વડાપ્રધાન નરેન્દ્રમોદી ક્લાઈમેટ ચેન્જ COP 28માં ભાગ લેવા માટે દુબઇ પહોંચી ગયા છે. દુબઇમાં ત્યાંના સ્થાનીક અખબાર એતિહાદથી વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જની સામે મજબૂત વૈશ્વિક સહયોગની જરૂરિયાત છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પણ સુનિષ્ચિત કરવામાં આવ્યું કે, ક્લાઈમેટ ચેન્જની સામે લડાઇમાં ગ્લોબલ સાઉથ(વૈશ્વિક દક્ષિણ)ના દેશોના હિતોથી સમાધાન થવું જોઇએ નહીં.
ગ્લોબલ સાઉથના હિતોથી સમાધાન નથી
દુબઇના અખબારની સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત એકલો દેશ છે, જેમાં નેશનલ ડિટરમાઇન્ડ કોન્ટ્રિબ્યુશન(National Determined Contribution)ના પોતચાના લક્ષ્યને પૂર્ણ કર્યુ છે. વડાપ્રધાને કહ્યું કે, તેઓ હંમેશા કહે છે કે, ક્લાઈમેટ ચેન્જ એક વૈશ્વિક પડકાર છે અને તેની સામે સમગ્ર દુનિયાને એકજૂટ કરવું પડશે. એ જરૂરી છે કે, વિકાસશીલ દેશોની સમસ્યા ઉભી કરનાર દેશ માનવામાં આવશે નહીં. વિકાસશીલ દેશોની સમસ્યાના ઉકેલમાં યોગદાન આપવું જોઇએ, પરંતુ તેમણે નાણાંકિય અને ટેકનિકની મદદ વગર સંભવ નથી. એ જ કારણ છે કે, મને હંમેશા આ વાતની મહત્વની ગણી છે કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા સામે લડવા માટે નાણાંકિય અને ટેકનિકના ટ્રાન્સફર માટે વૈશ્વિક સહયોગ આપવો જરૂરી છે.
- Advertisement -
પર્યાવરણની દિશામાં ભારતે સાનુકુળ પગલાં લીધા
વડાપ્રધાને કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જની સામે લડવા માટે ભારતે આ દિશામાં મહત્વના પગલાં લીધા છે. જેના હેઠળ મિશન લાઇફસ્ટાઇલ અને એન્વાયરમેન્ટ મિશનની શરૂઆત કરી છે. જેના હેઠળ લોકોને પર્યાવરણ સહયોગી જીવન અપનાવવા માટે પ્રેરણા આપે છે. વડાપ્રધાને કહ્યું કે, ભારતીય પર્યાવરણને જોતા જાન્યુઆરી 2023માં નેશનલ ગ્રીન હાઇડ્રેશન મિશનની શરૂઆત કરી છે. જેના હેઠળ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને તેના ઉપયોગની સાથે જ તેમના નિકાસ માટે ભારતે ગ્લોબલ હબ બનાવવાની યોજના છે. ભારતનું લક્ષ્ય છે કે વર્ષ 2030 સુધી દેશમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને 5 એમએમટીપીઇ હેઠળ કરવામાં આવશે. જો કે, આના માટે લગભગ 100 અરબ ડોલરની નિકાસની જરૂર પડશે.
ક્લાઈમેટ ચેન્જ સામે ભારતની 5 મહત્વની યોજના
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, COP27ના સંમેલ્લન દરમ્યાન મેં જળવાયુ પરિવર્તન સામેની લડાઇ માટે પંચામૃત નામથી ભારતની પાંચ મહત્વકાંક્ષી યોજનાઓ દર્શાવી હતી. જેમાં વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ સુધી બિન અશ્મિભૂત ઇંધણની ક્ષમતા સુધી પહોંચ્યો, વર્ષ 2030 સુધી ભારતની ઉર્જા જરૂરિયાતોને 50 ટકા અક્ષય ઉર્જાથી પ્રાપ્ત કરવા, કાર્બન ઉત્સર્જનને વર્ષ 2030 સુધી એક અરબ ટન સુધી રાખવી જોઇએ, વર્ષ 2030 સુધી કાર્બન આધારિત અર્થવ્યવસ્થાને 45 ટકા સુધી ઓછી કરવી અને વર્ષ 2070 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવો.