વિકસીત અમૃત સ્ટેશનોના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જેમાં રાજસ્થાનના ચાર રેલવે સ્ટેશન સામેલ છે.
બિકાનેરના એરફોર્સ સ્ટેશનમાં સિપાહી સાથે સંવાદ કરશે પીએમ
પીએમએ બુધવારે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મુલાકાત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક પૂરી પાડશે, જે સરહદી વિસ્તારોમાં હિલચાલને સરળ બનાવશે અને સંરક્ષણ માળખાને મજબૂત બનાવશે. તે બિકાનેરના નોલ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે પણ સંવાદ કરી શકે છે.
અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે
આ સિવાય પીએમ મોદી દેશના ઘણા રૂટો પર કરવામાં આવેલ રેલ્વે લાઇન વિદ્યુતીકરણને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ ઉપરાંત, રાજસ્થાનમાં 3 વાહન અંડરપાસના નિર્માણ, રાષ્ટ્રીય રાજમાર્ગોને પહોળા અને મજબૂત બનાવવા માટે શિલાન્યાસ કરવામાં આવશે અને 4850 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 7 માર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
પીએમ મોદી બિકાનેર અને નાવા, ડિડવાના, કુચામનમાં સોલર પ્રોજેક્ટ્સ સહિત પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે પીએમ મોદી ઘણા જિલ્લાઓમાં નર્સિંગ કોલેજોનું ઉદ્ઘાટન કરવાની સાથે વોટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.